Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Local : રસી ન લેનારા લોકો માટે યાત્રાની અનુમતિ નહી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનો નિર્ણય

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે જે લોકોએ રસી નથી લીધી તેમના માટે લોકલ ટ્રેનની મુસાફરી સહિત અન્ય પ્રતિબંધો યથાવત છે.

Mumbai Local : રસી ન લેનારા લોકો માટે યાત્રાની અનુમતિ નહી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનો નિર્ણય
Mumbai Local Train (Representative Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 11:56 PM

મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કોરોનાની રસી લીધા વિના મુંબઈ લોકલમાં (Mumbai Local) મુસાફરી કરવાની પરવાનગી માંગવામાં આવી છે. આ અપિલ સામે, મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) રસી ન લીધેલા લોકોને પ્રવેશ ન આપવાની નીતિનું સમર્થન કર્યું છે. કોરોના મહામારીના (Corona) કાળમાં રસી નથી લીધી તેવા લોકો માટે લોકલ ટ્રેનમાં મુસાફરી સહીત અન્ય પ્રતિબંધો યથાવત છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે નાગરિકોને કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે જેમ કે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને વારંવાર હાથ ધોવા.

મુંબઈ લોકલમાં મુસાફરી પર પ્રતિબંધ યથાવત

રાજ્ય સરકાર દ્વારા 08 ઓક્ટોબર અને 26 ઓક્ટોબર 2021 અને 8 જાન્યુઆરી અને 09 જાન્યુઆરી અને 31 જાન્યુઆરી 2022ના રોજ કોરોનાને ધ્યાન પર રાખીને બહાર પાડવામાં આવેલા આદેશો રાજ્યમાં હજુ પણ લાગુ છે. તેથી, લોકલમાં મુસાફરી સહિતના અન્ય પ્રતિબંધો રસી ન લીધેલા નાગરિકો માટે યથાવત છે. જો કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે નાગરિકોને કોવિડ નિવારણ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.

માસ્કનો ઉપયોગ ફરજિયાત

કોવિડ વાયરસના ફેલાવાને રોકવા માટે 15 જુલાઈ, 10 ઓગસ્ટ અને 11 ઓગસ્ટ, 2021ના રોજ જાહેર કરાયેલા પ્રતિબંધના આદેશો રદ કરવામાં આવ્યા છે. જો કે, 08 ઓક્ટોબર, 26 ઓક્ટોબર 2021, 8 જાન્યુઆરી અને 9 જાન્યુઆરી તેમજ 31 જાન્યુઆરી 2022ના રોજ જાહેર કરાયેલા આદેશો હજુ પણ લાગુ છે.

ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર
સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જો કે, નાગરિકો અને વિવિધ સેવા પ્રદાતાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોરોના વિરોધી નિયમોનું પાલન કરે જેમ કે માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને જાહેર મુસાફરી દરમિયાન વારંવાર તેમના હાથ ધોવા, પછી ભલે તેઓને રસી આપવામાં આવી હોય કે ન આપવામાં આવી હોય.

મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ છે

મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એવી માગ કરવામાં આવી છે કે જે લોકોને કોરોના સામે રસી આપવામાં આવી નથી તેમને મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટેએ આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવા માંગે છે, તો તેણે કોરોના સામેની રસી લેવી પડશે અને તે તેના વિના મુસાફરી કરી શકશે નહીં.

ત્રીજી લહેરમાં પ્રથમવાર 100થી ઓછા કોરોના કેસ

કોરોના મહામારીની ત્રીજી લહેરમાં પ્રથમ વખત, સોમવારે મુંબઈમાં 100 થી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. સોમવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ, 17 એપ્રિલ, 2020 પછી પહેલીવાર મુંબઈમાં 96 કેસ સામે આવ્યા છે. માયાનગરીમાં આ મહામારી દરમિયાન, અત્યાર સુધીમાં 10 લાખ 55 હજાર 657 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 10 લાખ 34 હજાર 681 લોકો સાજા થઈ ગયા છે. તેમજ અત્યાર સુધીમાં 16 હજાર 688 મોત નોંધાયા છે.

આ પણ વાંચો : Maha Infra Conclave: મુંબઈથી નાગપુર સુધી ઝડપથી બદલાઈ રહ્યું છે ચિત્ર, શહેરી વિકાસ મંત્રીએ કહ્યું કે 2025માં કેવી રીતે બદલાઈ જશે મહારાષ્ટ્ર

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
g clip-path="url(#clip0_868_265)">