AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Local : રસી ન લેનારા લોકો માટે યાત્રાની અનુમતિ નહી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનો નિર્ણય

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે જે લોકોએ રસી નથી લીધી તેમના માટે લોકલ ટ્રેનની મુસાફરી સહિત અન્ય પ્રતિબંધો યથાવત છે.

Mumbai Local : રસી ન લેનારા લોકો માટે યાત્રાની અનુમતિ નહી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનો નિર્ણય
Mumbai Local Train (Representative Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 11:56 PM
Share

મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કોરોનાની રસી લીધા વિના મુંબઈ લોકલમાં (Mumbai Local) મુસાફરી કરવાની પરવાનગી માંગવામાં આવી છે. આ અપિલ સામે, મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) રસી ન લીધેલા લોકોને પ્રવેશ ન આપવાની નીતિનું સમર્થન કર્યું છે. કોરોના મહામારીના (Corona) કાળમાં રસી નથી લીધી તેવા લોકો માટે લોકલ ટ્રેનમાં મુસાફરી સહીત અન્ય પ્રતિબંધો યથાવત છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે નાગરિકોને કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે જેમ કે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને વારંવાર હાથ ધોવા.

મુંબઈ લોકલમાં મુસાફરી પર પ્રતિબંધ યથાવત

રાજ્ય સરકાર દ્વારા 08 ઓક્ટોબર અને 26 ઓક્ટોબર 2021 અને 8 જાન્યુઆરી અને 09 જાન્યુઆરી અને 31 જાન્યુઆરી 2022ના રોજ કોરોનાને ધ્યાન પર રાખીને બહાર પાડવામાં આવેલા આદેશો રાજ્યમાં હજુ પણ લાગુ છે. તેથી, લોકલમાં મુસાફરી સહિતના અન્ય પ્રતિબંધો રસી ન લીધેલા નાગરિકો માટે યથાવત છે. જો કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે નાગરિકોને કોવિડ નિવારણ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.

માસ્કનો ઉપયોગ ફરજિયાત

કોવિડ વાયરસના ફેલાવાને રોકવા માટે 15 જુલાઈ, 10 ઓગસ્ટ અને 11 ઓગસ્ટ, 2021ના રોજ જાહેર કરાયેલા પ્રતિબંધના આદેશો રદ કરવામાં આવ્યા છે. જો કે, 08 ઓક્ટોબર, 26 ઓક્ટોબર 2021, 8 જાન્યુઆરી અને 9 જાન્યુઆરી તેમજ 31 જાન્યુઆરી 2022ના રોજ જાહેર કરાયેલા આદેશો હજુ પણ લાગુ છે.

જો કે, નાગરિકો અને વિવિધ સેવા પ્રદાતાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોરોના વિરોધી નિયમોનું પાલન કરે જેમ કે માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને જાહેર મુસાફરી દરમિયાન વારંવાર તેમના હાથ ધોવા, પછી ભલે તેઓને રસી આપવામાં આવી હોય કે ન આપવામાં આવી હોય.

મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ છે

મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એવી માગ કરવામાં આવી છે કે જે લોકોને કોરોના સામે રસી આપવામાં આવી નથી તેમને મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટેએ આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવા માંગે છે, તો તેણે કોરોના સામેની રસી લેવી પડશે અને તે તેના વિના મુસાફરી કરી શકશે નહીં.

ત્રીજી લહેરમાં પ્રથમવાર 100થી ઓછા કોરોના કેસ

કોરોના મહામારીની ત્રીજી લહેરમાં પ્રથમ વખત, સોમવારે મુંબઈમાં 100 થી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. સોમવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ, 17 એપ્રિલ, 2020 પછી પહેલીવાર મુંબઈમાં 96 કેસ સામે આવ્યા છે. માયાનગરીમાં આ મહામારી દરમિયાન, અત્યાર સુધીમાં 10 લાખ 55 હજાર 657 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 10 લાખ 34 હજાર 681 લોકો સાજા થઈ ગયા છે. તેમજ અત્યાર સુધીમાં 16 હજાર 688 મોત નોંધાયા છે.

આ પણ વાંચો : Maha Infra Conclave: મુંબઈથી નાગપુર સુધી ઝડપથી બદલાઈ રહ્યું છે ચિત્ર, શહેરી વિકાસ મંત્રીએ કહ્યું કે 2025માં કેવી રીતે બદલાઈ જશે મહારાષ્ટ્ર

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">