AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : કોરોના વુહાનના જે લેબમાંથી નિકળ્યો, તેના માલિક બિલ ગેટ્સ ! જાણો કોણે આપ્યુ સનસનાટીભર્યુ નિવેદન

આ સામાજીક કાર્યકર્તાએ દાવો કર્યો છે કે ચીનની વુહાન લેબોરેટરી બિલ ગેટ્સ ફાઉન્ડેશનની માલિકીની છે, જ્યાંથી કોરોનાની શરૂઆત થઈ હતી.

Maharashtra : કોરોના વુહાનના જે લેબમાંથી નિકળ્યો, તેના માલિક બિલ ગેટ્સ ! જાણો કોણે આપ્યુ સનસનાટીભર્યુ નિવેદન
Medha Patkar & Bill Gates
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 11:48 PM
Share

સામાજિક કાર્યકર મેધા પાટકરે (Medha Patkar) એક સનસનીખેજ નિવેદન આપ્યું છે. મેધા પાટકરે કહ્યું છે કે જે વુહાન લેબમાંથી કોરોના ઉત્પન્ન થયો હોવાનો દાવો કરવામાં આવે છે, તે વુહાન લેબોરેટરીના માલિક બિલ ગેટ્સ છે. મેધા પાટકર દાવો કરે છે કે ચીનની વુહાન લેબોરેટરી બિલ ગેટ્સ ફાઉન્ડેશનની માલિકીની છે. મેધા પાટકરના આ નિવેદન સાથે સંબંધિત સમાચાર પ્રખ્યાત મરાઠી સમાચાર વેબસાઇટ લોકસત્તાએ પ્રકાશિત કર્યા છે. તેઓ શેરડીના ખેડૂતોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. પુણેમાં આવા જ એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાત કરતી વખતે મેધા પાટકરે આ નિવેદન આપ્યું હતું.

પત્રકારો સાથે વાત કરતા તેમણે દાવો કર્યો કે જે લેબમાંથી કોરોના બહાર આવ્યો તે બિલ ગેટ્સની માલિકીની છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશને સમગ્ર વિશ્વમાં ખેતરો કબજે કરવાની યોજના બનાવી છે. અમેરિકામાં બે લાખ 40 હજાર એકર જમીનના માલિક હોવા છતાં તેમની જમીનની ભૂખ ઓછી થઈ નથી.

બિલ ગેટ્સને ભારતમાં બોલાવીને ખેતીના કોર્પોરેટાઇઝેશનની યોજના

આ પ્રસંગે મેધા પાટકરે ખેડૂતોના આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે સમયસર ખેડૂતોની માંગણીઓ પર ધ્યાન આપ્યું નથી. આ કારણે 715 ખેડૂતો શહીદ થયા હતા. એ જ તોમર આજે બિલ ગેટ્સને ભારત આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. આ બધાનું કારણ ખેતીના કોર્પોરેટાઈઝેશનની યોજના છે.

મેધા પાટકરે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

ખેત મજૂરોના પ્રશ્ન પર મેધા પાટકરે સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોને 80 થી 90 હજાર કરોડ રૂપિયા આપવાના બાકી છે. કેન્દ્ર સરકાર આ રાજ્યોને તે પૈસા આપી રહી નથી. પરંતુ જ્યારે ખેડૂતો અને મજૂરોની સમસ્યાઓ સામે આવે છે ત્યારે કેન્દ્ર સરકાર આ રાજ્ય સરકારોને દોષી ઠેરવે છે, કે તેઓ તેમની જવાબદારીઓથી ભાગી રહ્યા છે. આ રીતે દેશમાં જે ચાલી રહ્યું છે તે બંધારણ વિરોધી છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સ્વસ્થ સંબંધો માટે આ સારું નથી. મેધા પાટકરે પત્રકારો સાથે વાત કરતા આવો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો :  Maharashtra: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિશા સલિયનના મોત પર મહિલા આયોગે કરી કાર્યવાહી! પોલીસ પાસેથી 48 કલાકમાં માંગ્યો જવાબ

g clip-path="url(#clip0_868_265)">