AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કંગનાએ ઓવરડોઝ લીધો છે’, NCP નેતા નવાબ મલિકે બોલિવુડ ક્વીન પર કર્યો કટાક્ષ

નવાબ મલિકે કહ્યું કે કંગનાએ હિમાચલમાં બનાવવામાં આવતી ડ્રગ્સ મલાના ક્રીમના એકથી વધુ ડોઝ લીધા છે, એટલા માટે તે આવી ભ્રામક વાતો કરી રહી છે.

'કંગનાએ ઓવરડોઝ લીધો છે', NCP નેતા નવાબ મલિકે બોલિવુડ ક્વીન પર કર્યો કટાક્ષ
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 2:35 PM
Share

Maharashtra : કોંગ્રેસ બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક નિવેદનાં કહ્યુ હતુ કે ‘ભારતને આઝાદી ભીખમાં મળી’. નવાબ મલિકે કહ્યું કે, કંગના રનૌતની ધરપકડ કરીને પદ્મશ્રી એવોર્ડ પાછો લેવો જોઈએ. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલી 24 સેકન્ડની ક્લિપમાં કંગનાએ કહ્યુ હતુ કે, “1947માં આઝાદી નહીં, પણ ભીખ માંગવી અને જે આઝાદી આપણને 2014માં મળી.”

આ નિવેદન ગાંધીજીથી લઈને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે

નવાબ મલિકે (Nawab Malik) વધુમાં કહ્યું કે, કંગનાનુ આ નિવેદન ગાંધીજીથી લઈને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે. અમે કંગનાના નિવેદનની સખત નિંદા કરીએ છીએ. જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે 1947ની આઝાદી ભીખ માંગીને અપાઈ હતી, અમને લાગે છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન થયું છે. કેન્દ્ર સરકારે તેમની સામે કેસ નોંધવો જોઈએ અને તેમની પાસેથી પદ્મશ્રી પરત લેવો જોઈએ.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કંગના પર આકરા પ્રહાર કર્યા

અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, ‘કંગના રનૌતનું નિવેદન માત્ર મહાત્મા ગાંધી, પંડિત નેહરુ અને સરદાર પટેલ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓનું જ નહીં, પરંતુ સરદાર ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad) જેવા ક્રાંતિકારીઓના બલિદાનનું પણ અપમાન છે.’ તેણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાને પોતાનું મૌન તોડવું જોઈએ અને દેશને જણાવવું જોઈએ શું તેઓ કંગના રનૌતના અભિપ્રાયનું સમર્થન કરે છે ? સરકારે કંગના વિરુધ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

કંગના રનૌતે તમામ દેશવાસીઓની માફી માંગવી જોઈએ : કોંગ્રેસ પ્રવક્તા

કંગના પર પ્રહાર કરતા કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે (Gaurav Vallabh) કહ્યું કે, “કંગના રનૌતે તેના નિવેદન માટે તમામ દેશવાસીઓની માફી માંગવી જોઈએ કારણ કે તેનાથી આપણા સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન થયું છે.” ભારત સરકારે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, પંડિત નેહરુ, સરદાર ભગતસિંહનું અપમાન કરનાર મહિલા પાસેથી પદ્મશ્રી એવોર્ડ પાછો ખેંચી લેવો જોઈએ. આવા લોકોને પદ્મશ્રી આપવાનો અર્થ એ છે કે સરકાર આવા લોકોને પ્રોત્સાહન આપી રહી છે.

આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિક સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા પર બોમ્બે હાઈકોર્ટ આજે કરશે સુનાવણી

આ પણ વાંચો: Mumbai: મુંબઈના માનખુર્દ વિસ્તારમાં મંડલા ભંગાર બજારના ગોદામમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ અને 150 કર્મી ઘટના સ્થળે

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">