AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Kalicharan Maharaj Arrested: ખજુરાહોમાંથી કાલીચરણની ધરપકડ કરવામાં આવી હતી, ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર કરી હતી અભદ્ર ટિપ્પણી

ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર સંત કાલીચરણની ધરપકડ કરવામાં આવી છે. કાલીચરણ પર રાયપુરમાં યોજાયેલી ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે.

MP Kalicharan Maharaj Arrested: ખજુરાહોમાંથી કાલીચરણની ધરપકડ કરવામાં આવી હતી, ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર કરી હતી અભદ્ર ટિપ્પણી
Sant Kalicharan has been arrested from Khujraho in Madhya Pradesh.
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 10:45 AM
Share

MP Kalicharan Maharaj Arrested : ધર્મ સંસદ(Dharan Sansad)માં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર સંત કાલીચરણની ધરપકડ કરવામાં આવી છે. કાલીચરણ પર રાયપુરમાં યોજાયેલી ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. છત્તીસગઢની રાયપુર પોલીસે ‘ધર્મ સંસદ’માં મહાત્મા ગાંધી વિરુદ્ધ કથિત ભડકાઉ ભાષણ માટે મધ્યપ્રદેશના ખજુરાહોથી કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી. તેમની સામે રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ધર્મ સંસદ કાર્યક્રમના છેલ્લા દિવસે સંત કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, તેમણે દેશના ભાગલા માટે બાપુને જવાબદાર ગણાવ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે આપેલા આ વિવાદિત નિવેદનથી નારાજ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના નેતાઓએ આકરી ટીકા કરી હતી. મહાત્મા ગાંધી પર કરનારા કાલીચરણ મહારાજ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. કોંગ્રેસના નેતા અને રાયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ પ્રમોદ દુબેની ફરિયાદ પછી ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ધર્મસંસદમાં મહાત્મા ગાંધી પર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું રાયપુરના રાવણ ભાટા મેદાનમાં આયોજિત બે દિવસીય કાર્યક્રમના સમાપન દિવસે બોલતા કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, ઇસ્લામનું લક્ષ્ય રાજનીતિ દ્વારા રાષ્ટ્રને કબજે કરવાનું છે. અમારી નજર સમક્ષ તેઓએ 1947 માં કબજે કર્યું હતું. તેણે અગાઉ ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. રાજકારણ દ્વારા બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર પણ કબજો જમાવ્યો હતો. હું નાથુરામ ગોડસેને સલામ કરું છું કે તેણે મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરી.

ધર્મસંસદનું આયોજન નીલકંઠ સેવા સંસ્થાએ કર્યું છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ ધર્મસંસદનું આયોજન નીલકંઠ સેવા સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, ગૌ સેવા આયોગના અધ્યક્ષ મહંત રામસુંદર દાસ તેના આશ્રયદાતા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ CM ડો. રમણ સિંહ, કોર્પોરેશનના ચેરમેન પ્રમોદ દુબે, BJP નેતા સચ્ચિદાનંદ ઉપાસને સહિત ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓએ પણ ભાગ લીધો હતો. સંત કાલીચરણ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે મધ્યપ્રદેશના પ્રખ્યાત ભોજપુર શિવ મંદિરમાં શિવ તાંડવ સ્તોત્ર ગાતા તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">