MP Kalicharan Maharaj Arrested: ખજુરાહોમાંથી કાલીચરણની ધરપકડ કરવામાં આવી હતી, ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર કરી હતી અભદ્ર ટિપ્પણી

ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર સંત કાલીચરણની ધરપકડ કરવામાં આવી છે. કાલીચરણ પર રાયપુરમાં યોજાયેલી ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે.

MP Kalicharan Maharaj Arrested: ખજુરાહોમાંથી કાલીચરણની ધરપકડ કરવામાં આવી હતી, ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર કરી હતી અભદ્ર ટિપ્પણી
Sant Kalicharan has been arrested from Khujraho in Madhya Pradesh.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 10:45 AM

MP Kalicharan Maharaj Arrested : ધર્મ સંસદ(Dharan Sansad)માં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર સંત કાલીચરણની ધરપકડ કરવામાં આવી છે. કાલીચરણ પર રાયપુરમાં યોજાયેલી ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. છત્તીસગઢની રાયપુર પોલીસે ‘ધર્મ સંસદ’માં મહાત્મા ગાંધી વિરુદ્ધ કથિત ભડકાઉ ભાષણ માટે મધ્યપ્રદેશના ખજુરાહોથી કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી. તેમની સામે રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ધર્મ સંસદ કાર્યક્રમના છેલ્લા દિવસે સંત કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, તેમણે દેશના ભાગલા માટે બાપુને જવાબદાર ગણાવ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે આપેલા આ વિવાદિત નિવેદનથી નારાજ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના નેતાઓએ આકરી ટીકા કરી હતી. મહાત્મા ગાંધી પર કરનારા કાલીચરણ મહારાજ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. કોંગ્રેસના નેતા અને રાયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ પ્રમોદ દુબેની ફરિયાદ પછી ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ધર્મસંસદમાં મહાત્મા ગાંધી પર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું રાયપુરના રાવણ ભાટા મેદાનમાં આયોજિત બે દિવસીય કાર્યક્રમના સમાપન દિવસે બોલતા કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, ઇસ્લામનું લક્ષ્ય રાજનીતિ દ્વારા રાષ્ટ્રને કબજે કરવાનું છે. અમારી નજર સમક્ષ તેઓએ 1947 માં કબજે કર્યું હતું. તેણે અગાઉ ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. રાજકારણ દ્વારા બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર પણ કબજો જમાવ્યો હતો. હું નાથુરામ ગોડસેને સલામ કરું છું કે તેણે મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ધર્મસંસદનું આયોજન નીલકંઠ સેવા સંસ્થાએ કર્યું છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ ધર્મસંસદનું આયોજન નીલકંઠ સેવા સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, ગૌ સેવા આયોગના અધ્યક્ષ મહંત રામસુંદર દાસ તેના આશ્રયદાતા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ CM ડો. રમણ સિંહ, કોર્પોરેશનના ચેરમેન પ્રમોદ દુબે, BJP નેતા સચ્ચિદાનંદ ઉપાસને સહિત ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓએ પણ ભાગ લીધો હતો. સંત કાલીચરણ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે મધ્યપ્રદેશના પ્રખ્યાત ભોજપુર શિવ મંદિરમાં શિવ તાંડવ સ્તોત્ર ગાતા તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">