Nawab Malik vs Sameer Wankhede: નવાબ મલિકના સમીર વાનખેડે સામે સવાલ, ઇમાનદાર ઓફિસરના કપડા 10 કરોડના ?

નવાબ મલિકે કહ્યુ કે, 'સમીર વાનખેડેના પેન્ટની કિંમત 2 લાખ રૂપિયા, બેલ્ટની કિંમત 2 લાખ રૂપિયા, શૂઝની કિંમત 2.5 લાખ રૂપિયા, ઘડિયાળની કિંમત 10-20-25 લાખ રૂપિયા છે. આ દિવસોમાં તેણે જે કપડા પહેર્યા છે તેની કિંમત મળીને 5થી 10 કરોડ છે. શું એક ઈમાનદાર અધિકારી 10 કરોડના કપડાં પહેરે છે?'

Nawab Malik vs Sameer Wankhede: નવાબ મલિકના સમીર વાનખેડે સામે સવાલ, ઇમાનદાર ઓફિસરના કપડા 10 કરોડના ?
Nawab Malik and Sameer Wankhede got into a heated argument
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 5:31 PM

એનસીપી નેતા નવાબ મલિક અને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો વિવાદ ફરી ગરમાયો છે.એનસીપી નેતા નવાબ મલિકે ફરી NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર શાબ્દિક પ્રહાર કર્યા છે. નવાબ મલિકે ફરી એકવાર દાવો કર્યો છે કે સમીર વાનખેડેએ પોતાની આર્મી બનાવેલી હતી.જેનું કામ ખોટી રીતે ડ્રગ્સ મામલામાં લોકોને ફસાવીને તેમના પાસેથી રૂપિયા વસુલ કરવાનું છે. ક્રુઝ ડ્રગ્સ કેસના સાક્ષી સેમ ડિસોઝાએ તેમની સમક્ષ આવીને આર્યન ખાન કેસમાં 18 કરોડની ડીલ થઇ હોવાની કબુલાત કરી હોવાનું નવાબ મલિકે જણાવ્યુ.

અન્ય સ્ટાર્સ માટે કેટલા કરોડની ડીલ? નવાબ મલિકે કહ્યું કે જ્યારે આર્યન ખાન માટે આટલી રકમ માગી શકાય છે તો 14 મહિના પહેલા સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણને પણ તપાસ અને પુછપરછ માટે બોલાવાયા હતા.તો હજુ સુધી તે કેસમાં ચાર્જશીટ કેમ થઈ નથી? કેમકે વસુલાત થઇ. નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે સમીર વાનખેડેએ મુંબઈમાં અત્યાર સુધીમાં હજારો કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.તેમની સામે કાર્યવાહી શરૂ થશે તો વસ્તુઓ ખુલવા લાગશે.

છેલ્લા દિવસોમાં 10 કરોડના કપડા પહેર્યા નવાબ મલિકે જણાવ્યુ કે એક ટીવી શોના ઇન્ટરવ્યૂનીમાં સમીર વાનખેડેએ પહેરેલા શર્ટની કિંમત 70 હજાર છે.તેના પેન્ટની કિંમત 2 લાખ રૂપિયા, બેલ્ટની કિંમત 2 લાખ રૂપિયા, શૂઝની કિંમત 2.5 લાખ રૂપિયા, ઘડિયાળની કિંમત 10-20-25 લાખ રૂપિયા છે. આ દિવસોમાં તેણે જે કપડા પહેર્યા છે તેની કિંમત મળીને 5 થી 10 કરોડ છે. શું એક ઈમાનદાર અધિકારી 10 કરોડના કપડાં પહેરે છે?’

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

વસુલીમાં વાનખેડેની બહેન ભાગીદાર હોવાનો આરોપ નવાબ મલિકે કહ્યું કે, ‘સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડે વ્યવસાયે વકીલ છે. ડ્રગ્સના કેસમાં જે પણ પકડાય છે, તે કેસ લઇ આરોપીને બચાવવાના બદલામાં મોટી રકમ લે છે.નવાબ મલિકે યાસ્મીન વાનખેડેના એક ડ્રગ્સ ચેટની ડીલનો દાવો પણ કર્યો.

આરોપો પર વાનખેડેની બહેનનો જવાબ TV9 સાથે વાત કરતા સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ નવાબ મલિકના આરોપોનો જવાબ આપ્યો.કહ્યુ,’મારી માતાએ અમને બંનેને મોંઘી ઘડિયાળો આપી હતી. સમીર વાનખેડે રોજ કપડાં ખરીદતો નથી. તેઓ વર્ષમાં માત્ર એક જ વાર કપડાં ખરીદે છે. નવાબ મલિકના મોંઘા કપડા અને ઘડિયાળોના આરોપ ખોટા અને ખોટા છે.નવાબ મલિક જે વોટ્સએપ ચેટ વિશે વાત કરી રહ્યા છે તેમાં તે ઘણા બધા મેસેજ ડિલીટ કરીને ફરતા કરી રહ્યા છે.’

આ પણ વાંચો :https://tv9gujarati.com/international-news/afghanistan-news/afghanistan-the-capital-city-of-kabul-a-suicide-attack-took-place-in-front-of-the-hospital-361866.html

આ પણ વાંચો :https://tv9gujarati.com/gujarat/ahmedabad/depressed-woman-leaves-home-police-reunite-with-family-within-hours-361877.html

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">