Maharashtra : હોસ્પિટલોને બંધ કરીને મંદીરના દરવાજા ખોલુ ? મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

નારાયણ રાણેએ કહ્યું કે મુખ્યમંત્રી કોરોનાનો ડર બતાવીને લોકોને ઘરે બેસાડવાના બહાના શોધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે 1 લાખ 57 હજાર લોકોના મોત થયા છે. ઓક્સિજન ઉપલબ્ધ નથી, બેડ્સ નથી, દવાઓ નથી, રસી યોગ્ય રીતે આપવામાં આવી રહી નથી. તો પછી તેઓ શું આરોગ્ય સેવાઓની વાત કરે છે?

Maharashtra : હોસ્પિટલોને બંધ કરીને મંદીરના દરવાજા ખોલુ ? મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 10:51 PM

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) રાજ્યમાં મંદિર ખોલવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભલે આજે મંદિરો બંધ છે, પણ અમે તે આરોગ્ય મંદિરો (હોસ્પિટલો) ખોલી રહ્યા છીએ જે કોરોના સમયગાળામાં (Corona in Maharashtra) ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવાન માત્ર મંદિરોમાં જ નથી. તેઓ ડોક્ટરના રૂપમાં હોસ્પિટલમાં પણ છે. આવા વધુને વધુ દેવતાઓ (ડોકટરો) ને તેમના મંદિરો (હોસ્પિટલો, કોવિડ કેન્દ્રો) માં બેસાડવાના અમારા પ્રયાસો ચાલુ છે. લોકો ચોક્કસ અમને આશીર્વાદ આપશે.

મંદિરના દરવાજા તબક્કાવાર ખોલવામાં આવશે, પહેલા કોરોનાને આપણા દરવાજેથી દૂર ભગાડીએ

મુંબઈને અડીને આવેલા કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ઉપક્રમોનું ઉદ્ઘાટન કરતી વખતે મુખ્યમંત્રીએ આ વાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવા જોઈએ, ઠીક છે, હું સંમત છું. પરંતુ તે પહેલા એ મહત્વનું છે કે તમારા વિસ્તારમાં હોસ્પિટલો ખુલ્લી રહે. મંદિર બંધ થયા પછી પણ, અમે હોસ્પિટલોના રૂપમાં આરોગ્ય મંદિરો ખોલી રહ્યા છીએ. આજે તે સૌથી મહત્વનું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શું જનતાની જીંદગી સાથે રમત રમવી જોઈએ ? આરોગ્ય મંદિર બંધ કરીને ભગવાનનું મંદિર ખોલવું જોઈએ ? 

આ પ્રસંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આરોગ્ય મંદિર બંધ કરીને તેની બાજુમાં મંદિર ખોલવું? હાલમાં, કોરોના સમયગાળા દરમિયાન લોકોના જીવ બચાવવા માટે આરોગ્ય કેન્દ્રો ખુલ્લા રહે એ વધુ મહત્વનું છે. ચોક્કસપણે મંદિર પણ ખોલવામાં આવશે. અમે તબક્કાવાર સંસ્થાઓ ખોલી રહ્યા છીએ. ધીરે ધીરે પરિસ્થિતિ જોતા મંદિર પણ ખોલવામાં આવશે.

ભારત માતા કી જય, પણ તે પહેલા સ્વાસ્થ્ય રહેવું જોઈએ અક્ષય

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે પણ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવીએ છીએ. અમે કેવી રીતે હિન્દુત્વનું રક્ષણ કર્યું છે, તે 1992-93માં દેખાડ્યું છે. પરંતુ રસ્તાઓ પર ઉતરીને  ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા પછી, જો ભારત માતાના પુત્રોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થયુ તો ભારત માતા અમને શું કહેશે? અરે,  મારો જયઘોષ શું કરો  છો, મારા બાળકોને જુઓ. તેમને દવાઓ અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ આપો. ફક્ત નારેબાજી  અને જાહેરાતો કરવાથી તેઓ સાજા નહી થાય. એટલા માટે તમામ રાજકીય પક્ષોને અપીલ છે તે જવાબદાર બને. કોરોનાની ત્રીજી લહેર દરવાજા પર ઉભી છે. તમારું રાજકારણ ચાલતું રહેશે. હાલ ભીડ ભેગી ન કરો.

મુખ્યમંત્રીની અપીલ પર, રાણેએ કર્યો કટાક્ષ

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આ અપીલના જવાબમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ (Narayan Rane, Union Minister) કટાક્ષ કર્યો છે. નારાયણ રાણેએ કહ્યું કે મુખ્યમંત્રી કોરોનાનો ડર બતાવીને લોકોને ઘરે બેસાડવાના બહાના શોધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે 1 લાખ 57 હજાર લોકોના મોત થયા છે. ઓક્સિજન ઉપલબ્ધ નથી, બેડ્સ નથી, દવાઓ નથી, રસી યોગ્ય રીતે આપવામાં આવી રહી નથી. તો પછી તેઓ શું આરોગ્ય સેવાઓની વાત કરી રહ્યા છે?

નારાયણ રાણે 9 સપ્ટેમ્બરે સિંધુદુર્ગમાં યોજાનારા નવા એરપોર્ટના ઉદ્ઘાટનની જાહેરાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે થશે અને પહેલી ફ્લાઇટ બપોરે 12.30 વાગ્યે મુંબઈ માટે ઉપડશે.

આ પણ વાંચો :  Maharashtra : મોહન ભાગવતે સમજાવ્યો હિન્દુ હોવાનો અર્થ, જાણો આ પર શરદ પવારે શું આપી પ્રતિક્રિયા

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">