AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : હોસ્પિટલોને બંધ કરીને મંદીરના દરવાજા ખોલુ ? મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

નારાયણ રાણેએ કહ્યું કે મુખ્યમંત્રી કોરોનાનો ડર બતાવીને લોકોને ઘરે બેસાડવાના બહાના શોધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે 1 લાખ 57 હજાર લોકોના મોત થયા છે. ઓક્સિજન ઉપલબ્ધ નથી, બેડ્સ નથી, દવાઓ નથી, રસી યોગ્ય રીતે આપવામાં આવી રહી નથી. તો પછી તેઓ શું આરોગ્ય સેવાઓની વાત કરે છે?

Maharashtra : હોસ્પિટલોને બંધ કરીને મંદીરના દરવાજા ખોલુ ? મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 10:51 PM
Share

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) રાજ્યમાં મંદિર ખોલવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભલે આજે મંદિરો બંધ છે, પણ અમે તે આરોગ્ય મંદિરો (હોસ્પિટલો) ખોલી રહ્યા છીએ જે કોરોના સમયગાળામાં (Corona in Maharashtra) ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવાન માત્ર મંદિરોમાં જ નથી. તેઓ ડોક્ટરના રૂપમાં હોસ્પિટલમાં પણ છે. આવા વધુને વધુ દેવતાઓ (ડોકટરો) ને તેમના મંદિરો (હોસ્પિટલો, કોવિડ કેન્દ્રો) માં બેસાડવાના અમારા પ્રયાસો ચાલુ છે. લોકો ચોક્કસ અમને આશીર્વાદ આપશે.

મંદિરના દરવાજા તબક્કાવાર ખોલવામાં આવશે, પહેલા કોરોનાને આપણા દરવાજેથી દૂર ભગાડીએ

મુંબઈને અડીને આવેલા કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ઉપક્રમોનું ઉદ્ઘાટન કરતી વખતે મુખ્યમંત્રીએ આ વાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવા જોઈએ, ઠીક છે, હું સંમત છું. પરંતુ તે પહેલા એ મહત્વનું છે કે તમારા વિસ્તારમાં હોસ્પિટલો ખુલ્લી રહે. મંદિર બંધ થયા પછી પણ, અમે હોસ્પિટલોના રૂપમાં આરોગ્ય મંદિરો ખોલી રહ્યા છીએ. આજે તે સૌથી મહત્વનું છે.

શું જનતાની જીંદગી સાથે રમત રમવી જોઈએ ? આરોગ્ય મંદિર બંધ કરીને ભગવાનનું મંદિર ખોલવું જોઈએ ? 

આ પ્રસંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આરોગ્ય મંદિર બંધ કરીને તેની બાજુમાં મંદિર ખોલવું? હાલમાં, કોરોના સમયગાળા દરમિયાન લોકોના જીવ બચાવવા માટે આરોગ્ય કેન્દ્રો ખુલ્લા રહે એ વધુ મહત્વનું છે. ચોક્કસપણે મંદિર પણ ખોલવામાં આવશે. અમે તબક્કાવાર સંસ્થાઓ ખોલી રહ્યા છીએ. ધીરે ધીરે પરિસ્થિતિ જોતા મંદિર પણ ખોલવામાં આવશે.

ભારત માતા કી જય, પણ તે પહેલા સ્વાસ્થ્ય રહેવું જોઈએ અક્ષય

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે પણ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવીએ છીએ. અમે કેવી રીતે હિન્દુત્વનું રક્ષણ કર્યું છે, તે 1992-93માં દેખાડ્યું છે. પરંતુ રસ્તાઓ પર ઉતરીને  ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા પછી, જો ભારત માતાના પુત્રોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થયુ તો ભારત માતા અમને શું કહેશે? અરે,  મારો જયઘોષ શું કરો  છો, મારા બાળકોને જુઓ. તેમને દવાઓ અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ આપો. ફક્ત નારેબાજી  અને જાહેરાતો કરવાથી તેઓ સાજા નહી થાય. એટલા માટે તમામ રાજકીય પક્ષોને અપીલ છે તે જવાબદાર બને. કોરોનાની ત્રીજી લહેર દરવાજા પર ઉભી છે. તમારું રાજકારણ ચાલતું રહેશે. હાલ ભીડ ભેગી ન કરો.

મુખ્યમંત્રીની અપીલ પર, રાણેએ કર્યો કટાક્ષ

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આ અપીલના જવાબમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ (Narayan Rane, Union Minister) કટાક્ષ કર્યો છે. નારાયણ રાણેએ કહ્યું કે મુખ્યમંત્રી કોરોનાનો ડર બતાવીને લોકોને ઘરે બેસાડવાના બહાના શોધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે 1 લાખ 57 હજાર લોકોના મોત થયા છે. ઓક્સિજન ઉપલબ્ધ નથી, બેડ્સ નથી, દવાઓ નથી, રસી યોગ્ય રીતે આપવામાં આવી રહી નથી. તો પછી તેઓ શું આરોગ્ય સેવાઓની વાત કરી રહ્યા છે?

નારાયણ રાણે 9 સપ્ટેમ્બરે સિંધુદુર્ગમાં યોજાનારા નવા એરપોર્ટના ઉદ્ઘાટનની જાહેરાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે થશે અને પહેલી ફ્લાઇટ બપોરે 12.30 વાગ્યે મુંબઈ માટે ઉપડશે.

આ પણ વાંચો :  Maharashtra : મોહન ભાગવતે સમજાવ્યો હિન્દુ હોવાનો અર્થ, જાણો આ પર શરદ પવારે શું આપી પ્રતિક્રિયા

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">