MVA એ પોતાના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેને કર્યા પ્રોજેક્ટ, ભાજપ માટે વધી શકે છે મુશ્કેલી

રેલી દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ભારતીય સેનાના સૈનિક ઔરંગઝેબનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેનું ત્રણ વર્ષ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. વાંચો આ વિશેષ અહેવાલ.

MVA એ પોતાના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેને કર્યા પ્રોજેક્ટ, ભાજપ માટે વધી શકે છે મુશ્કેલી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 6:56 AM

મહારાષ્ટ્રનું રાજકારણ એક અલગ વળાંક પર ચાલી રહ્યું છે. બીજેપી વિરુદ્ધ તેના અભિયાનમાં, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA) એ રવિવારે છત્રપતિ સંભાજી નગરમાં તેની પ્રથમ સંયુક્ત રેલી યોજી હતી. આ રેલીમાં લગભગ એક લાખ લોકોએ ભાગ લીધો હતો. તેનો સૌથી મહત્વનો મુદ્દો પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવેલ સન્માનનો હતો.

આ રેલીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, MVA ઠાકરેના નેતૃત્વ હેઠળ કામ કરવા જઈ રહ્યું છે. તેમ છતાં તેમણે તેમના પક્ષનું નામ શિવસેના અને તેના ચૂંટણી પ્રતીક ‘ધનુષ અને તીર’ કટ્ટર હરીફ એકનાથ શિંદે સામે ગુમાવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અશોક ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટે રેલીમાં ભાગ લીધો હતો.

જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક

એનસીપીનું પ્રતિનિધિત્વ વિપક્ષના નેતા અજિત પવાર અને પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે કર્યું હતું. જોકે, ઉદ્ધવ ઠાકરેએ આ શો જીત્યો હતો. ઠાકરે સ્થળ પર પહોંચનારા છેલ્લા નેતા હતા. અન્ય નેતાઓ તેમના આગમનની રાહ જોઈ રહ્યા હતા. મંચ ઉપર વચમાં તે મોટી ખુરશી પર એકલા બિરાજમાન હતા. તેનાથી વિપરીત, અન્ય તમામ નેતાઓને તુલનાત્મક રીતે નાની ખુરશીઓ આપવામાં આવી હતી. આ રેલીને ઠાકરે એ છેલ્લે સંબોધન કર્યું હતું.

PM મોદીની ડિગ્રી પર નિશાન સાધ્યું

ઠાકરેએ ભાજપ પર આરોપ લગાવતા પ્રહારો કર્યા કે, તેઓએ તેમની હિન્દુત્વની ઓળખ છોડી દીધી છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે કેવી રીતે ગુજરાતની અદાલતે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવા બદલ દંડ ફટકાર્યો. તેમણે ભારતીય સેનાના સૈનિક ઔરંગઝેબનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનું ત્રણ વર્ષ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. ઠાકરેએ કહ્યું કે શું આપણે તેમની શહાદતને માત્ર એટલા માટે ભૂલી શકીએ કે તેઓ મુસ્લિમ હતા ?

આ પણ વાંચોઃ મારા પિતાના નામ પર નહીં નરેન્દ્ર મોદીના નામ પર લડો ચૂંટણી… ઉદ્ધવ ઠાકરેએ ભાજપને આપ્યો સીધો પડકાર

ઘણા સમયથી ઔરંગાબાદનું નામ બદલવાની હતી માંગ

તેમણે કહ્યું કે બે મહિના પહેલા ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર રાખવાને લઈને ઔરંગાબાદમાં ચાલી રહેલા વિરોધની પૃષ્ઠભૂમિમાં આ શહીદનો તેમનો ઉલ્લેખ મહત્વપૂર્ણ હતો. ઔરંગાબાદનું મૂળ નામ ખડકી હતું. 1700 ના દાયકાની શરૂઆતમાં, મુઘલ આક્રમણખોર ઔરંગઝેબે તેને ઔરંગાબાદ બનાવ્યું. લોકો લાંબા સમયથી તેનું નામ છત્રપતિ સંભાજી નગર રાખવાની માંગ કરી રહ્યા હતા.

MVA નેતા તરીકે ઠાકરેનો ઉદભવ સારી રીતે વિચારેલી વ્યૂહરચના હોવાનું જણાય છે. કોંગ્રેસ ટકી રહેવા માટે સખત સંઘર્ષ કરી રહી છે, એનસીપી પાસે ખૂબ ઓછી વિશ્વસનીયતા છે. આવી સ્થિતિમાં મતદારો પાસેથી સહાનુભૂતિની અપેક્ષા રાખતા ઉદ્ધવ ઠાકરે તેમના માટે યોગ્ય વિકલ્પ બની શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Latest News Updates

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
g clip-path="url(#clip0_868_265)">