મુંબઈનો મરીન ડ્રાઈવ દરિયામાં ડૂબશે, ભાવનગર અને ઓખા માટે પણ જોખમ

દરિયાકાંઠે વસેલા મુંબઈના કેટલાક વિસ્તારો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. મુંબઈના જાણીતા મરીન ડ્રાઈવ અને નરીમાન પોઈન્ટ વિસ્તાર દરિયામાં ડૂબી જશે. દેશના અન્ય શહેરોની સાથેસાથે ગુજરાતના ભાવનગર અને ઓખામાં પણ દરિયાના પાણી ધસી આવશે તેમ એક અહેવાલમાં જાહેર કરાયું છે.

મુંબઈનો મરીન ડ્રાઈવ દરિયામાં ડૂબશે, ભાવનગર અને ઓખા માટે પણ જોખમ
Marine Drive (file photo)Image Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 7:25 AM

અનેક હિન્દી અને પ્રાદેશિક ફિલ્મમાં મુંબઈના મરીન ડ્રાઈવનો નજારો તમે જોયો જ હશે. જો કે આ નજારો હવે બહુ સમય સુધી નહી રહે તેવા અહેલાલ એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આગામી થોડાક જ વર્ષોમાં મુંબઈની શાન સમાન મરીન ડ્રાઈવ અને તેની સાથે આવેલ નરીમાન પોઈન્ટ વિસ્તારમાં દરિયાના પાણી ધસી આવશે. એટલે કે મરીન ડ્રાઈવ દરિયાના પાણીમાં ડૂબી જશે.

આરએમએસઆઈના એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈના દરિયાકાંઠે આવેલ અનેક વિસ્તારો પૈકી મરીન ડ્રાઈવ અને નરીમાન પોઈન્ટ વિસ્તારની અનેક ઈમારતો પાણીમાં ગરકાવ થઈ જશે. મુંબઈના દરિયાકાંઠા વિસ્તારમાં બનાવેલા રોડમાંથી અનેક રોડ ઉપર દરિયાના પાણી લહેરાશે. તો દરિયાકાંઠે બાંધેલ ગગનચુંબી ઈમારતો સુધી હાઈટાઈડ દરમિયાન દરિયાના પાણી પહોચી જશે.

મુંબઈના અનેક વિસ્તારો ડૂબશે

આરએમએસઆઈના સંશોધન રિપોર્ટ અનુસાર, હાજી અલી દરગાહ, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બાંદ્રા વર્લી સી લિંક, મરીન ડ્રાઈવ જેવા વિસ્તારો દરિયાના પાણીમાં ડૂબી જવાનો ઉલ્લેખ કરાયો છે. આઈપીસીસીના છઠ્ઠા ક્લાઈમેટ એસેસમેન્ટ રિપોર્ટના આધારે આરએમએસઆઈએ દ્વારા આ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

દરિયાના પાણી 2030થી ઘૂસશે, 2050 સુધીમાં ડૂબી જશે

દરિયાના પાણીમાં ડૂબવાની સ્થિતિ માત્ર મુંબઈ શહેર પૂરતી જ નહીં હોય. દેશના અન્ય શહેરો કે જે દરિયાકાંઠે આવેલા છે તે કોચી, મેંગલુરુ, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમ જેવા શહેરોના અનેક વિસ્તારો દરિયાના પાણીમાં ગરકાવ થવાની ધારણા છે. એક અહેવાલ અનુસાર, 1874 થી 2004 ની વચ્ચે ઉત્તરીય હિંદ મહાસાગરમાં પાણીનું સ્તર દર વર્ષે 1.06 થી 1.75 મી.મી. ના સ્તરે વધી રહ્યું છે. 1993થી 2017ના સમયગાળાની વાત કરીએ તો તેમાં 3.3 મી.મી.ના સ્તરે વધારો થઈ રહ્યો છે. 1874 અને 2005 ની વચ્ચે હિંદ મહાસાગર લગભગ એક ફૂટ જેટલો વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાની સપાટીમાં વધારો થવાનું સૌથી મહત્વનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. આ કારણોસર, જો તમે તેના પર નજર નાખો, તો તમને ખબર પડશે કે છેલ્લા ચાર વર્ષમાં દેશના પશ્ચિમ કિનારે વાવાઝોડા ફુંકાવાની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે.

આ શહેરો પણ ડૂબશે

નિષ્ણાતો માને છે કે 2050 સુધીમાં તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ કારણે વાવાઝોડાની માત્રા પણ ત્રણ ગણી વધશે. આવી સ્થિતિમાં ભારતના 12 શહેરોમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધી જશે. એક અંદાજ મુજબ ગુજરાતના ભાવનગરમાં 2.60 ફૂટ, ઓખામાં 1.96 ફૂટનો વધારો થવાની ગણતરી છે. તો કોચીમાં 2.32 ફૂટ, માર્માગાવમાં 2.06 ફૂટ, પારાદીપમાં 1.93 ફૂટ, મુંબઈમાં 1.90 ફૂટ, તુતીકોરિનમાં 1.93 ફૂટ, ચેન્નાઈમાં 1.87 ફૂટનો વધારો થશે. વિશાખાપટ્ટનમમાં 1.77 ફૂટ અને મેંગલુરુમાં 1.87 ફૂટ દરિયો ઉચો આવશે. 2050થી આ બધું થવામાં ભલે મોડું થઈ ગયું હોય, પણ વર્ષ 2100 સુધીમાં તે ચોક્કસ થઈ જશે. તેમ આ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">