AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સમીર વાનખેડેને ન મળ્યું એક્સટેન્શન, 31 ડિસેમ્બરે NCBમાંથી પૂરી થશે સેવા, વિવાદોમાં ઘેરાયેલો રહ્યો કાર્યકાળ

સમીર વાનખેડેએ NCB સાથેના તેમના કાર્યકાળ પહેલા AIUના ડેપ્યુટી કમિશનર અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના એડિશનલ એસપી તરીકે સેવા આપી હતી. બાદમાં તેમને કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને મુંબઈ એરપોર્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.

સમીર વાનખેડેને ન મળ્યું એક્સટેન્શન, 31 ડિસેમ્બરે NCBમાંથી પૂરી થશે સેવા, વિવાદોમાં ઘેરાયેલો રહ્યો કાર્યકાળ
NCB Officer Sameer Wankhede (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 6:25 AM
Share

ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede) નો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)માં કાર્યકાળ 31 ડિસેમ્બરે સમાપ્ત થશે. તેઓ તેમની મુદત પૂરી થયા પછી વધુ એક્સ્ટેંશન માંગશે નહીં. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે 96 લોકોની ધરપકડ કરી છે અને ઓગસ્ટ અને ડિસેમ્બર 2020 વચ્ચે કુલ 28 કેસ નોંધ્યા છે. 2021 માં તેઓએ 234 લોકોની ધરપકડ કરી, 117 કેસ નોંધ્યા છે. આશરે 1000 કરોડ રૂપિયાની 1791 કિલોથી વધુ દવાઓ અને  11 કરોડ રૂપિયાથી વધુની મિલકત જપ્ત કરી છે.

NCBના ઝોનલ ડિરેક્ટર તરીકે, વાનખેડેએ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) આત્મહત્યા પછી, ડ્રગ સિન્ડિકેટ સામે કાર્યવાહી કરી હતી, જેમાં કથિત રીતે બોલિવૂડની અનેક હસ્તીઓ (Bollywood celebrities) સામેલ હતી.

આ વર્ષે ઑક્ટોબરમાં, વાનખેડેની આગેવાની હેઠળની ટીમે મુંબઈના દરિયાકિનારે એક ક્રૂઝ જહાજ પર દરોડા દરમિયાન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ દરમિયાન અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની અન્ય લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી.

જો કે, પાછળથી દરોડા દરમિયાન NCB દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા સ્વતંત્ર સાક્ષીઓના ઓળખ અંગે પ્રશ્નો ઉભા થયા હતા. એવો પણ આરોપ છે કે NCB અધિકારીઓ દ્વારા શાહરૂખ ખાન પાસેથી પૈસા પડાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

સમીર વાનખેડેનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે

વાનખેડે NIAમાં એડિશનલ એસપી તરીકે કાર્યરત હતા

સમીર વાનખેડે NCB સાથેના તેમના કાર્યકાળ પહેલા એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ના ડેપ્યુટી કમિશનર અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના એડિશનલ એસપી તરીકે સેવા આપી હતી. બાદમાં તેમને કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને મુંબઈ એરપોર્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈ એર ઈન્ટેલિજન્સ યુનિટ સાથે કામ કરતી વખતે તેમણે ઘણા એવા સેલિબ્રિટીઓને પકડી પાડ્યા હતા જેઓ કસ્ટમ્સથી બચી રહ્યા હતા.

ઓગસ્ટ 2020 માં, તેઓ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસની તપાસ કરવા NCB પહોંચ્યા હતા. મામલો પોતાના હાથમાં લઈને તેમણે 33થી વધુ લોકોની ધરપકડ કરી હતી. તેમને 2021 માં કાર્યમાં ઉત્કૃષ્ટતા માટે ‘હોમ મિનિસ્ટર મેડલ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  Sheena Bora Murder: માતા ઈન્દ્રાણી મુખર્જીએ જેલમાંથી સીબીઆઈને લખેલા કથિત ‘પત્ર’ની વાર્તાનું સત્ય વાંચો ઇનસાઇડ સ્ટોરીમાં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">