AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈ-રિક્ષા ચાલકો માટે ખુશખબર, આ શહેરોમાં ઈંધણ માટે પ્રતિ કિલોમીટર ખર્ચ થશે માત્ર 1 રૂપિયો

પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે ઈ-વાહનોનો ક્રેઝ વધારવા માટે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પ્રયાસ કરી રહી છે. સરકારે ઈલેક્ટ્રિક વાહનો માટે નવી નીતિઓ અને યોજનાઓ હાલ શરૂ કરી છે.

ઈ-રિક્ષા ચાલકો માટે ખુશખબર, આ શહેરોમાં ઈંધણ માટે પ્રતિ કિલોમીટર ખર્ચ થશે માત્ર 1 રૂપિયો
E-Petrol Station (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 2:52 PM
Share

Maharashtra: મુંબઈ અને થાણેમાં ઈલેક્ટ્રિક વાહનો માટે (E Vehicle) પ્રતિ કિલોમીટર  માત્ર 1 રૂપિયાનો જ  ખર્ચ થશે. જ્યારે પેટ્રોલ (Petrol Vehicle) વાહનો માટે આ ખર્ચ દસ રૂપિયા છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ (Aaditya Thackeray) રવિવારે પ્રદૂષણ રોકવા અને સ્વચ્છ પર્યાવરણ માટે મહત્વની જાહેરાત કરી હતી.

તેમણે જાહેરાત કરી હતી કે હવેથી તમામ સરકારી વાહનો ઈલેક્ટ્રિક એન્જિન (Electric Engine) પર ચલાવવામાં આવે. તમને જણાવવુ રહ્યું કે આ યોજના એપ્રિલ 2022થી લાગુ થવાની હતી, પરંતુ હવે તેને 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી છે. આ બદલાયેલી પરિસ્થિતિ માત્ર પર્યાવરણને અનુકૂળ નથી, પરંતુ તે આર્થિક રીતે પણ પરવડે તેમ છે. આવી સ્થિતિમાં ઈલેક્ટ્રિક રિક્ષા (L5M) આગળ જતા રિક્ષા ચાલકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવાના પ્રયાસો

પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે ઈ-વાહનોનો ક્રેઝ વધારવા માટે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પ્રયાસ કરી રહી છે. સરકારે ઈલેક્ટ્રિક વાહનો માટે નવી નીતિઓ અને યોજનાઓ શરૂ કરી છે. આ પૈકી રોડ ટેક્સ, રજિસ્ટ્રેશન ફી સંપૂર્ણપણે માફ કરવાની યોજના બનાવવામાં આવી છે.

આ સાથે ઈલેક્ટ્રિક વાહનો લેનારાઓને 30 હજારની સબસિડી આપવાની યોજના છે. પેટ્રોલ અને ડીઝલ પર ચાલતી ઓટો-રિક્ષાઓ સીએનજી પર ફેરવવામાં આવી હતી. હવે સરકાર ઈચ્છે છે કે આ વાહનોને ઈલેક્ટ્રિક વાહનોમાં પરિવર્તિત કરવામાં આવે. જો આમ થશે તો મહારાષ્ટ્રના મુંબઈ, પૂણે, નાસિક, નાગપુર, ઔરંગાબાદ જેવા મહાનગરોમાં પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે

છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલ વાહનોના કારણે પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય સ્તરે પણ ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઈલેક્ટ્રિક વાહનોનું માર્કેટ પણ તેજ ગતિએ વધી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઈલેક્ટ્રિક વાહનોને લઈને સતત મોટી જાહેરાતો કરી રહ્યા છે.

આ પણ વાંચો : Maharashtra: મુંબઈના ઘાટકોપરમાં એક ગોડાઉનમાં લાગી આગ, ફાયરવિભાગની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">