AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai-Nagpur Bullet Train નું કામ ક્યારે આવશે ટ્રેક પર ? માર્ચ સુધી ડિટેઈલ પ્રોજેક્ટ રીપોર્ટની રાહ

મુંબઈથી નાગપુરના પ્રસ્તાવિત રેલ માર્ગના હવાઈ સર્વેક્ષણના આધારે વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. માર્ચ સુધીમાં ડીપીઆર રેલ્વે મંત્રાલયને સોંપવાની માહિતી છે. રેલવે મંત્રાલયની મંજૂરી બાદ કેન્દ્રીય કેબિનેટની મંજૂરી લેવામાં આવશે.

Mumbai-Nagpur Bullet Train નું કામ ક્યારે આવશે ટ્રેક પર ? માર્ચ સુધી ડિટેઈલ પ્રોજેક્ટ રીપોર્ટની રાહ
bullet train (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 7:27 PM
Share

મુંબઈ-નાગપુર હાઈ સ્પીડ બુલેટ ટ્રેન (Mumbai-Nagpur Bullet Train) રેલવે કોરિડોર પ્રોજેક્ટનો પ્રસ્તાવ 2019માં પસાર કરવામાં આવ્યો હતો. આ મુંબઈ– નાગપુર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અત્યાર સુધીમાં જાહેર કરાયેલા છ નવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંનો એક છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (National High Speed ​​Rail Corporation Ltd.) આ પ્રોજેક્ટ માટે વિગતવાર અહેવાલ (ડીપીઆર) તૈયાર કરી રહી છે. રેલ્વે લાઇનની અંતિમ ગોઠવણી ડિઝાઇન અને પ્રાથમિક રૂટ મેપ તૈયાર કરવા માટે એરિયલ સર્વે કરવામાં આવ્યો છે.

સપ્ટેમ્બર 2020માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. એરિયલ સર્વેનું કામ સિકોન અને હેલિકા જોઈન્ટ વેન્ચર કંપનીને આપવામાં આવ્યું હતું. 12 માર્ચ 2021ના રોજ શરૂ થયેલું આ કામ જુલાઈ 2021માં પૂર્ણ થયું હતું. આ હવાઈ સર્વેક્ષણ માટે હેલિકોપ્ટર પર અત્યાધુનિક લીડ ઈમેજરી સેન્સર લગાવવામાં આવ્યું હતું.

મુંબઈથી નાગપુર સુધીના પ્રસ્તાવિત રેલ માર્ગના હવાઈ સર્વેક્ષણ દ્વારા આપવામાં આવેલી માહિતીનું વિશ્લેષણ કરીને વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે. માર્ચ સુધીમાં ડીપીઆર રેલ્વે મંત્રાલયને સોંપવામાં આવે તેવી માહિતી છે. રેલવે મંત્રાલયની મંજૂરી બાદ કેન્દ્રીય કેબિનેટની મંજૂરી લેવામાં આવશે. આ પછી, મુંબઈ-નાગપુર હાઈ સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ ગ્રાઉન્ડ લેવલ પર શરૂ કરવામાં આવશે.

મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન સાતસો પચાસ મુસાફરોને લઈ જશે

જ્યારે મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન દોડવાનું શરૂ થશે, ત્યારે તે એક સાથે સાડા સાતસો મુસાફરોને લઈ જઈ શકશે. તે 741 કિલોમીટર સુધીનું અંતર કાપશે. માર્ગમાં, તે ખાપરી ડેપો, વર્ધા, પુલગાંવ, કારંજ લાડ, માલેગાંવ, જહાંગીર, મહેકર, જાલના, ઔરંગાબાદ, શિરડી, નાસિક, ઇગતપુરી અને શાહપુર સ્ટેશનો પર રોકાશે. આ રૂટ પર બુલેટ ટ્રેન 350 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થશે.

મુંબઈ-નાગપુર રૂટ પર સમૃદ્ધિ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં નાગપુરથી શિરડી વચ્ચેનો રસ્તો વાહનવ્યવહાર માટે ખોલવામાં આવશે. આ મુંબઈ-નાગપુર હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ આ હાઈવેની સમાંતર પ્રસ્તાવિત છે. ઔરંગાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં રેલવે પ્રાદેશિક નિયંત્રણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ માટે ઔરંગાબાદ જિલ્લામાં 111 કિલોમીટરનો ટ્રેક તૈયાર કરવામાં આવશે.

આ માટે જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવશે. આ હાઈસ્પીડ ટ્રેન ઔરંગાબાદ જિલ્લાના ત્રણ ગામોમાંથી પસાર થશે. આ માટે 167.96 હેક્ટર જમીનની જરૂર પડશે. 73.73 હેક્ટર ખાનગી જમીન અને 94.22 હેક્ટર જમીન સરકાર દ્વારા ઉપયોગમાં લેવાશે. હાલમાં લોકો ગ્રાઉન્ડ લેવલે પ્રોજેક્ટ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :  Maharashtra School Reopening: મહારાષ્ટ્ર 31 જાન્યુઆરી પછી શાળાઓ ખોલવા અંગે થશે વિચારણા, આરોગ્ય પ્રધાને આપી જાણકારી

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">