Mumbai Local Mega Block: લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર, જાણો સમગ્ર વિગતો

તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ લાઇન પર સવારે 10.55થી બપોરે 3.55 વાગ્યા સુધી મેગા બ્લોક રાખવામાં આવશે. આ મેગા બ્લોક હાર્બર લાઇન પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી રાખવામાં આવશે.

Mumbai Local Mega Block: લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર, જાણો સમગ્ર વિગતો
Mumbai Local Train (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 11:51 AM

Mumbai Local Mega Block:  મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. 30 જાન્યુઆરીના રોજ મુંબઈની લોકલ ટ્રેનોમાં 5 કલાકનો મેગા બ્લોક છે. ઉલ્લેખનીય છે કે, અલગ-અલગ રિપેરિંગ કામોને કારણે આ મેગા બ્લોક (Mega Block) સેન્ટ્રલ લાઈન અને હાર્બર લાઇનમાં રહેશે. મધ્ય રેલવે દ્વારા આ મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. આ મેગા બ્લોક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યાવિહાર સુધીની લાઇન પર મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત હાર્બર લાઇન પર પનવેલથી વાશી સુધીના આ મેગા બ્લોક રહેશે. જો કે આ દરમિયાન બેલાપુર-ખારકોપર-નેરુલ વચ્ચે સેવાઓ ચાલુ રહેશે. આ મેગા બ્લોકના કારણે એક્સપ્રેસ ટ્રેનને પણ અસર થઈ છે. કોલ્હાપુર જતી કોયના એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. મધ્ય રેલવે વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સમયે સેન્ટ્રલ લાઇન પર મેગા બ્લોક

મેગા બ્લોકના સમયની વાત કરીએ તો સેન્ટ્રલ લાઇન પર સવારે 10.55 થી બપોરે 3.55 સુધી મેગા બ્લોક રાખવામાં આવશે. જ્યારે હાર્બર લાઇન પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી મેગા બ્લોક રાખવામાં આવશે. મેગા બ્લોક દરમિયાન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ મધ્ય રેલવેએ ખેદ પણ વ્યક્ત કર્યો છે.

આ સેવાઓ શરૂ રહેશે

મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મેગા બ્લોક દરમિયાન, બેલાપુર-નેરુલ અને ખારકોપર વચ્ચેની ટ્રેનો તેમના સમયપત્રક અનુસાર ચાલતી રહેશે. આ ઉપરાંત બેલાપુર-ખારકોપર સ્ટેશનો વચ્ચેની સેવાઓ પણ ચાલુ રહેશે, પરંતુ નેરુલ-ખારકોપરની સેવાઓ રદ કરવામાં આવી છે. મધ્ય રેલવે દ્વારા મુસાફરોને આ અંગે માહિતી આપવામાં આવી છે.

કોયના એક્સપ્રેસ રદ

તમને જણાવી દઈએ કે, આ મેગાબ્લોકના કારણે એક્સપ્રેસ ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કોલ્હાપુર જતી કોયના એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેએ પણ પોતાના ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે.જો કે બપોરે 3.55 વાગ્યા બાદ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યાવિહાર ટ્રેક સુધી સેવાઓ સામાન્ય રહેશે.

આ પણ વાંચો : Omicron New Variant : મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના નવા વેરિઅન્ટે વધાર્યુ ટેન્શન, પુણેમાં BA.2 થી સંક્રમિત જોવા મળ્યા બાળકો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">