Mumbai Local Train: બોમ્બે હાઈકોર્ટનો ઠાકરે સરકારને સવાલ- જે લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે તેમને મુંબઈ લોકલમાં જવાની મંજૂરી કેમ નથી?
મંગળવારે યોજાયેલી આ સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને મુંબઈ લોકલમાં મુસાફરી કરવા માટે રસી લઈ લીધેલા લોકોને વહેલી તકે મંજૂરી આપવા માટે કહ્યુ છે. ગુરુવારે ફરી સુનાવણી છે. આવી પરીસ્થિતિમાં સામાન્ય મુસાફરો માટે ગુરુવારે (4 ઓગસ્ટ) મુંબઈ લોકલ શરૂ થવાની શક્યતા વધી છે.
જે લોકોએ કોરોનાની રસી લીધી છે, તેમને મુંબઈની લોકલ ટ્રેનો (Mumbai Local Train)માં મુસાફરી કરવાની મંજૂરી કેમ આપવામાં નથી આવી રહી? મુંબઈ હાઈકોર્ટે (Bombay High Court) મહારાષ્ટ્ર સરકાર (Mahavikas Aghadi Government)ને આ પ્રશ્ન પૂછ્યો છે. ઠાકરે સરકારે જે લોકોએ રસી લઈ લીધી છે, તેમને મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવા પર વિચાર કરવો જોઈએ. બોમ્બે હાઈકોર્ટે આ સૂચના ઠાકરે સરકાર (CM Uddhav Thackeray)ને આપી છે.
વકીલોને મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપવાના સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે આ સૂચના આપી હતી. મંગળવારે યોજાયેલી આ સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને મુંબઈ લોકલમાં મુસાફરી કરવા માટે રસી લઈ લીધેલા લોકોને વહેલી તકે મંજૂરી આપવા માટે કહ્યું છે. ગુરુવારે ફરી સુનાવણી છે. આવી પરીસ્થિતિમાં સામાન્ય મુસાફરો માટે ગુરુવારે (4 ઓગસ્ટ) મુંબઈ લોકલ શરૂ થવાની શક્યતા વધી છે.
વકીલોના સંગઠન દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વકીલોને મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની પરવાનગી આપવા માટે અપીલ કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન મુંબઈ હાઈકોર્ટે આ સૂચના ઠાકરે સરકારને આપી છે.
વકીલોનું કહેવું છે કે હવે કોર્ટમાં કામ પ્રત્યક્ષ રૂપે શરૂ થયું છે. આવી સ્થિતિમાં વકીલોને કોર્ટમાં આવવા માટે મુંબઈ લોકલ ટ્રેનની સુવિધા પૂરી પાડવી જોઈએ, જેથી તેઓ સમયસર કોર્ટમાં પહોંચી શકે. વકીલોની આ માંગ પર અંતિમ નિર્ણય મુખ્યમંત્રી લેશે, સરકારે આ માહિતી કોર્ટને આપી છે. સરકારે કોર્ટને એમ પણ કહ્યું છે કે કયા વકીલોને મુક્તિ આપવામાં આવશે, આ સંદર્ભે એક વિગતવાર અહેવાલ તૈયાર કરીને મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યો છે. જોકે, હાલમાં મુખ્યમંત્રીએ તેના પર હસ્તાક્ષર કર્યા નથી.
જે લોકોનું રસીકરણ થઈ ગયું છે તેમને મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપો- બોમ્બે હાઈકોર્ટ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે પરિસ્થિતિ થોડી અલગ છે. આ કારણોસર સરકારે માત્ર વકીલોને જ નહીં, પરંતુ રસી લઈ ચુંકેલા અન્ય વિસ્તારોના લોકોને પણ મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપવી જોઈએ.
#BombayHighCourt is hearing the plea by Bar Council of Maharashtra & Goa seeking directions to permit lawyers to travel by Mumbai Suburban local trains.
Hearing before Chief Justice Dipankar Datta and Justice GS Kulkarni. pic.twitter.com/FYqXH6C1TF
— Bar & Bench (@barandbench) August 2, 2021
સામાન્ય લોકો માટે ગુરુવારે થઈ શકે છે મુંબઈ લોકલનો નિર્ણય
હાઈકોર્ટે સરકારને કહ્યું કે સામાન્ય લોકો માટે લોકલ વગર મુસાફરી કરવી આર્થિક રીતે ખૂબ જ પીડાદાયક હોય છે તો સરકારે આ અંગે પણ વિચારવું જોઈએ. કોર્ટે રસ્તાઓની હાલત પર ધ્યાન દોરતા કહ્યું કે લોકોને પોતાના સ્થળે પહોંચવામાં 3 કલાક જેટલો સમય લાગે છે. ગુરુવારે આ વિશે હજી ફરી સુનાવણી છે. તમામની નજર ગુરુવારની સુનાવણી પર છે.
Court: Is there a comprehensive plan for near future? Because it is not like the roads are in a good condition. Look at the condition. It takes 3 hours one way.
— Bar & Bench (@barandbench) August 2, 2021
આ પણ વાંચો : Raj Kundra Case: પુરાવાનો નાશ કરી રહ્યો હતો રાજ કુંદ્રા, સરકારી વકીલે મુંબઈ હાઈકોર્ટમાં ધરપકડ માટેનું આપ્યુ કારણ