AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Local Train: મુંબઈ લોકલ એસી ટ્રેનનું ભાડું ટૂંક સમયમાં ઘટાડવામાં આવશે, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આપ્યા સંકેત

મધ્ય રેલવેમાં આજથી (19 ફેબ્રુઆરી) 36 નવી લોકલ ફેરી શરૂ થઈ રહી છે. આ 36 ફેરીમાંથી 34 એસી લોકલ ફેરી છે. આ લોકલ ટ્રેનો સીએસએમટીથી કલ્યાણ, બદલાપુર, અંબરનાથ, ટિટવાલા સુધી દોડશે.

Mumbai Local Train: મુંબઈ લોકલ એસી ટ્રેનનું ભાડું ટૂંક સમયમાં ઘટાડવામાં આવશે, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આપ્યા સંકેત
Mumbai AC Local Train - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 4:39 PM
Share

સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે ટ્રેક પર દોડતી મુંબઈ લોકલ એસી ટ્રેનના (Mumbai Local AC Train) ભાડામાં ઘટાડો થવા જઈ રહ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) તેના સંકેતો આપ્યા છે. એસી લોકલ ટ્રેનને વધુ ભાડાને કારણે મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. હાલમાં મધ્ય રેલવે પર 10 ફેરી શરૂ છે. આજથી (19 ફેબ્રુઆરી) વધુ 34 રાઉન્ડ શરૂ થયા છે. આવી સ્થિતિમાં યોગ્ય પ્રતિસાદ મેળવવા માટે સરકારે એસી લોકલના ભાડામાં ઘટાડો કરવાની જરૂરિયાત સમજી છે. આવી સ્થિતિમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત આપ્યા છે કે ભાડાનો દર એ રીતે રાખવામાં આવશે કે જેથી રેલવે મુસાફરો માટે તેમનો ખર્ચ ઉઠાવવામાં સરળતા રહે. આ ઉપરાંત તેમણે એવી ખાતરી પણ આપી હતી કે થાણે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે.

શુક્રવારે થાણે રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત થાણે અને દિવા વચ્ચેની પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇનનું ઉદ્ઘાટન અને 36 નવી લોકલ ફેરીઓ વધારવાના કામને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ 36 લોકલ ફેરીમાંથી 34 એસી ટ્રેનોની ફેરી હશે. આ કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતા રેલવે મંત્રીએ એસી લોકલનું ભાડું ઘટાડવાનો સકારાત્મક જવાબ આપ્યો હતો.

ભાડું ઘટાડવાનો મુદ્દો રેલવે બોર્ડની સામે

રેલવે મંત્રીએ કહ્યું કે ભાડું ઘટાડવાનો મુદ્દો રેલવે બોર્ડ સમક્ષ છે. મેટ્રો રેલવેના ભાડાની સરખામણીમાં તેનો દર કેટલો હોવો જોઈએ તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. થાણે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ પણ છેલ્લા કેટલાક વર્ષોથી પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે માત્ર ચર્ચા જ નહીં, આ વખતે રિડેવલપમેન્ટ નક્કર અને યોગ્ય દિશામાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે થાણે સ્ટેશનને ઐતિહાસિક રૂપ આપવામાં આવશે.

આજથી વધારવામાં આવેલી 36 ફેરી દોડશે

મધ્ય રેલવેમાં આજથી (19 ફેબ્રુઆરી) 36 નવી લોકલ ફેરી શરૂ થઈ રહી છે. આ 36 ફેરીમાંથી 34 એસી લોકલ ફેરી છે. આ લોકલ ટ્રેનો સીએસએમટીથી કલ્યાણ, બદલાપુર, અંબરનાથ, ટિટવાલા સુધી દોડશે. આ સિવાય 2 નોન એસી એટલે કે સામાન્ય લોકલ ટ્રેનો છે જે કુર્લાથી CSMT અને ડોમ્બિવલીથી દાદર સુધી દોડશે. હવે જોવાનું એ છે કે રેલવે બોર્ડ એસી લોકલ ટ્રેનના ભાડામાં કેટલો ઘટાડો કરે છે.

આ પણ વાંચો :  ‘સુશાંત સિંહ અને દિશા સાલિયાનની થઈ હત્યા, માતોશ્રીના ચારેય લોકો માટે EDની નોટિસ તૈયાર’, નારાયણ રાણેના ટ્વિટથી મહારાષ્ટ્રમાં ખળભળાટ 

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">