AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈગરાઓને આંશિક રાહત : છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ, UAE થી આવતા યાત્રીઓને મળી આ છૂટ

મુંબઈમાં દુબઈ સહિત UAEથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હવે ફરજિયાત સાત દિવસના હોમ ક્વોરેન્ટાઈન અને RT-PCRમાંથી મુક્તિ આપવામાં આવી છે.

મુંબઈગરાઓને આંશિક રાહત : છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ, UAE થી આવતા યાત્રીઓને મળી આ છૂટ
Mumbai Corona Update (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 11:20 AM
Share

Mumbai Corona Update : મુંબઈમાં ઘણા દિવસો બાદ કોરોના સંક્રમણમાં (Mumbai Corona Case) ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 10 હજારથી ઓછા કેસ નોંધાતા BMCએ રાહતનો શ્વાસ લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે એક દિવસમાં 11 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જો છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ક્રમશ વધારો જોવા મળી રહ્યો હતો. ત્યારે હાલ લાંબા સમય બાદ કોરોના કેસમાં (Corona) આંશિક રાહત જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 57,534 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 10 હજારથી ઓછા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ સાથે રિકવરી રેટ (Recovery Rate) સુધરીને 92% પર પહોંચી ગયો છે. આ સાથે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ દુબઈ સહિત સંયુક્ત આરબ અમીરાતથી(UAE) મુંબઈ આવનારા મુસાફરો માટે નિયંત્રણો પણ હળવા કરવામાં આવ્યા છે.

UAEથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના નિયમો હળવા

રવિવારે BMC દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં મુજબ, દુબઈ સહિત UAEથી આવતા મુસાફરો માટે હવેથી કોઈ ખાસ SOP લાગુ નહીં થાય. જોખમ ધરાવતા દેશો સિવાયના દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લાગુ પડતી માર્ગદર્શિકા જ હવેથી UAEથી આવતા પ્રવાસીઓને પણ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં દુબઈ સહિત UAEથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હવે સાત દિવસના હોમ ક્વોરેન્ટાઈન અને RT-PCR ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ નિયમ 17 જાન્યુઆરીની મધ્યરાત્રિથી લાગુ કરવામાં આવશે.

15 દિવસમાં શાળાઓ ફરી ખોલવાના એંધાણ

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ રવિવારે જણાવ્યુ હતુ કે, જો કોરોના સંક્રમણ ઘટવાનુ વલણ ચાલુ રહેશે તો રાજ્ય સરકાર આગામી 10-15 દિવસ પછી શાળાઓ ફરીથી ખોલવાનું વિચારશે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શાળાઓ ફરીથી ખોલવાની માગ ઉઠી રહી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, અમે 10-15 દિવસ પછી શાળાઓ ખોલવા અંગેવિચાર કરીશું કારણ કે બાળકોમાં સંક્રમણનો દર ખુબ ઓછો છે.

રાજ્યમાં કોરોનાની રફ્તાર યથાવત

તમને જણાવી દઈએ કે, રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 41 હજાર 327 નવા કેસ નોંધાયા છે. જો કે એક જ દિવસમાં 40 હજાર 386 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. આ સિવાય રવિવારે કોરોનાને કારણે 29 લોકોના મોત પણ થયા છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોનાનો આંકડો દરરોજ ચાલીસ હજારને પાર કરી રહ્યો છે.

આ પણ વાંચો : Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં ન ઘટી કોરોનાની રફતાર, આંકડો ફરી 41 હજારને પાર અને 29ના મોત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">