મુંબઈગરાઓને આંશિક રાહત : છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ, UAE થી આવતા યાત્રીઓને મળી આ છૂટ

મુંબઈમાં દુબઈ સહિત UAEથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હવે ફરજિયાત સાત દિવસના હોમ ક્વોરેન્ટાઈન અને RT-PCRમાંથી મુક્તિ આપવામાં આવી છે.

મુંબઈગરાઓને આંશિક રાહત : છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ, UAE થી આવતા યાત્રીઓને મળી આ છૂટ
Mumbai Corona Update (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 11:20 AM

Mumbai Corona Update : મુંબઈમાં ઘણા દિવસો બાદ કોરોના સંક્રમણમાં (Mumbai Corona Case) ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 10 હજારથી ઓછા કેસ નોંધાતા BMCએ રાહતનો શ્વાસ લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે એક દિવસમાં 11 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જો છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ક્રમશ વધારો જોવા મળી રહ્યો હતો. ત્યારે હાલ લાંબા સમય બાદ કોરોના કેસમાં (Corona) આંશિક રાહત જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 57,534 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 10 હજારથી ઓછા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ સાથે રિકવરી રેટ (Recovery Rate) સુધરીને 92% પર પહોંચી ગયો છે. આ સાથે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ દુબઈ સહિત સંયુક્ત આરબ અમીરાતથી(UAE) મુંબઈ આવનારા મુસાફરો માટે નિયંત્રણો પણ હળવા કરવામાં આવ્યા છે.

UAEથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના નિયમો હળવા

રવિવારે BMC દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં મુજબ, દુબઈ સહિત UAEથી આવતા મુસાફરો માટે હવેથી કોઈ ખાસ SOP લાગુ નહીં થાય. જોખમ ધરાવતા દેશો સિવાયના દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લાગુ પડતી માર્ગદર્શિકા જ હવેથી UAEથી આવતા પ્રવાસીઓને પણ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં દુબઈ સહિત UAEથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હવે સાત દિવસના હોમ ક્વોરેન્ટાઈન અને RT-PCR ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ નિયમ 17 જાન્યુઆરીની મધ્યરાત્રિથી લાગુ કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

15 દિવસમાં શાળાઓ ફરી ખોલવાના એંધાણ

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ રવિવારે જણાવ્યુ હતુ કે, જો કોરોના સંક્રમણ ઘટવાનુ વલણ ચાલુ રહેશે તો રાજ્ય સરકાર આગામી 10-15 દિવસ પછી શાળાઓ ફરીથી ખોલવાનું વિચારશે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શાળાઓ ફરીથી ખોલવાની માગ ઉઠી રહી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, અમે 10-15 દિવસ પછી શાળાઓ ખોલવા અંગેવિચાર કરીશું કારણ કે બાળકોમાં સંક્રમણનો દર ખુબ ઓછો છે.

રાજ્યમાં કોરોનાની રફ્તાર યથાવત

તમને જણાવી દઈએ કે, રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 41 હજાર 327 નવા કેસ નોંધાયા છે. જો કે એક જ દિવસમાં 40 હજાર 386 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. આ સિવાય રવિવારે કોરોનાને કારણે 29 લોકોના મોત પણ થયા છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોનાનો આંકડો દરરોજ ચાલીસ હજારને પાર કરી રહ્યો છે.

આ પણ વાંચો : Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં ન ઘટી કોરોનાની રફતાર, આંકડો ફરી 41 હજારને પાર અને 29ના મોત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">