AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: પૂર્વ કમિશનર પરમબીરસિંહ સામે છેતરપીંડી સહિતની IPC હેઠળ ચોથી ફરિયાદ દાખલ, ખોટી ફરિયાદનાં આધારે કરોડોની વસુલીનો આરોપ

પરમબીર સિંહ વિરુદ્ધ ચોથી એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. પરમવીર સિંહ સહિત 28 લોકો સામે ખંડણી, ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી

Mumbai: પૂર્વ કમિશનર પરમબીરસિંહ સામે છેતરપીંડી સહિતની IPC હેઠળ ચોથી ફરિયાદ દાખલ, ખોટી ફરિયાદનાં આધારે કરોડોની વસુલીનો આરોપ
Fourth complaint filed against former commissioner Parambir Singh under IPC, including fraud, alleging recovery of crores on the basis of false complaint
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 11:31 AM
Share

Mumbai: મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પરમવીર સિંહ (Paramvir Singh) પર ગાળિયો કસાઈ રહ્યો છે. થાણેમાં પરમબીર સિંહ વિરુદ્ધ ચોથી એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. પરમવીર સિંહ સહિત 28 લોકો સામે ખંડણી, ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆરમાં પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા (Encounter Specialist), ડીસીપી દીપક દેવરાજ, એનટી કદમ અને રાજકુમાર કોથમિરે સહિત 28 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

અકબર પઠાણ પરાગ મનરે બાદ હવે ડીસીપી દીપક દેવરાજ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ ચોથી FIR બુકી કેતન તન્ના અને સોનુ જાલાન (Ketan Tanna Complaint To Paramvir Singh) ની ફરિયાદ પર નોંધવામાં આવી છે. આરોપ છે કે પોલીસે ગેંગસ્ટર રવિ સાથે મળીને બનાવટી કેસ કર્યો હતો. આ પછી, કેતન તન્ના પાસેથી 1 કરોડ 25 લાખ રૂપિયા, સોનુ જાલાન પાસેથી 3 કરોડ 45 લાખ રૂપિયા અને કિરણ માલા પાસેથી 1 કરોડ 50 લાખ રૂપિયા કાર્યવાહી કરવામાં ન આવ્યા અને આરોપીઓની યાદીમાંથી નામ કાઢી નાખ્યા.

પરમબીર સિંહ પર કરોડો વસૂલવાના આરોપી આ કેસમાં રિયાઝ ભાટીનું નિવેદન પણ નોંધાયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય પુનમિયાએ પરમબીર સિંહ મારફતે આરોપીઓની યાદીમાંથી દૂર નહીં કરવાનું વચન આપીને તેમની પાસેથી દોઢ કરોડ રૂપિયા વસૂલ્યા હતા. રિયાઝ ભાટીએ દાવો કર્યો હતો કે સંજય પુમાનિયાએ તેમની સામે ફોન પર પરમબીર સિંહ સાથે વાત કરી હતી.

આ જ મહિનામાં પરમબીર સિંહ સામે ત્રીજી એફઆઈઆર પણ નોંધાઈ હતી. હવે તેની સામે ચોથી FIR નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને અન્ય 5 પોલીસ અધિકારીઓ સામે નોંધાયેલા કેસની તપાસ માટે SIT ની રચના કરવામાં આવી હતી. ડીસીપી કક્ષાના અધિકારીને આ તપાસ ટીમના વડા બનાવવામાં આવ્યા છે.

જ્યારે એસીપી કક્ષાના અધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. એટલું જ નહીં, આ જ ટીમ ફરિયાદ નોંધાવનાર શ્યામસુંદર અગ્રવાલ સામે જુહુ પોલીસ સ્ટેશનમાં MCOCA હેઠળ નોંધાયેલા કેસની પણ તપાસ કરશે. અગ્રવાલ પર છોટા શકીલ સાથે સંબંધ હોવાનો આરોપ છે.

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">