AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Corona: મુંબઈમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું, નવેમ્બરમાં હતો કંટ્રોલ પરંતુ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી બગડવા લાગી છે સ્થિતિ

1 થી 7 ડિસેમ્બરની વચ્ચે મુંબઈમાં કોરોનાના 1 હજાર 189 નવા કેસ નોંધાયા છે. 8 થી 14 ડિસેમ્બરની વચ્ચે કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1 હજાર 224 થઈ ગઈ છે. 15 થી 19 ડિસેમ્બરની વચ્ચે એટલે કે આ પાંચ દિવસમાં કોરોના સંક્રમિતના નવા કેસ 1 હજાર 391 પર પહોંચી ગયા છે.

Mumbai Corona: મુંબઈમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું, નવેમ્બરમાં હતો કંટ્રોલ પરંતુ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી બગડવા લાગી છે સ્થિતિ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 7:24 PM
Share

મુંબઈ (Mumbai) માં ફરી એકવાર કોરોના સંક્રમણ વધ્યું છે. નવેમ્બરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો હતો, પરંતુ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી ફરી કોરોના સંક્રમણ (New Cases Of Corona) વધવા લાગ્યું. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહની સરખામણીએ આ અઠવાડિયે 16 ટકા વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા પણ એક ટકાથી વધુ થઈ ગઈ છે. મુંબઈમાં કોરોનાની બીજી લહેરની અસર (second wave of Corona) ઓક્ટોબરથી ઓછી થવા લાગી હતી. નવેમ્બરથી, દરરોજ આવતા નવા કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થવા લાગ્યો હતો.

નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં દરરોજ અઢીસો જેટલા દર્દીઓ આવતા હતા. મહિનાના અંત સુધીમાં આ સંખ્યા ઘટીને 200 થઈ ગઈ હતી. ડિસેમ્બરના બીજા અઠવાડિયાથી, કોરોના સંક્રમિતોની સંખ્યા ધીમે ધીમે ફરી એકવાર વધવા લાગી. ડિસેમ્બરના ત્રીજા અઠવાડીયાથી આ સંખ્યા વધીને 250 કેસથી પણ વધવા લાગી છે. રવિવારે મુંબઈમાં નવા કેસનો આંકડો 300ને વટાવી ગયો છે.

પ્રથમ સપ્તાહની સરખામણીએ ત્રીજા સપ્તાહમાં કોરોનાના કેસમાં 16 ટકાનો વધારો થયો છે

1 થી 7 ડિસેમ્બરની વચ્ચે મુંબઈમાં કોરોનાના 1 હજાર 189 નવા કેસ નોંધાયા છે. 8 થી 14 ડિસેમ્બરની વચ્ચે કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1 હજાર 224 થઈ ગઈ છે. 15 થી 19 ડિસેમ્બરની વચ્ચે એટલે કે આ પાંચ દિવસમાં કોરોના સંક્રમિતના નવા કેસ 1 હજાર 391 પર પહોંચી ગયા છે. આ રીતે પહેલા અઠવાડિયાની સરખામણીએ ત્રીજા સપ્તાહમાં કોરોનાના કેસમાં 16 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 0.70 ટકા એટલે કે એક ટકાથી ઓછી હતી. પરંતુ ત્રીજા સપ્તાહમાં આ સંખ્યા વધીને એક ટકાથી વધુ થઈ ગઈ.

ઓમિક્રોનના જોખમનું સાચું અનુમાન નવા વર્ષમાં જાણી શકાશે

આ દરમિયાન કોરોનાના નવા વેરીઅન્ટ ઓમીક્રોન (Omicron)  ની વાત કરીએ તો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ઓમીક્રોનનું સંક્રમણ આંતરરાષ્ટ્રીય પ્રવાસિઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોમાં જોવા મળ્યો છે.

તેથી, હાલમાં ઓમિક્રોન સંક્રમણનો ફેલાવો મર્યાદિત છે. આના વિશે એવું કહી શકાય નહીં કે આ આખા સમાજમાં ફેલાઈ ગયો છે. પરંતુ સંક્રમણથી બચવા માટે કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી બાદ 15 જાન્યુઆરીની આસપાસ સંક્રમણ કેટલી ઝડપથી ફેલાય છે, તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર TET કૌભાંડ: રાજ્ય પરીક્ષા કમિશ્નરના ઘરેથી દોઢ કરોડની રોકડ અને દોઢ કિલો સોનું ઝડપાયું, પૂણે પોલીસની કાર્યવાહી

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">