AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Corona Alert: છેલ્લા 4 દિવસમાં 338 ડોક્ટર કોરોનાથી સંક્રમિત, ગૃહપ્રધાનના સ્ટાફના 4 કર્મચારી પણ પોઝિટીવ

મહારાષ્ટ્ર સ્ટેટ એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સના અધ્યક્ષ ડો. અવિનાશ દહિફલેએ કહ્યું કે છેલ્લા 4 દિવસમાં અલગ અલગ હોસ્પિટલના કુલ 338 રેસિડેન્ટ ડોક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.

Mumbai Corona Alert: છેલ્લા 4 દિવસમાં 338 ડોક્ટર કોરોનાથી સંક્રમિત, ગૃહપ્રધાનના સ્ટાફના 4 કર્મચારી પણ પોઝિટીવ
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 10:50 AM
Share

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના (Corona in Mumbai)ની સ્થિતિ ગંભીર થઈ રહી છે. ગુરૂવારે મુંબઈમાં કોરોના વાઈરસના નવા 20,000થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 4 દિવસમાં જ અલગ અલગ હોસ્પિટલના કુલ 338 રેસીડેન્ટ ડોક્ટર (Resident Doctors Corona Positive) કોરોના સંક્રમિત થયા છે. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન દિલિપ વાલસે પાટિલ (Home Minister Dilip Walse Patil)ના સ્ટાફના ચાર સભ્યો પણ કોરોના સંક્રમિત થયા છે.

મહારાષ્ટ્ર સ્ટેટ એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સના અધ્યક્ષ ડો. અવિનાશ દહિફલેએ કહ્યું કે છેલ્લા 4 દિવસમાં અલગ અલગ હોસ્પિટલના કુલ 338 રેસિડેન્ટ ડોક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને ગૃહપ્રધાન દિલિપ વાલસે પાટિલના સ્ટાફના 4 સભ્યો પણ કોરોના સંક્રમિત થયા છે. રાજ્યના ગૃહપ્રધાન કાર્યાલયે કહ્યું કે મંત્રીના આવાસ પર રહેનારા લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

મુંબઈમાં 20,000થી વધારે નવા કેસ, 4 લોકોના મોત

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં માત્ર મુંબઈમાં કોરોના વાઈરસના 20,181 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે 4 લોકોના મોત થયા છે. મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 79,260 પર પહોંચી છે. મુંબઈમાં પોઝિટિવીટી રેટ 29.90 ટકા નોંધવામાં આવ્યો છે.

સતત વધી રહેલા કેસોની વચ્ચે કોરોના ટેસ્ટ પણ ઝડપથી કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67,000 સેમ્પલ લેવામાં આવ્યા. જેમાંથી 20,181 સેમ્પલ પોઝિટીવ આવ્યા છે. આ જાણકારી બીએમસી તરફથી આપવામાં આવી છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમણનું હોટસ્પોટ બનેલા ધારાવીમાં આજે 107 નવા કેસ નોંધાયા છે. બીએમસીએ જણાવ્યું કે આ એક દિવસમાં સૌથી વધારે કેસ છે. ધારાવીમાં કુલ કેસ 7,626 સુધી પહોંચી ગયા છે.

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 36,265 નવા કેસ નોંધાયા છે. ત્યારે 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની વાત એ છે કે 24 કલાકમાં 8,907 લોકોને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ પણ ઝડપથી ફેલાઈ રહ્યા છે.

આ પણ વાંચો: Corona case in India : 7 મહિના પછી માત્ર 8 દિવસમાં કોરોના કેસ 10 હજારથી વધીને 1 લાખ , PM MODI સંબોધશે રાજ્યનાં CM સાથે બેઠક

આ પણ વાંચો: PM Security Breach: શું છે પીએમ મોદીની સુરક્ષામાં થયેલા ભંગની સંપૂર્ણ આંતરિક વાર્તા, વાંચો Exclusive Report

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">