AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ન માથા ઉપર છત કે ન તો ખિસ્સામાં પૈસા ! કેન્સરના સેંકડો દર્દીઓ મુંબઈમાં ફૂટપાથ પર રહેવા મજબૂર

દેશભરમાંથી કેન્સરના દર્દીઓ મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં (Tata Memorial Hospital)સારવાર માટે આવે છે. લોકોને અહીં સારી સારવાર તો મળે છે પણ સાથે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Maharashtra : ન માથા ઉપર છત કે ન તો ખિસ્સામાં પૈસા ! કેન્સરના સેંકડો દર્દીઓ મુંબઈમાં ફૂટપાથ પર રહેવા મજબૂર
Cancer Patients living on footpaths
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 8:48 AM
Share

Maharashtra :  મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં (Tata Memorial Hospital)સારવાર માટે દેશભરમાંથી કેન્સરના દર્દીઓ આવે છે. લોકોને અહીં સારી સારવાર મળી રહી છે, પરંતુ સાથે તેઓ કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. લોકો મહિનાઓ સુધી ફુટપાથ (Footpath) રહેવા મજબુર બન્યા છે, જે તેમના સ્વાસ્થ્યને અસર કરે છે. ઉપરાંત ચોમાસામાં આ દર્દીઓએ ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્વાલિયરના દર્દી જીતેન્દ્રએ (Jitendra) જણાવ્યુ કે, “લોકો અમને ખાવાનું આપે છે નહીંતર, અમારે ખાલી પેટ પર સૂવાનો વારો આવે છે.” બિહારના કેન્સરના દર્દીની તિમિદાર સુમિત્રા સાહ કટિહારએ કહ્યું કે, ” મારા પતિની સારવાર માટે અમે અત્યાર સુધી 2.5 લાખ રૂપિયા ખર્ચ્યા છે. અમે ફુટપાથ પર 4 મહિનાથી વધુ સમયથી રહીએ છીએ,જેને કારણે અમારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પિતાની સારવાર માટે પુત્રએ શિક્ષણ છોડી દીધું

તમને મુંબઈની આ ફૂટપાથ પર સેંકડો કેન્સર દર્દીઓ જોવા મળશે, જે હાલાકી ભોગવવા મજબુર બન્યા છે. બિહારની સીમા દેવી તેના પતિના કેન્સરની સારવાર માટે ચાર મહિનાથી મુંબઈમાં રહે છે. પહેલા તેમને એક શાળામાં આશરો આપવામાં આવતો હતો, પરંતુ હવે શાળા ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે, તેથી તેમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે. પિતાની સારવારને કારણે હાલ પુત્રનો અભ્યાસ પણ છુટી ગયો છે.

ઓછા ખર્ચમાં સારવાર થતી હોવાથી લોકો મુંબઈ આવે છે

મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં (Tata Memorial Hospital)સારવાર પાછળ ઓછા પૈસા ખર્ચવાને કારણે, લોકો સારવાર માટે મુંબઈ આવતા હોય છે,પરંતુ સારવાર સાથે તેણે કેટલીક મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત હોસ્પિટલમાં કોઈપણ સમયે દર્દીઓને બોલાવવામાં આવતા હોવાથી, લોકો હોસ્પિટલની બહાર ફુટપાથ પર જ રહેવા મજબુર બન્યા છે.

આ પણ વાંચો: મારી પાસે પણ કૃષિ મંત્રાલય હતુ, પરંતુ ખેડુતોને ઉપજ ફેંકવાની નોબત નહોતી આવી : શરદ પવાર

આ પણ વાંચો: Maharashtra : અનિલ દેશમુખને લઈને લુક આઉટ નોટીસ જાહેર, હવે દેશ છોડી નહી શકે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">