AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ભીડ ભારે પડશે : પુણેના જયસ્તંભ લશ્કરી સ્મારક પહોંચ્યા હજારો લોકો, પાંચ મુલાકાતીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે પુણે જિલ્લામાં જયસ્તંભ લશ્કરી સ્મારકની મુલાકાત લેનારા 5,000 થી વધુ વ્યક્તિઓમાંથી 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ ભીડ ભારે પડશે : પુણેના જયસ્તંભ લશ્કરી સ્મારક પહોંચ્યા હજારો લોકો, પાંચ મુલાકાતીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ
Five visitors infected from covid 19
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 11:31 AM
Share

Maharashtra : કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ (Corona) માથુ ઉંચક્યુ છે. ત્યારે સરકાર દ્વારા પણ કોરોના ગાઈડલાઈન્સનું (Corona Guidelines) પાલન કરવા માટે લોકોને કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો બેદરકાર બનીને કોરોના નિયમોને નેવે મુકતા જોવા મળી રહ્યા છે. પૂણેના (Pune) જયસ્તંભ લશ્કરી સ્મારક પહોંચેલા હજારો લોકોમાંથી 5 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવતા હાલ ખળભળાટ મચી ગયો છે.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે જિલ્લામાં જયસ્તંભ લશ્કરી સ્મારકની મુલાકાત લેનારા 5,000 થી વધુ વ્યક્તિઓમાંથી 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Covid-19 Positive) આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કોરેગાંવ ભીમા યુદ્ધની 204મી વર્ષગાંઠ નિમિત્તે લાખો લોકો આ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.

5000 થી વધુ લોકોના ટેસ્ટ થયાઃ SP દેશમુખ

પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક અભિનવ દેશમુખે (Abhinav Deshmukh) જણાવ્યું હતું કે, “પાર્કિંગ એરિયામાં થર્મલ સ્ક્રિનિંગ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ હતી. ઉપરાંત કેટલાક લોકોનો રેપિડ એન્ટિજન ટેસ્ટ (Rapid Antigen Test) પણ કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યુ કે, સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 5,765 પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

પુણે જિલ્લા પરિષદના CEO આયુષ પ્રસાદે કહ્યું કે, 5 લોકો કોરોના સંક્રમિત થયા છે, જેમાંથી 2 લોકો નાસિકના રહેવાસી છે. આ મામલે હાલ નાસિક જિલ્લા પ્રશાસનને પણ જાણ કરવામાં આવી છે. બાકીના ત્રણ લોકો પુણે જિલ્લાના છે. તમને જણાવી દઈએ કે, તેમાંથી એક વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઈન હેઠળ છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને સંસ્થાકીય કોરોન્ટાઈન હેઠળ રાખવમાં આવ્યા છે.

લોકોની બેદરાકરી તંત્રને ભારે પડશે

કોરોના નિયમોને લઈને CEO પ્રસાદે કહ્યું કે વહીવટીતંત્રે અપીલ કરી છે કે વરિષ્ઠ નાગરિકો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ નહીં. પરંતુ ઘણા લોકો તેમના પરિવાર સાથે આવ્યા હતા અને વરિષ્ઠ નાગરિકો અને બાળકોને પણ સાથે લાવ્યા હતા. કેટલાક લોકોએ માસ્ક પહેર્યા ન હતા, તેમજ ઘણી જગ્યાએ સામાજિક અંતરનું પાલન કરવામાં આવ્યું ન હતું. ત્યારે હાલ કોરોનાના તાંડવ વચ્ચે લોકોની બેદરાકરી તંત્રને ભારે પડી શકે છે.

આ પણ વાંચો : MSRTC Strike: મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓની હડતાલને કોરોનાનું કલંક, પોલીસે આઝાદ મેદાનમાંથી ઉઠાવ્યા

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">