AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Local Train: મુંબઈની લોકલમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર, એસી લોકલના ભાડામાં થયો આટલો ઘટાડો

મુંબઈ એસી લોકલ (Mumbai Local) ટ્રેનના ટિકિટના દરમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ માહિતી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) આજે (29 એપ્રિલ, શુક્રવાર) નાગપુરમાં આપી હતી.

Mumbai Local Train: મુંબઈની લોકલમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર, એસી લોકલના ભાડામાં થયો આટલો ઘટાડો
Mumbai AC Local (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 7:08 PM
Share

મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai local train) મુસાફરી કરનારાઓ માટે મોટી રાહતના સમાચાર છે. મુંબઈગરાઓની ભારે માંગને ધ્યાનમાં રાખીને, એસી લોકલ ટ્રેનની ટિકિટના દરમાં મોટો કાપ (Mumbai AC Local Train Ticket Rates Cut) જાહેર કરવામાં આવ્યો છે. મુંબઈ એસી લોકલ ટ્રેનના ટિકિટના દરમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ માહિતી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે (29 એપ્રિલ, શુક્રવાર) નાગપુરમાં આપી હતી. તેમણે મુંબઈ એસી લોકલ ટ્રેનના ટિકિટના દરમાં ઘટાડો કરવા બદલ કેન્દ્ર સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન રાવસાહેબ દાનવેનો આભાર માન્યો હતો.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘મુંબઈવાસીઓની સતત માંગ હતી કે એસી લોકલ શરૂ કરવામાં આવી છે, પરંતુ ટિકિટ ખૂબ મોંઘી છે. જેના કારણે લોકો તેમાં મુસાફરી કરતા નથી. આજે ટિકિટના દરમાં 50 ટકાનો ઘટાડો કરવાનો સારો નિર્ણય લેવામાં આવ્યો છે. મને ખાતરી છે કે ધીમે ધીમે એસી લોકલ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધશે, મુંબઈવાસીઓ પણ તેમને મળેલી સારી મુસાફરી સુવિધાઓનો પૂરો લાભ લઈ શકશે.

ટિકિટના ઊંચા દરને કારણે મુંબઈકરોએ અત્યાર સુધી યોગ્ય પ્રતિસાદ આપ્યો ન હતો.

દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ આની જાહેરાત કરતા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું કે ભારતીય રેલ્વે બોર્ડે ટિકિટના દરમાં ઘટાડો કરવાની મંજૂરી આપી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાંચ કિલોમીટર સુધીની મુસાફરીનું ભાડું જે પહેલા 65 રૂપિયા હતું, તે હવે માત્ર 30 રૂપિયા રહેશે. ટિકિટનો દર પહેલાની જેમ કિલોમીટરના આધારે નક્કી કરવામાં આવશે. ડિસેમ્બર 2017માં મુંબઈમાં એસી લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. ભારતની આ પ્રથમ એસી લોકલ ટ્રેન પશ્ચિમ રેલવેમાં બોરીવલીથી ચર્ચગેટ રૂટ પર દોડાવવામાં આવી હતી. બાદમાં તેને અન્ય રૂટ પર પણ ચલાવવામાં આવી હતી. પરંતુ ઊંચા ભાડાને કારણે મુંબઈવાસીઓ તેમાં ઘણી ઓછી સંખ્યામાં મુસાફરી કરી રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ માટે રાજ્ય સરકાર જવાબદાર – ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં મોંઘા પેટ્રોલ અને ડીઝલના મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી, સાથે જ મુંબઈ એસી લોકલ માટે ટિકિટના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ફડણવીસે કહ્યું કે આ સરકારે પેટ્રોલ અને ડીઝલમાં વેટથી 1 લાખ 20 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

આવી સ્થિતિમાં રાજ્ય સરકાર ઇચ્છે તો પડોશી રાજ્યો (ગુજરાત, ગોવા અને દમણ અને દીવ)ની જેમ ઇંધણના દરમાં ઘટાડો કરી શકે છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર કરતાં 15 રૂપિયા ઓછા ભાવે ઈંધણ મળી રહ્યું છે. ભાજપ શાસિત તમામ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા છે. પરંતુ મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારને માત્ર બહાના કાઢતા આવડે છે. શા માટે આ સરકાર વેટમાં થોડો ઘટાડો કરીને ઈંધણના ભાવમાં ઘટાડો નથી કરી રહી?

દેવેન્દ્ર ફડણવીસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર સ્પષ્ટપણે જૂઠું બોલી રહી છે કે GSTમાં મહારાષ્ટ્રના હિસ્સાની બાકી રકમ કેન્દ્ર સરકાર ચૂકવતી નથી. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે મહારાષ્ટ્ર સરકાર જે રકમની વાત કરી રહી છે તે જુલાઈ-ઓગસ્ટમાં આવવાની છે. એટલે કે કેન્દ્ર પાસે કોઈ રકમ બાકી નથી.

આ પણ વાંચો :  Navneet Rana Case: નવનીત રાણાના જામીન પર આજે કોઈ નિર્ણય નહીં, મુંબઈ સેશન્સ કોર્ટ આવતીકાલે કરશે રાણા દંપતી પર સુનાવણી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">