AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MSRTCના કર્મચારીઓની હડતાલને લઈને ઉદ્ધવ સરકારનું આકરુ વલણ, વધુ 238 કર્મચારીઓને કરાયા સસપેન્ડ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ MSRTC કર્મચારીઓને હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરીને કહ્યુ હતુ કે, આ હડતાલથી ગરીબોને સૌથી વધુ અસર થઈ રહી છે.

MSRTCના કર્મચારીઓની હડતાલને લઈને ઉદ્ધવ સરકારનું આકરુ વલણ, વધુ 238 કર્મચારીઓને કરાયા સસપેન્ડ
MSRTC Strike
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 2:38 PM
Share

MSRTC Strike:  મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)  ના કર્મચારીઓની હડતાલને (Strike) પગલે ઉદ્ધવ સરકારે આકરુ વલણ અપનાવ્યુ છે. શુક્રવારે નિગમના 238 કર્મચારીઓને આ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના અધિકારીએ (Corporation Officer) જણાવ્યું કે 2,296 દૈનિક વેતન કામદારોને નોટિસ મોકલવામાં આવી છે અને પ્રથમ તબક્કામાં 238 કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. જો હજુ પણ હડતાળ પાછી નહીં ખેંચાય અને લોકો કામ પર પાછા નહીં ફરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીના જણાવ્યા મુજબ આ સપ્તાહની શરૂઆતમાં, 2,584 દૈનિક વેતન કામદારોમાંથી, કુલ 2,296 ને 24 કલાકની અંદર કામ પર પાછા ફરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ માત્ર 32 કામદારો જ કામ પર પાછા ફર્યા હતા,જેથી શુક્રવારે વધુ 238 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 2,776 કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનને રાજ્ય સરકાર(State Government)  સાથે મર્જ કરવાની માંગણી સાથે MSRTC કર્મચારીઓ છેલ્લા એક મહિનાથી હડતાળ પર છે.

હડતાલ ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહેશે

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) ના કર્મચારીઓ નિગમને રાજ્ય સરકાર સાથે મર્જ કરવાની તેમની માંગ પર અડગ છે, જેના કારણે તમામ ડેપો પર બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના તમામ 250 ડેપોએ આંદોલનને કારણે કામગિરી બંધ કરવાની ફરજ પડી છે.

MSRTCના અધિકારીના જણાવ્યા અનુસાર, તમામ 250 ડેપો પર બસની કામગીરી સ્થગિત કરવામાં આવી છે, જોકે ઘણા વર્કશોપ કામદારોએ ફરીથી કામ શરૂ કર્યું છે. કર્મચારીઓએ 28 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળ શરૂ કરી હતી અને આ મહિનાની શરૂઆતમાં આ હડતાલ વધુ તીવ્ર બની હતી. કર્માચારીઓ તેમની માંગ સાથે અડગ છે,બીજી તરફ નિગમ વિલીનીકરણ માટે ઈનકાર કરી રહી છે.

આ પણ વાંચો: Maharashtra Election : વિધાન પરિષદની ચૂંટણી માટે શિવસેનાએ સુનિલ શિંદેના નામ પર લગાવી મહોર ! આદિત્ય ઠાકરે માટે બેઠક છોડી હતી

આ પણ વાંચો: Viral Video: મહારાષ્ટ્રમાં જોવા મળ્યો અદ્ભુત નજારો, જંગલમાં એક સાથે જોવા મળ્યા 6 વાઘ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">