AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યમાં આજથી મિની લોકડાઉન શરૂ, જાણો સમગ્ર વિગત

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 44 હજાર 388 નવા કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ ઓમિક્રોનના કેસ પણ વધીને 1216 થયા છે.

કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યમાં આજથી મિની લોકડાઉન શરૂ, જાણો સમગ્ર વિગત
mini lockdown impose in maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 2:30 PM
Share

Maharashtra Lockdown:  મહારાષ્ટ્રમાં કોરોનાના(Corona Case)  વધતા સંક્રમણ અને ઓમિક્રોનની(Omicron)  વધતી જતી આફતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજથી કોરોનાની નવી માર્ગદર્શિકા(Corona Guidelines) હેઠળ નવા નિયમો અને નિયંત્રણો લાગુ કર્યા છે. આજથી દિવસ દરમિયાન કલમ 144 અમલમાં છે અને રાત્રે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં છે.

મહારાષ્ટ્રમાં આજથી કડક પ્રતિબંધો લાગુ

મહારાષ્ટ્રમાં આજથી કોરોના સંબંધિત નવા નિયમો અને નિયંત્રણો લાગુ થઈ ગયા છે. રાજ્યમાં આજથી કલમ 144 લાગુ પણ લાગુ કરવામાં આવી છે. આ નવા નિયંત્રણો નુજબ, શાળા કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. ઉપરાંત મુસાફરીને લગતા નવા નિયમો પણ અમલમાં આવ્યા છે. આ અંતર્ગત ડોમેસ્ટિક ફ્લાઈટ, ટ્રેન, રોડ પર મુસાફરી માટે 75 કલાક પહેલા Rt-Pcr રિપોર્ટ અથવા સંપૂર્ણ રસીકરણ હોવું જરૂરી રહેશે.તેમજ મુંબઈ લોકલ ટ્રેન અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા માટે સંપૂર્ણ રસીકરણ (Fully Vaccination) કરાવવું જરૂરી રહેશે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના (Corona Case in Maharashtra) 44 હજાર 388 નવા કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોના મોત થયા છે. બીજી તરફ પુણેમાં પણ કોરોના સંક્રમણ એક દિવસમાં બમણું થઈ ગયુ છે. રવિવારે પુણેમાં (Pune) 4 હજાર 29 કેસ નોંધાયા હતા. તેમજ એક દર્દીનું મોત થયું હતું. જો શનિવારની વાત કરવામાં આવે તો પૂણેમાં 2475 કેસ નોંધાયા હતા. ઉપરાંત નાગપુર જિલ્લામાં પણ કોરોનાએ માથુ ઉંચક્યુ છે. નાગપુર જિલ્લામાં હાલ 3345 એક્ટિવ કેસ છે.

મુંબઈના ધારાવીએ ફરી ચિંતા વધારી

મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસ વીસ હજારને પાર પહોંચી ગયા છે. ત્રણ દિવસ સુધી આંકડો વીસ હજારને વટાવી રહ્યો હતો પરંતુ રવિવારે અહીં 19 હજાર 474 કેસ મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તમને જણાવી દઈએ કે, મુંબઈના (Mumbai) ધારાવી, દાદર અને માહિમમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. શનિવારે ધારાવીમાં 147 કેસ નોંધાયા હતા. જ્યારે દાદર અને માહિમમાં 213 અને 214 કેસ નોંધાયા છે. હાલમાં, ધારાવીમાં પોઝિટિવિટી રેટ 21 ટકા જેટલો છે.

આ પણ વાંચો: કોરોનાનો અજગરી ભરડો: મુંબઈમાં 18 IPS ઓફિસર સહિત 114 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">