AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યમાં આજથી મિની લોકડાઉન શરૂ, જાણો સમગ્ર વિગત

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 44 હજાર 388 નવા કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ ઓમિક્રોનના કેસ પણ વધીને 1216 થયા છે.

કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યમાં આજથી મિની લોકડાઉન શરૂ, જાણો સમગ્ર વિગત
mini lockdown impose in maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 2:30 PM
Share

Maharashtra Lockdown:  મહારાષ્ટ્રમાં કોરોનાના(Corona Case)  વધતા સંક્રમણ અને ઓમિક્રોનની(Omicron)  વધતી જતી આફતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજથી કોરોનાની નવી માર્ગદર્શિકા(Corona Guidelines) હેઠળ નવા નિયમો અને નિયંત્રણો લાગુ કર્યા છે. આજથી દિવસ દરમિયાન કલમ 144 અમલમાં છે અને રાત્રે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં છે.

મહારાષ્ટ્રમાં આજથી કડક પ્રતિબંધો લાગુ

મહારાષ્ટ્રમાં આજથી કોરોના સંબંધિત નવા નિયમો અને નિયંત્રણો લાગુ થઈ ગયા છે. રાજ્યમાં આજથી કલમ 144 લાગુ પણ લાગુ કરવામાં આવી છે. આ નવા નિયંત્રણો નુજબ, શાળા કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. ઉપરાંત મુસાફરીને લગતા નવા નિયમો પણ અમલમાં આવ્યા છે. આ અંતર્ગત ડોમેસ્ટિક ફ્લાઈટ, ટ્રેન, રોડ પર મુસાફરી માટે 75 કલાક પહેલા Rt-Pcr રિપોર્ટ અથવા સંપૂર્ણ રસીકરણ હોવું જરૂરી રહેશે.તેમજ મુંબઈ લોકલ ટ્રેન અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા માટે સંપૂર્ણ રસીકરણ (Fully Vaccination) કરાવવું જરૂરી રહેશે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના (Corona Case in Maharashtra) 44 હજાર 388 નવા કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોના મોત થયા છે. બીજી તરફ પુણેમાં પણ કોરોના સંક્રમણ એક દિવસમાં બમણું થઈ ગયુ છે. રવિવારે પુણેમાં (Pune) 4 હજાર 29 કેસ નોંધાયા હતા. તેમજ એક દર્દીનું મોત થયું હતું. જો શનિવારની વાત કરવામાં આવે તો પૂણેમાં 2475 કેસ નોંધાયા હતા. ઉપરાંત નાગપુર જિલ્લામાં પણ કોરોનાએ માથુ ઉંચક્યુ છે. નાગપુર જિલ્લામાં હાલ 3345 એક્ટિવ કેસ છે.

મુંબઈના ધારાવીએ ફરી ચિંતા વધારી

મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસ વીસ હજારને પાર પહોંચી ગયા છે. ત્રણ દિવસ સુધી આંકડો વીસ હજારને વટાવી રહ્યો હતો પરંતુ રવિવારે અહીં 19 હજાર 474 કેસ મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તમને જણાવી દઈએ કે, મુંબઈના (Mumbai) ધારાવી, દાદર અને માહિમમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. શનિવારે ધારાવીમાં 147 કેસ નોંધાયા હતા. જ્યારે દાદર અને માહિમમાં 213 અને 214 કેસ નોંધાયા છે. હાલમાં, ધારાવીમાં પોઝિટિવિટી રેટ 21 ટકા જેટલો છે.

આ પણ વાંચો: કોરોનાનો અજગરી ભરડો: મુંબઈમાં 18 IPS ઓફિસર સહિત 114 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">