AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત, ઉદ્ઘવ ઠાકરેએ કાર્યકર્તાઓને કહ્યું ‘તૈયારીઓમાં લાગો’

ભાજપના પ્રવીણ દરેકરે કહ્યું કે રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીનો કોઈ અવકાશ નથી. સરકાર બહુમતીમાં છે. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહી છે. શું ઉદ્ધવ ઠાકરે કોઈ જ્યોતિષી છે જે મધ્યસત્ર ચૂંટણીની આગાહી કરી રહ્યા છે?

મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત, ઉદ્ઘવ ઠાકરેએ કાર્યકર્તાઓને કહ્યું 'તૈયારીઓમાં લાગો'
Uddhav ThackerayImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 5:09 PM
Share

રાજ્યમાં ફરી એકવાર રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મહારાષ્ટ્રમાં ગમે ત્યારે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ શકે છે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના વિધાનસભા સંપર્ક પ્રમુખોને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ નિર્દેશ આપ્યો છે કે તેઓ મધ્યસત્ર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દે. આજે (5 નવેમ્બર, શનિવાર) તેમણે મુંબઈના દાદરમાં શિવસેના ભવનમાં તેમના પક્ષના આ પદાધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. તેમણે આ બેઠકમાં આ સૂચના આપી હતી. ઉદ્ધવ ઠાકરેએ આવું કહ્યા બાદ રાજકીય વર્તુળોમાં આ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના પ્રવીણ દરેકરે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

પ્રવીણ દરેકરે કહ્યું કે રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીનો કોઈ અવકાશ નથી. સરકાર બહુમતીમાં છે. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહી છે. શું ઉદ્ધવ ઠાકરે કોઈ જ્યોતિષી છે જે મધ્યસત્ર ચૂંટણીની આગાહી કરી રહ્યા છે? શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે તેમણે તેમના પક્ષના કાર્યકરો અને નેતાઓને બહાર જવાનું બંધ કરવું પડશે. તેઓ તેમના કાર્યકરોમાં ઉત્સાહ ભરવા માટે આવું કહી રહ્યા છે. બાળાસાહેબના વિચારો સાથે જોડાવા માટે તેમના જૂથના મોટાભાગના લોકો અમારી સાથે જોડાવા તૈયાર છે.

‘ઠાકરે જૂથ પોતાના નેતાઓને બહાર જતા રોકવા માટે આવા કામ કરી રહી છે’

પત્રકારોએ આ અંગે સાંસદ ગજાનન કીર્તિકરનું નામ લીધું અને પૂછ્યું કે શું તેઓ તેમના વિશે વાત કરી રહ્યા છે કારણ કે તેઓ શિવસેનાની લોકાધિકાર સમિતિના મહાસંગ્રામ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પણ હાજર નહોતા રહ્યા, તેમ છતાં તેઓ તેના અધ્યક્ષ છે? આના પર દીપક કેસરકરે કહ્યું કે તેઓ કોઈનું નામ વધારવા માંગતા નથી. પરંતુ ચોક્કસપણે કહેવા માંગુ છું કે ઉદ્ધવ ઠાકરેએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે આખરે શું થયું છે કે મોટાભાગના લોકો અમારી સાથે છે. બહુમતી અમારી સાથે છે.

ઉદ્ધવ ઠાકરેએ મધ્યસત્ર ચૂંટણીના સંકેત આપવા પાછળનું કારણ શું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર માટે રૂ. 2 લાખ કરોડના 225 પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ચૂંટણી આવી રહી છે, ત્યારે આવું થાય છે. આ દલીલ કરતા ઉદ્ધવ ઠાકરેએ તેમના વિધાનસભા સંપર્ક વડાઓને ચૂંટણીની તૈયારી શરૂ કરવા સૂચના આપી છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">