AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Violence : રઝા એકેડમીની ઓફિસ પર પોલીસના દરોડા, ધારાસભ્ય મુફ્તીએ કર્યો ચોંકાવનારો દાવો

મહારાષ્ટ્રમાં થયેલી હિંસાને પગલે પોલીસે મધ્યરાત્રિએ રઝા એકેડમીની ઓફિસ પર દરોડા પાડીને કેટલાક દસ્તાવેજો કબજે કર્યા છે.

Maharashtra Violence : રઝા એકેડમીની ઓફિસ પર પોલીસના દરોડા, ધારાસભ્ય મુફ્તીએ કર્યો ચોંકાવનારો દાવો
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 5:50 PM
Share

Maharashtra: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાના વિરોધમાં ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન દરમિયાન મસ્જિદો સળગાવવામાં આવી હોવાની અફવાને કારણે મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલી હિંસા માટે ભાજપ રઝા એકેડમી(Raza Academy)  સંસ્થાને જવાબદાર ઠેરવી રહી છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર મંગળવારની મધરાતે પોલીસે રઝા એકેડમીની ઓફિસ પર દરોડો પાડીને કેટલાક દસ્તાવેજો કબજે કર્યા છે.

ઉલ્લેખનીય છે કે માલેગાંવમાં રઝા એકેડમી અને ઓલ ઈન્ડિયા સુન્ની જમિયત ઉલેમા દ્વારા બંધનું (Maharashtra Bandh) એલાન આપવામાં આવ્યું હતું. હજારો લોકો સાથે નીકળેલી આ રેલીમાં વિફરેલા ટોળાએ પથ્થરમારો અને તોડફોડમાં લાખોની સંપત્તિને નુકસાન પહોંચાડ્યુ હતું. આ કેસમાં માત્ર આયોજકો સામે જ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને કારણે ભાજપ સતત આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યું હતું. ઉપરાંત સ્થાનિક ધારાસભ્યોએ પણ પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવી રહ્યા હતા. ત્યારે મંગળવારની મધરાતે પોલીસે રઝા એકેડમીની ઓફિસમાં દરોડો પાડીને કાર્યવાહી શરૂ કરી છે.

શું NCP નેતા અયાઝ રમખાણના મુખ્ય સુત્રધાર છે?

ધારાસભ્ય મૌલાના મુફ્તીએ માલેગાંવ હિંસાને સુઆયોજીત ગણાવી છે. તમને જણાવી દઈએ કે NCP નેતા અયાઝે એક વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)  પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં કહેવામાં આવ્યું હતુ કે ત્રિપુરામાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. ત્યાં સરકારે પોતાના શસ્ત્રો નીચે મૂક્યા છે. આ ઘટના 8 નવેમ્બરની છે. આ કેસમાં હાલ પોલીસે અયાઝની ધરપકડ કરી છે. ઉપરાંત અન્ય 42 લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

ધારાસભ્ય મૌલાના મુફ્તીએ અયાઝ પર ગંભીર આરોપ લગાવ્યા

ધારાસભ્ય મૌલાના મુફ્તીએ માંગ કરી છે કે માલેગાંવ રમખાણોની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, માલેગાંવમાં સુનિયોજિત રીતે રમખાણો કરવામાં આવ્યા હતા. આઠ દિવસ પહેલા એનસીપીના નેતા અને કોર્પોરેટર અયાઝે ત્રિપુરામાં બનેલી ઘટના સંદર્ભે બેઠક યોજી હતી અને ભડકાઉ ભાષણો કર્યા હતા.

રઝા એકેડમીએ લોકોને પૈસાનું વિતરણ કર્યું 

ઉપરાંત ધારાસભ્ય મૌલાના મુફ્તીએ (Maulana Mufti)આરોપ લગાવ્યો છે કે ‘હિંસાના મામલામાં ધરપકડ કરાયેલ વ્યક્તિ NCP નેતા છે. મુંબઈની રઝા એકેડમીના કેટલાક લોકોએ રમખાણો માટે પૈસા આપ્યા હતા. રમખાણોની આગલી રાત્રે પથ્થરો એકઠા કરીને હિંસાની તૈયારી કરવામાં આવી હતી. માલેગાંવ 20 વર્ષથી શાંત છે. આ બધું લોકોનું આયોજનબદ્ધ કૃત્ય છે. બીજી તરફ NCP નેતા નવાબ મલિકે ભાજપના નેતાઓ પર રમખાણો ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: ફ્લાઇટમાં મુસાફરની તબિયત લથડતાં આ કેન્દ્રીય મંત્રીએ આપી પ્રાથમિક સારવાર, PM મોદીએ કરી પ્રશંસા

આ પણ વાંચો: Onion Price: ડુંગળીના ભાવમાં આવ્યો ઘટાડો, ખેડૂતોની વધી ચિંતા, પ્રતિ ક્વિન્ટલના ભાવ ઘટીને 900 રૂપિયા થયા

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">