AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર: તુલજા ભવાની મંદિરમાં ગયા વર્ષની સરખામણીએ બમણો ચઢાવો અર્પણ થયો, જાણો કારણ

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ તુલજા ભવાની મંદિરે રૂ. 54 કરોડનો ચઢાવો અર્પણ થયો છે. જે 2021-22માં રૂ. 29 કરોડનો હતો, તેની સરખામણીએ 2022-23માં લગભગ બમણો છે.

મહારાષ્ટ્ર: તુલજા ભવાની મંદિરમાં ગયા વર્ષની સરખામણીએ બમણો ચઢાવો અર્પણ થયો, જાણો કારણ
Tulja Bhavani temple, Maharashtra ( file photo)Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 3:31 PM
Share

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ તુલજા ભવાની મંદિરે ભક્તજનો દ્વારા રૂ. 54 કરોડનો ચઢાવો અર્પણ કર્યો છે. જે 2021-22માં રૂ. 29 કરોડની સરખામણીએ 2022-23માં લગભગ બમણી છે. મંદિર પ્રશાસને આ જાણકારી આપી. મંદિર સંસ્થાનના અધ્યક્ષ અને ઉસ્માનાબાદના જિલ્લા કલેક્ટર ડૉ. સચિન ઓમ્બેસે ગઈકાલ શનિવારે જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષમાં 54 કરોડ રૂપિયાના ચઢાવાની કમાણીમાંથી 15 કરોડ રૂપિયા ભક્તોએ પૈસા ચૂકવીને કરેલા દર્શનથી આવક થઈ હતી. જ્યારે 19 કરોડ રૂપિયા, ભક્તોએ આપેલા દાનમાંથી મળ્યા હતા.

સદીઓ જૂનું તુલજા ભવાની મંદિર ઉસ્માનાબાદના તુલજાપુર ખાતે આવેલું છે અને દર વર્ષે લાખો ભક્તો આ પ્રસિદ્ધ મંદિરની મુલાકાત લે છે. કલેક્ટરે કહ્યું, “અમે મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરવા આવતા ભાવિક ભક્તોને સારી સુવિધા આપીએ છીએ અને તેના કારણે આવકમાં વધારો થયો છે.

ઘણા લોકોએ ચૂકવણી કરીને માતાજીના દર્શનની સુવિધાનો લાભ લીધો હતો, જેના માટે મંદિર દરેક વ્યક્તિ પાસેથી 500 રૂપિયા લે છે. આ ચઢાવામાં 207 કિલો સોનું અને 2,570 કિલો ચાંદીનો હતો. કલેક્ટરના જણાવ્યા અનુસાર તુલજાપુરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની પરવાનગીથી તૈયાર કરવામાં આવેલો માસ્ટર પ્લાન અંતિમ તબક્કામાં છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ થશે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">