શિવસેના સાંસદ સંજય રાઉતે કિરીટ સોમૈયા અંગે આપ્યુ ચોંકાવનારૂ નિવેદન, જાણો શું છે મામલો

સાંસદ રાઉતે વધુમાં કહ્યુ કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. કાં તો આપણે ઘૂંટણિયે પડીને સરકારને નીચે પાડી દઈએ અથવા તો કાર્યવાહી કરવા તૈયાર થઈએ.

શિવસેના સાંસદ સંજય રાઉતે કિરીટ સોમૈયા અંગે આપ્યુ ચોંકાવનારૂ નિવેદન, જાણો શું છે મામલો
Sanjay Raut (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 6:38 PM

Maharashtra : મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સંજય રાઉતે (Sanjay Raut) પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ (BJP) પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કેન્દ્રીય એજન્સી EDનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંજય રાઉતે કહ્યુ કે, મહારાષ્ટ્ર અને મરાઠી લોકો પર જે પ્રકારના હુમલા થઈ રહ્યા છે. બાળાસાહેબ ઠાકરેએ (Balasaheb Thackeray) કહેતા કે જો તમે કોઈ પાપ કર્યું નથી તો કોઈથી ડરવાની જરૂર નથી. તમે ગમે તેટલું દબાણ કરો, અમે ડરવાના નથી.

તપાસ એજન્સીઓ દ્વારા સતત ધમકી

વધુમાં સાંસદ રાઉતે કહ્યુ કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. કાં તો આપણે ઘૂંટણિયે પડીને સરકારને નીચે પાડી દઈએ અથવા તો કાર્યવાહી કરવા તૈયાર થઈએ. ભાજપના નેતાઓ તારીખ નક્કી કરે છે કે સરકાર હવે પડશે કે નહીં….પરંતુ હવે પડી જશે.

વધુમાં તેમણે કહ્યુ કે, હવે તપાસ એજન્સીઓએ ઠાકરે પરિવાર અને પવાર પરિવારને પણ હેરાન કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે અમે ના પાડી, ત્યારે ત્રીજા દિવસે જ મારા નજીકના મિત્રો પર EDના દરોડા શરૂ થઈ ગયા. આ પછી મુલુંડના દલાલ (કિરીટ સોમૈયા) કહેવા લાગ્યા કે સંજય રાઉત હવે જેલમાં જશે. બાળાસાહેબ ઠાકરેએ આપણને ન નમવાનું શીખવ્યું હતું. તેથી ભાજપ જે ઈચ્છે તે કરે અમને કોઈ ફરક પડશે નહિ.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

બંગલો નહીં બતાવો તો ચપ્પલથી મારીશ : સંજય રાઉત

સંજય રાઉતે કહ્યુ કે, મારી કિરીટ સોમૈયાને ચેતવણી છે, ઉદ્ધવ ઠાકરનો 19 નંબરનો બંગલો બતાવો જે તે અલીબાગમાં હોવાની વાત કરે છે. જો આવા બંગલા જોવા મળશે તો હું રાજકારણ છોડી દઈશ. કોરલાઈ ગામમાં 19 બંગલા હોવાની વાત થઈ રહી છે, જો તે મળી જશે તો હું રાજકારણ છોડી દઈશ. સાથે જ સંજય રાઉતે કિરીટ સોમૈયાને ભાજપનો દલાલ અને ફ્રન્ટ મેન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો આ 19 બંગલા નહીં બતાવવામાં આવે તો અમે સોમૈયાને ચપ્પલથી મારીશું.

રાઉતે વધુમાં કહ્યું કે, ED મારી 50 ગુંઠા જમીનની તપાસ કરી રહી છે. EDના અધિકારીઓએ મને તિહાર જેલમાં ધકેલી દેવાની ધમકી આપી છે. મને જેલમાં નાખી તો જુઓ,  હું બધાને સાથે લઈને જઈશ.

આ પણ વાંચો : Maharashtra : દાઉદ ઈબ્રાહિમની બહેનના ઘરેથી EDની ટીમ રવાના, છોટા શકીલના સંબંધી સલીમની પૂછપરછ શરૂ

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">