AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુલાબ વાવાઝોડાનો કહેર યથાવત, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 37 લોકોના મોત ! હવામાન વિભાગે આ જિલ્લામાં જાહેર કર્યુ એલર્ટ

મહારાષ્ટ્રમાં સતત વરસાદને (Heavy Rains) કારણે છેલ્લા 48 કલાકમાં 37 લોકોના મોત થયા છે, જ્યારે 200 થી વધુ પશુઓ પૂરમાં તણાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ગુલાબ વાવાઝોડાનો કહેર યથાવત, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 37 લોકોના મોત ! હવામાન વિભાગે આ જિલ્લામાં જાહેર કર્યુ એલર્ટ
Heavy Rains In Maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 2:36 PM
Share

Maharashtra : છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે દ્વારા 29 સપ્ટેમ્બરના રોજ પણ મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની(Heavy Rains)  આગાહી કરી છે.વરસાદ સાથે પવનની પણ ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. હવામાન વિભાગે આગામી 3-4 કલાક મુંબઈ, થાણે અને નાસિક માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા છે. આ સિવાય મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

જોકે બંગાળની ખાડીમાંથી ઉભું થયેલું ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ (Gulab Cyclone) નબળું પડ્યું છે, પરંતુ તેની અસરને કારણે વરસાદની શક્યતા વધી છે. મંગળવાર રાત્રિથી જ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર કલાક અહમદનગર અને નંદુરબાર જિલ્લાઓ માટે મહત્વના છે.ભારે વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લામાં એલર્ટ (Alert) જાહેર કરવામાં આવ્યુ છે.

48 કલાકમાં 37 લોકોના મોત, 8 જિલ્લામાં ભારે નુકસાન

મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે છેલ્લા 48 કલાકમાં 37 લોકોના મોત થયા છે, જ્યારે 200 થી વધુ પશુઓ પૂરમાં તણાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે,મંગળવારે એક બસ પૂરમાં ફસાઈ જતાં ત્રણ મુસાફરોના મોત થયા હતા અને ડ્રાઇવર લાપતા હોવાના અહેવાલ છે. નાસિકના ગંગપુર ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડાયા બાદ ગોડા ઘાટ અને રામકુંડ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.

મરાઠવાડાના તમામ 11 જિલ્લાઓમાં NDRFની એક -એક ટીમ તૈનાત

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ખાસ કરીને મરાઠવાડા, મુંબઈ અને કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. કોંકણમાં ખાસ કરીને રત્નાગિરી અને ઉત્તર કોંકણ વિસ્તારમાં વધુ વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય વિદર્ભમાં પણ વરસાદની તીવ્રતા રહેશે. હવામાન વિભાગે કોલ્હાપુર, સાંગલી, સતારા અને સોલાપુર માટે યેલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું છે. હાલ,મરાઠવાડાના તમામ 11 જિલ્લાઓમાં એનડીઆરએફની એક -એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ માટે આગામી 4 કલાક ખૂબ મહત્વના

આ પણ વાંચો: Maharashtra Rain: યવતમાલમાં જોત-જોતામાં બસ થઈ પાણીમાં થઈ ગરકાવ, 6માંથી 2ને બચાવાયા, જુઓ Viral Video

આ પણ વાંચો: આ નર્સે કોરોનાની રસી આપવાને બદલે આપી દીધી હડકવાની રસી ! જાણો પછી શું થયુ…..

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">