Maharashtra Politics: હવે પાર્ટીઓની થઈ રહી છે ‘ચોરી’, શિંદે જૂથને શિવસેના-પ્રતિક સોંપવા પર ઉદ્ધવ ઠાકરેએ કહી મોટી વાત

મીડિયા સાથે વાત કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પાર્ટીનું નામ 'શિવસેના' તેમના દાદા (કેશવ ઠાકરે)એ આપ્યું હતું. કોઈને એવી રીતે 'ચોરી' કરવા નહીં દે. તેમણે કહ્યું કે, મેં બાળાસાહેબ ઠાકરેને વચન આપ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક દિવસ શિવસેનાનો CM હશે.

Maharashtra Politics: હવે પાર્ટીઓની થઈ રહી છે 'ચોરી', શિંદે જૂથને શિવસેના-પ્રતિક સોંપવા પર ઉદ્ધવ ઠાકરેએ કહી મોટી વાત
Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 2:17 PM

Maharashtra Politics: મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહેલી હલચલ વચ્ચે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) કહ્યુ કે, હવે પાર્ટીઓ ‘ચોરી’ લેવામાં આવી રહી છે. પક્ષમાં ભંગાણ કોઈ નવી વાત નવી નથી. તેમણે કહ્યુ કે, ચૂંટણી પંચને કોઈ અધિકાર નથી કે તે અમારી પાર્ટીનું નામ બીજા કોઈને આપી દે. ચૂંટણી પંચના આ આદેશ સામેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) 31 જુલાઈએ સુનાવણી થશે. ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને પાર્ટીનું નામ ‘શિવસેના’ અને ચૂંટણી ચિહ્ન આપ્યું હતું. આયોગે 17 ફેબ્રુઆરીએ આ અંગે આદેશ જાહેર કર્યો હતો.

મહારાષ્ટ્રમાં એક દિવસ શિવસેનાનો CM હશે

મીડિયા સાથે વાત કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પાર્ટીનું નામ ‘શિવસેના’ તેમના દાદા (કેશવ ઠાકરે)એ આપ્યું હતું. કોઈને એવી રીતે ‘ચોરી’ કરવા નહીં દે. NCP માં ભંગાણ બાદ અને મહા વિકાસ અઘાડી તૂટ્યા પછી, ઉદ્ધવ પાસે હવે વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધનનો પ્લાન છે, જેના પ્રમુખ પ્રકાશ આંબેડકર છે. તેમણે કહ્યું કે સીએમ બનવાનું તેમનું સપનું ન હતું. તેમણે કહ્યું કે, મેં બાળાસાહેબ ઠાકરેને વચન આપ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક દિવસ શિવસેનાનો CM હશે.

ચૂંટણી પહેલા અમિત શાહે સહમતિ દર્શાવી હતી

ભાજપ પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો ભાજપ 2019ની ચૂંટણીમાં સત્તાની ભાગીદારી કરવા માટે સહમત થયા હોત તો આજે તેના કાર્યકરોએ અન્ય કોઈ પક્ષની કાર્પેટ ન ઉઠાવવી પડી હોત. ફરી એકવાર તેમણે દાવો કર્યો કે તેના પર પહેલાથી જ સહમતિ થઈ હતી. પરંતુ ત્યારબાદ ભાજપે પીછેહઠ કરી હતી. ચૂંટણી પહેલા અમિત શાહે આ માટે સહમતિ દર્શાવી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો : Maharashtra: ઉદ્ધવ ઠાકરેનો અજિત પવાર પર કટાક્ષ, ભાજપને યાદ અપાવ્યું જૂનું વચન

રાઈટ ટૂ રિકોલ હોવું જોઈએ

અગાઉની સરકાર મતપેટીથી બની હતી. હવેની સરકાર ખોખાથી બની છે, કારણ કે તમે કોઈને પણ વોટ આપો પરંતુ સરકાર તો મારી જ બનશે. જો આવું થવાનું શરૂ થશે ત્યારે આવતીકાલે જે કોઈ ધમકાવશે કે પૈસાનો ખેલ કરી શકે તે પણ મુખ્યમંત્રી કે વડાપ્રધાન બની શકશે. ઉદ્ધવે કહ્યુ કે, બાળાસાહેબ ઠાકરે કહેતા હતા કે, રાઈટ ટૂ રિકોલ હોવું જોઈએ. જેવી રીતે નોટામાં છે કે જો મારા મતથી ચૂંટાયેલ પ્રતિનિધિ કંઈક ખોટું કરે છે, તો તેને પાછા બોલાવવાનો અધિકાર હોવો જોઈએ.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">