Maharashtra Political Crisis: બળવાખોર ધારાસભ્યોના પરિવારને મળશે CRPFની સુરક્ષા, ફડણવીસે આગળની રણનિતી ઘડવા બોલાવી બેઠક

મહારાષ્ટ્રનો રાજકીય ખેલ ફરી પલટાઈ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. શિંદે જૂથમાં વિભાજનના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે તમામ બળવાખોર ધારાસભ્યોના પરિવારોને CRPF સુરક્ષા આપવાની જાહેરાત કરી છે.

Maharashtra Political Crisis: બળવાખોર ધારાસભ્યોના પરિવારને મળશે CRPFની સુરક્ષા, ફડણવીસે આગળની રણનિતી ઘડવા બોલાવી બેઠક
પ્રતિકાત્મક તસવીરImage Credit source: FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 1:03 PM

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રનો રાજકીય ખેલ ફરી પલટાઈ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. શિંદે (Eknath Shinde) જૂથમાં વિભાજનના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે તમામ બળવાખોર ધારાસભ્યોના પરિવારોને CRPF સુરક્ષા આપવાની જાહેરાત કરી છે. હવે પરિવારોની સુરક્ષા માટે CRPFના જવાનોને તૈનાત કરવામાં આવશે. અગાઉ, બળવાખોરોએ આરોપ લગાવ્યો હતો કે તેમના 38 ધારાસભ્યોના પરિવારોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે બળવાખોર ધારાસભ્યોને કેન્દ્રની સુરક્ષા આપવામાં આવી છે.

ફડણવીસે આગળની રણનિતી ઘડવા બોલાવી બેઠક

ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, સુધીર મુનગંટીવાર અને ગિરીશ મહાજન હાજર રહેશે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં ભાજપ તરફથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઈને રણનીતિ બનાવવામાં આવી શકે છે.

મુંબઈ, નાગપુર સહિત અનેક શહેરોમાં શિંદે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસૈનિકો રસ્તા પર ઉતરીને એકનાથ શિંદેનો વિરોધ કરી રહ્યા છે. મુંબઈમાં સામના કાર્યાલયની બહાર શિવસૈનિકો એકઠા થયા.તો નાગપુર અને નાસિકમાં પણ બળવાખોર ધારાસભ્યો રસ્તા પર ઉતરી આવ્યા છે. ભગવા ઝંડા સાથે રેલીઓ કાઢવામાં આવી છે અને શિંદે જૂથ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.

MVA સરકારને બચાવવા શરદ પવાર મેદાનમાં ઉતર્યા

આજે (26 જૂન, રવિવાર) મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો છઠ્ઠો દિવસ છે. એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં એકજુથ થયા છે. ત્યાં તેમણે 30 જૂન સુધી હોટલ બુક કરાવી લીધી છે. એટલે કે બળવાખોર ધારાસભ્યોનું જૂથ અત્યારે મેદાનમાંથી પીછેહઠ કરવાનું નથી. મહારાષ્ટ્રની કટોકટી જલ્દી દૂર થવાની નથી. આવી સ્થિતિમાં એનસીપી મહા વિકાસ આઘાડી સરકારને બચાવવા માટે શરદ પવાર મેદાનમાં ઉતર્યા છે. આજે તેમણે તેમના મુંબઈ અવલ ‘સિલ્વર ઓક’માં મહા વિકાસ આઘાડીના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી અને આઘાડીના નેતાઓને જોરશોરથી કાનૂની લડાઈ લડવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">