AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Political Crisis: શિંદેને 6 સાંસદોનું પણ સમર્થન, ઉદ્ધવ ઠાકરેથી ક્યાં અને કેવી રીતે થઈ ભૂલ ?

શિવસેનાના (Shiv Sena) વધુ ધારાસભ્ય સુરતની હોટલ પહોંચ્યા હતા. મોડી રાત્રે કુલ 4 ધારાસભ્યોને એરપોર્ટથી ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા. જો મીડિયા અહેવાલોનું માનીએ તો આજે પણ શિવસેનાના કેટલાક ધારાસભ્યો સુરત-ગુવાહાટી આવી શકે છે.

Maharashtra Political Crisis: શિંદેને 6 સાંસદોનું પણ સમર્થન, ઉદ્ધવ ઠાકરેથી ક્યાં અને કેવી રીતે થઈ ભૂલ ?
Eknath Shinde and Uddhav thakre ( file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 10:48 AM
Share

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ (Eknath Shinde) જે રાજકીય ખેલ કર્યો છે. તેના કારણે શિવસેના પાર્ટી (Shiv Sena) તૂટતી હોય તેમ લાગતું નથી પરંતુ સરકાર પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ સંજોગોમાં સવાલ એ થાય કે શું ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પોતાની પાર્ટીને આ સંકટમાંથી બચાવી શકશે કે નહીં ? બુધવારે સુરત અને ગુવાહાટીથી મળેલા કેટલાક અહેવાલે માત્ર શિવસેના જ નહીં પરંતુ સમગ્ર મહાઅઘાડી ગઠબંધનનું બ્લડ પ્રેશર હાઈ રાખ્યું હતું. મુંબઈમાં ગઈકાલે આખો દિવસ મીટિંગો ચાલુ રહી હતી અને ગુવાહાટીમાં એકનાથ શિંદેની તરફે ટીમ વધતી રહી છે. તો બીજીબાજુ શિવસેના કહેતી રહી કે ગુવાહાટી ગયેલા ધારાસભ્યો પાછા આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના ધારાસભ્યો બાદ હવે એકનાથ શિંદેને શિવસેનાના સાંસદોનું સમર્થન મળી રહ્યું છે. વસીમના સાંસદ ભાવના ગાવિત, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, થાણેના સાંસદ રાજન વિચારે, કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે અને રામટેકના સાંસદ કૃપાલ તુમાનેએ એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. સાંસદ રાજન વિચારે 3 દિવસથી ગુવાહાટીમાં શિંદેની સાથે હાજર છે.

શિંદેનું જૂથ વધી રહ્યું છે

બુધવાર સુધી, એવું કહેવામાં આવી રહ્યું હતું કે એકનાથ શિંદે સાથે 38 ધારાસભ્યો સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે અને આજે સવારે વધુ કેટલાક ધારાસભ્યો ત્યાં પહોંચ્યા છે, કેટલાક વધુ ધારાસભ્યો પણ ઉદ્ધવનો પક્ષ છોડીને ગુવાહાટી પહોચશે તેમ અહેવાલો જણાવી રહ્યાં છે. આ રીતે, ગુવાહાટીમાં શિંદે તરફી મહારાષ્ટ્રના ધારાસભ્યોની સંખ્યા 44ને પાર થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે ગુવાહાટી પહોંચેલા ચાર ધારાસભ્યોમાં ચંદ્રકાંત પાટીલ, યોગેશ કદમ, મંજુલા ગાવિત અને ગુલાબરાવ પાટીલનો સમાવેશ થાય છે. મંજુલા ગાવિત અને ચંદ્રકાંત પાટીલ અપક્ષ ધારાસભ્યો છે, જ્યારે યોગેશ કદમ અને ગુલાબરાવ પાટીલ શિવસેનાના ધારાસભ્ય છે.

ઉદ્ધવ સરકાર તુટી પડવાની તૈયારીમાં

નંબર ગેમ વિશે વાત કરતાં, એકનાથ શિંદે દાવો કરે છે કે તેમની સાથે શિવસેનાના એટલા બધા ધારાસભ્યો છે કે પક્ષપલટા વિરોધી કાયદો બિનઅસરકારક બની જાય છે. એટલે કે ઉદ્ધવ સરકારનું ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાનપદ એકનાથ શિંદે માટે છોડવા શરદ પવારે જણાવ્યુ છે. તો ઉદ્ધવ ઠાકરે સરકારના અન્ય ટેકેદાર એવી કોંગ્રેસે આ સમગ્ર ઘટના સંદર્ભે બોલ શિવસેનાની કોર્ટમાં નાખીને ઉદ્ધવ સરકાર ખતમ થઈ રહી હોવાનો રાજકીય સંદેશ આપ્યો છે.

સરકાર આજે જશે!

એકનાથ શિંદે તેમની ટીમનો વધુને વધુ વિસ્તાર કરી રહ્યા છે અને મુંબઈમાં હાજર શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut) શિવસૈનિકોમાં વ્યાપક ગુસ્સો હોવાની વાત કરી રહ્યાં છે. રાજકીય ડ્રામા બાદ પણ અત્યાર સુધી તો મહારાષ્ટ્રમાં મહાઅધાડીની સરકાર છે, મુખ્યપ્રધાન પદે ઉદ્ધવ ઠાકરે છે. પણ આ સરકાર અને ઉદ્ધવ ઠાકરે કેટલો સમય રહેશે તે કહેવું થોડું મુશ્કેલ છે અને જો શિવસેના એકનાથ શિંદેને શિવસૈનિકોના ગુસ્સાના નામે ડરાવવા કરતાં રાજકીય રીતે સમજાવવાનો પ્રયાસ કરે તો કદાચ તેમની સરકાર ટકી શકે છે.

Follow Us
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">