AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: એક મંત્રાલય બન્યું સમસ્યાનું કારણ, 3 મીટિંગ થયા બાદ પણ કોઈ ઉકેલ નહીં

મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે પણ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વચ્ચે બેઠક થઈ હતી. વિભાગોના વિતરણ માટે આ ત્રીજી બેઠક હતી. સમગ્ર સમસ્યા નાણા મંત્રાલય સાથે જોડાયેલી છે.

Maharashtra: એક મંત્રાલય બન્યું સમસ્યાનું કારણ, 3 મીટિંગ થયા બાદ પણ કોઈ ઉકેલ નહીં
Ajit Pawar - Devendra Fadnavis - Eknath Shinde
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 4:48 PM
Share

મહારાષ્ટ્રમાં (Maharashtra) અજિત પવાર (Ajit Pawar) જૂથ સરકારમાં જોડાયાને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ મંત્રાલયોની હજુ સુધી ફાળવણી કરવામાં આવી નથી. પોર્ટફોલિયોને લઈને ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP વચ્ચે વાતચીત ચાલી રહી છે. ત્રણેય પક્ષોના રાજ્યના ટોચના નેતાઓ છેલ્લી 3 રાતથી સતત બેઠકો કરી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. આખરે, આ સમસ્યા કયા મંત્રાલયને લઈને અટકી છે?

સમસ્યા નાણા મંત્રાલય સાથે જોડાયેલી છે

મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે પણ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વચ્ચે બેઠક થઈ હતી. વિભાગોના વિતરણ માટે આ ત્રીજી બેઠક હતી. સમગ્ર સમસ્યા નાણા મંત્રાલય સાથે જોડાયેલી છે. અત્યારે આ મંત્રાલય દેવેન્દ્ર ફડણવીસ પાસે છે અને હવે તે કોના ખાતામાં જશે તેના પર કોઈ સહમતિ નથી.

નાણા મંત્રાલય અજિત પવાર પાસે હતું

ઉદ્ધવ ઠાકરેની સરકારમાં નાણા મંત્રાલય અજિત પવાર પાસે હતું. હવે સરકાર બદલાઈ છે, અજિત પવાર તેનો હિસ્સો બની ગયા છે અને ફરી એકવાર આ મંત્રાલય ચર્ચામાં આવ્યું છે. NCP દ્વારા નાણા, મહેસૂલ અને સહકાર વિભાગોને પોતાની પાસે રાખવા પર સતત ભાર મૂકવામાં આવે છે, આ ક્ષેત્રોમાં એનસીપીનો દબદબો રહ્યો છે.

અજિત પવારને 40 ધારાસભ્યોનું સમર્થન

અજિત પવાર જ્યારથી શરદ પવારનો પક્ષ છોડીને સરકારનો ભાગ બન્યા છે, ત્યારથી જ હંગામો મચી ગયો છે. અજિત પવાર લગભગ 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યા છે, તેઓ સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા છે અને તેમના 8 નેતાઓને મંત્રી પદ પણ મળ્યું છે. અજિત જૂથ સરકારમાં આવ્યા પછી શિંદે જૂથ ખુશ નહોતો, કેટલાક ધારાસભ્યોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Maharashtra Political News: નાગપુરના કલંક પર ભાજપે આરંભ્યુ જુતામાર આંદોલન

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દ્વારા બધુ સાચુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ જે રીતે પોર્ટફોલિયોના વિતરણમાં સતત વિલંબ થઈ રહ્યો છે, તેનાથી યોગ્ય સંદેશો જતો હોય તેમ લાગતું નથી. રાજ્યમાં 17 જુલાઈથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે, આવી સ્થિતિમાં ત્રણેય પક્ષોના પ્રયાસો તે પહેલા વિભાગોની ફાળવણીના છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">