Maharashtraના મંત્રી યશોમતી ઠાકુર પણ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 5 મોટા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં

મહારાષ્ટ્રમાં કોરોનાના (Maharashtra Corona) કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ નવા વેરીઅન્ટ ઓમીક્રોનના કેસ પણ 198 થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, 198 દર્દીઓમાંથી ઘણા લોકોને કોરોનાની રસી લઈ લીધી છે.

Maharashtraના મંત્રી યશોમતી ઠાકુર પણ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 5 મોટા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં
મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 11:09 PM

MUMBAI : મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ (Maharashtra Corona Positive) ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર ( Yashomati Thakur) પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ જાણકારી ખુદ યશોમતી ઠાકુરે આપી છે. આ પહેલા મંત્રી બાલાસાહેબ થોરાટ, રાજ્ય મંત્રી પ્રાજક્ત તનપુરે, ટ્રાયલ ડેવલપમેન્ટ મંત્રી કેસી પાડવી અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પણ સંક્રમિત જોવા મળ્યા હતા. હવે મંત્રી યશોમતી ઠાકુર  પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

યશોમતી ઠાકુર કોરોના સંક્રમિત થનાર મહારાષ્ટ્રના ચોથા મંત્રી (Maharashtra Minister) છે. રાજ્ય વિધાનસભા સત્ર દરમિયાન મંત્રીઓ સહિત 52 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. NCP પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે અને તેમના પતિ સદાનંદ સુલે પણ કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. સામાન્ય જનતાની સાથે રાજકારણીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મંત્રી યશોમતી ઠાકુર કોરોના સંક્રમિત

24 કલાકમાં 8,067 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના (Maharashtra Corona) કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ નવા વેરીઅન્ટ ઓમીક્રોનના કેસ પણ 198 થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, 198 દર્દીઓમાંથી ઘણા લોકોને કોરોનાની રસી લઈ લીધી છે. છેલ્લા 24 કલાકમાં, 8,067 નવા કેસ નોંધાયા છે, જેમાં 4 ઓમિક્રોન કેસ પણ નોંધાયા છે. તે જ સમયે, 1,766 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે. ચોવીસ કલાકમાં 8 દર્દીઓએ સંક્રમણને કારણે જીવ  ગુમાવ્યો છે.

મુંબઈમાં 15 જાન્યુઆરી સુધી પ્રતિબંધ

એકલા મુંબઈમાં જ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ જ કારણ છે કે મુંબઈમાં પ્રતિબંધો 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે. વહીવટીતંત્રે આજે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ હવે જાહેર સ્થળોએ જવા પરનો પ્રતિબંધ અમલમાં રહેશે. આ સાથે  15 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ રહેશે.

નવા નિયમો અનુસાર, દરિયાકિનારા, ખુલ્લા મેદાનો, ઉદ્યાનો અને સમાન સાર્વજનિક સ્થળોની સાંજે 5 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે મુલાકાત લઈ શકાશે નહીં. વરિષ્ઠ પોલીસ અધિકારી એસ ચૈતન્યએ જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી સુધી મોટા મેળાવડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  Maharashtra: મુંબઈના લોકલ લોકોમાં ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન વેરિયન્ટ, 37 ટકા સંક્રમિતોની નથી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">