AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtraના મંત્રી યશોમતી ઠાકુર પણ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 5 મોટા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં

મહારાષ્ટ્રમાં કોરોનાના (Maharashtra Corona) કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ નવા વેરીઅન્ટ ઓમીક્રોનના કેસ પણ 198 થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, 198 દર્દીઓમાંથી ઘણા લોકોને કોરોનાની રસી લઈ લીધી છે.

Maharashtraના મંત્રી યશોમતી ઠાકુર પણ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 5 મોટા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં
મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 11:09 PM
Share

MUMBAI : મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ (Maharashtra Corona Positive) ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર ( Yashomati Thakur) પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ જાણકારી ખુદ યશોમતી ઠાકુરે આપી છે. આ પહેલા મંત્રી બાલાસાહેબ થોરાટ, રાજ્ય મંત્રી પ્રાજક્ત તનપુરે, ટ્રાયલ ડેવલપમેન્ટ મંત્રી કેસી પાડવી અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પણ સંક્રમિત જોવા મળ્યા હતા. હવે મંત્રી યશોમતી ઠાકુર  પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

યશોમતી ઠાકુર કોરોના સંક્રમિત થનાર મહારાષ્ટ્રના ચોથા મંત્રી (Maharashtra Minister) છે. રાજ્ય વિધાનસભા સત્ર દરમિયાન મંત્રીઓ સહિત 52 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. NCP પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે અને તેમના પતિ સદાનંદ સુલે પણ કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. સામાન્ય જનતાની સાથે રાજકારણીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

મંત્રી યશોમતી ઠાકુર કોરોના સંક્રમિત

24 કલાકમાં 8,067 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના (Maharashtra Corona) કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ નવા વેરીઅન્ટ ઓમીક્રોનના કેસ પણ 198 થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, 198 દર્દીઓમાંથી ઘણા લોકોને કોરોનાની રસી લઈ લીધી છે. છેલ્લા 24 કલાકમાં, 8,067 નવા કેસ નોંધાયા છે, જેમાં 4 ઓમિક્રોન કેસ પણ નોંધાયા છે. તે જ સમયે, 1,766 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે. ચોવીસ કલાકમાં 8 દર્દીઓએ સંક્રમણને કારણે જીવ  ગુમાવ્યો છે.

મુંબઈમાં 15 જાન્યુઆરી સુધી પ્રતિબંધ

એકલા મુંબઈમાં જ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ જ કારણ છે કે મુંબઈમાં પ્રતિબંધો 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે. વહીવટીતંત્રે આજે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ હવે જાહેર સ્થળોએ જવા પરનો પ્રતિબંધ અમલમાં રહેશે. આ સાથે  15 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ રહેશે.

નવા નિયમો અનુસાર, દરિયાકિનારા, ખુલ્લા મેદાનો, ઉદ્યાનો અને સમાન સાર્વજનિક સ્થળોની સાંજે 5 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે મુલાકાત લઈ શકાશે નહીં. વરિષ્ઠ પોલીસ અધિકારી એસ ચૈતન્યએ જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી સુધી મોટા મેળાવડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  Maharashtra: મુંબઈના લોકલ લોકોમાં ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન વેરિયન્ટ, 37 ટકા સંક્રમિતોની નથી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">