Maharashtra: શિવસેનાના 3 મોટા નેતાઓ પર EDનો સકંજો, અનિલ પરબ પૂછપરછ માટે પહોંચ્યા, આનંદરાવ અડસુલ હોસ્પિટલમાં દાખલ

અનિલ પરબ પૂછપરછ માટે ઈડી ઓફિસ પહોંચ્યા હતા. અનિલ પરબે પૂછપરછ પહેલા મીડિયાને કહ્યું કે મને ઈડીનો બીજો સમન્સ મળ્યો છે. હું પૂછપરછ માટે ED પાસે જઈ રહ્યો છું. જોકે મને હજુ પણ ખબર નથી કે શા માટે બોલાવવામાં આવ્યો છે.

Maharashtra: શિવસેનાના 3 મોટા નેતાઓ પર EDનો સકંજો, અનિલ પરબ પૂછપરછ માટે પહોંચ્યા, આનંદરાવ અડસુલ હોસ્પિટલમાં દાખલ
અનિલ પરબ (ફાઈલ ઈમેજ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 6:15 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate-ED)એ મહારાષ્ટ્રમાં શિવસેનાના ત્રણ મોટા નેતાઓ પર સંકંજો કસ્યો છે. પરિવહન મંત્રી અનિલ પરબને આજે ED કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા છે. સાંસદ ભાવના ગવલીની કંપનીમાં ડિરેક્ટર અને તેના ખાસ સહયોગી સઈદ ખાનની આજે ધરપકડ કરવામાં આવી છે.

EDએ ગઈકાલે પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલના ઘરે દરોડા પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તેઓ હજુ ગોરેગાંવની લાઈફ કેર હોસ્પિટલમાં દાખલ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અનિલ પરબને મળ્યું બીજુ સમન્સ, પૂછપરછ માટે ઈડીની ઓફિસે પહોંચ્યા

આ દરમિયાન પરિવહન મંત્રી અનિલ પરબને બીજુ સમન્સ મળ્યું છે. આજે EDએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. અનિલ પરબ પૂછપરછ માટે ઈડી ઓફિસ પહોંચ્યા હતા. અનિલ પરબે પૂછપરછ પહેલા મીડિયાને કહ્યું કે ‘મને ઈડીનું બીજુ સમન્સ મળ્યુ છે. હું પૂછપરછ માટે ED પાસે જઈ રહ્યો છું.

મેં શિવસેના પ્રમુખ અને મારી પુત્રીના શપથ લીધા છે. મેં પહેલા પણ કહ્યું છે કે મેં કંઈ ખોટું કર્યું નથી. જોકે મને હજી સુધી ખબર નથી કે મને શા માટે બોલાવવામાં આવ્યો છે. જ્યારે હું પૂછપરછ માટે હાજર થઈશ, ત્યારે મને સત્તાવાર રીતે ખબર પડશે કે મને શા માટે બોલાવવામાં આવ્યો છે. પરંતુ મને જે પણ પૂછવામાં આવશે, હું તેનો જવાબ આપીશ. હું ફક્ત મારા વિશે જ વાત કરીશ, મને બીજા કોઈ વિશે કંઈ ખબર નથી.

અનિલ પરબ પ્રથમ સમન બાદ પૂછપરછ માટે હાજર થયા ન હતા. અનિલ દેશમુખ સાથે સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં તેમને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અનિલ પરબે કહ્યું કે EDએ તેમને કેમ બોલાવ્યા છે તેનું કારણ આપ્યું નથી.

સાંસદ ભાવના ગવલીની મુશ્કેલીઓ વધી, તેના નજીકના ગણાતા સઈદ ખાનની ધરપકડ

યવતમાલ-વાશિમથી શિવસેના સાંસદ ભાવના ગવલીના નજીકના સહયોગી સઈદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈડીની તપાસ ટીમ આજે (28 સપ્ટેમ્બર, મંગળવાર) ભાવના ગવલીના નજીકના ગણાતા સઈદ ખાન સહિત અન્ય ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે. લગભગ એક મહિના પહેલા ઈડીએ ભાવના ગવલીના 5 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઈડીની આ રેડ 100 કરોડના કૌભાંડના આરોપ પર કરવામાં આવી હતી.

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે ભાવના ગવલીએ બેન્કો અને અન્ય સંસ્થાઓ પાસેથી 100 કરોડ રૂપિયા લીધા હતા અને તેનો ગેરકાયદે ઉપયોગ કર્યો હતો. કિરીટ સોમૈયાનો આરોપ છે કે ભાવના ગવલીએ 55 કરોડની ફેક્ટરી 25 લાખમાં ખરીદી હતી. પરંતુ ભાવના ગવલીએ ઈડીના દરોડા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે નોટિસ આપ્યા વગર તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગઈકાલે EDની પૂછપરછ દરમિયાન આનંદરાવ અડસુલની તબિયત બગડી હતી, હાલમાં હોસ્પિટલમાં દાખલ 

દરમિયાન સીટી સહકારી બેંક છેતરપિંડી કેસમાં EDએ શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલના ઘરે સોમવારે સવારે દરોડા પાડ્યા હતા. પરંતુ EDની પૂછપરછ દરમિયાન તેમની તબિયત બગડી હતી. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈના ગોરેગાંવની લાઈફ કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઈડીની ટીમ પણ ગઈકાલે 14 કલાક હોસ્પિટલમાં હાજર રહી હતી. તેની સારવાર શરૂ થઈ ગઈ છે. ઈડીની ટીમમાંથી એક સભ્ય પણ હોસ્પિટલમાં હાજર છે.

EDએ તાજેતરમાં શિવસેના નેતા આનંદરાવ અડસુલ અને તેમના પુત્ર અભિજીતને ઓફિસમાં પૂછપરછ માટે સમન્સ જારી કર્યું હતું. આનંદરાવ અને તેમના પુત્ર અભિજીતને સવારે આઠ વાગ્યે ઈડી ઓફિસ પહોંચવાનું હતું, પરંતુ આનંદરાવ અડસુલ ઈડી સમક્ષ હાજર થયા ન હતા.

આ દરમિયાન ઈડીના અધિકારીઓ કાંદિવલીમાં આનંદરાવના ઘરે પહોંચ્યા અને બંને લોકોની પૂછપરછ શરૂ કરી. EDની ટીમ પૂર્વ સાંસદની પૂછપરછ કરી રહી હતી, જ્યારે તેણે કહ્યું કે તેમની તબિયત બગડી રહી છે. આ દરમિયાન ઈડીની ટીમે આનંદરાવની 3થી 4 કલાક સુધી પૂછપરછ કરી છે અને તેમના ઘરેથી ઘણા દસ્તાવેજો, મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે.

શિવસેના નેતા આનંદરાવ અડસુલ પર સિટી બેંકમાંથી 900 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. ધારાસભ્ય રવિ રાણાએ જણાવ્યું કે આ ભ્રષ્ટાચાર ત્યારે થયો જ્યારે આનંદરાવ અડસુલ સિટી બેંકના પ્રમુખ હતા.

શિવસેનાના અન્ય બે મોટા નેતાઓ સામે પણ કરવામાં આવી કાર્યવાહી

એટલે કે તે સ્પષ્ટ છે કે છેલ્લા બે દિવસમાં EDએ શિવસેનાના ત્રણ મોટા નેતાઓ સામે જબરદસ્ત કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા EDએ શિવસેનાના વધુ બે મોટા નેતાઓ પ્રતાપ સરનાઈક અને સંજય રાઉતની પત્ની સાથે સંબંધિત કેસમાં પણ પૂછપરછ કરી હતી.

આ પછી પ્રતાપ સરનાઈકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે તેમની સામે ભાજપ સાથે ગઠબંધન તોડવા બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શિવસેનાએ ફરી એકવાર ભાજપ સાથે ગઠબંધન કરી લેવું જોઈએ. બાકીના શિવસૈનિકોનો પણ આ જ અભિપ્રાય છે.

આ પણ વાંચો :  KBC 13: અમિતાભ બચ્ચનની સામે પતિની ટિપ્પણી કરવી સ્પર્ધકને ભારે પડી, હવે પતિએ ચેનલ અને પત્ની સામે કેસ દાખલ કર્યો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">