AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: જાણો અભિનેતા અક્ષય કુમારે કઈ વાતે માન્યો નેતા પંકજા મુંડેનો આભાર?

અક્ષય કુમારે (Akshay Kumar )કહ્યું છે કે જો આ સિનેમાથી અમે સમાજમાં 5 ટકા પણ પરિવર્તન લાવી શકીશું તો તે અમારા માટે મોટી સફળતા હશે.

Maharashtra: જાણો અભિનેતા અક્ષય કુમારે કઈ વાતે માન્યો નેતા પંકજા મુંડેનો આભાર?
Akshay Kumar thanked Pankaja Munde (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:30 AM
Share

પંકજા મુંડે (Pankaja Munde)મહારાષ્ટ્રના રાજકારણમાં આમ તો બહુ જાણીતું નામ છે. આ સાથે તે ઘણીવાર મરાઠી (Marathi ) એન્ટરટેઈનમેન્ટ ચેનલોમાં પણ હાજરી આપતી જોવા મળે છે. તે ફરી એકવાર મરાઠી એન્ટરટેઈનમેન્ટ ચેનલમાં દેખાઈ રહી છે. હાલમાં જ એક મરાઠી ચેનલના કાર્યક્રમમાં તેણીએ હાજરી આપી હતી તો ત્યાં જ બીજી તરફ પંકજા મુંડેએ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર વિશે એક ટ્વિટ કર્યું છે. અક્ષય કુમારે પંકજા મુંડેની એક વાતનો જવાબ આપ્યો છે. અક્ષયે માત્ર જવાબ જ નથી આપ્યો પણ પંકજા તાઈનો આભાર પણ વ્યક્ત કર્યો છે. જોકે પંકજા મુંડે અને અક્ષય કુમાર વચ્ચેની આ વાતચીતને લઈને માત્ર મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં જ નહીં, પરંતુ મરાઠી અને હિન્દી મનોરંજન જગતમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

પંકજા મુંડેએ ટ્વીટ કરીને અક્ષય કુમારના વખાણ કર્યા

પંકજા મુંડેએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘રક્ષાબંધનમાં મેં અને મારી બહેને બાળકો સાથે રક્ષાબંધન ફિલ્મ જોઈ છે. મને આ ફિલ્મ ખરેખર ગમી. સમાજમાં હજુ પણ છોકરીઓના લગ્નમાં ભારે મુશ્કેલીઓ આવે છે. કારણ કે તેમને ઘણા બધા સવાલો  પૂછવામાં આવે છે. ફ્રીઝ, ટીવી, કાર, સ્ટેટસ વગેરે દહેજ જેવી વસ્તુઓ માટે પણ છોકરીઓને જીવ ગુમાવવો પડે છે. આ કેટલું કમનસીબ કહેવાય છે.

સિનેમામાં આ બાબતને જે રીતે લેવામાં આવ્યું હતું તે રીતે આપણે રિઝોલ્યુશન લેવું જોઈએ. આ મુશ્કેલ છે, આપણે સંબંધોને ગુણદોષના આધારે માપીએ છીએ. તમે પણ તમારા પરિવાર સાથે આ ફિલ્મ જુઓ. આપણે નવી દિશા અને નવા સંકલ્પ સાથે તેની નવી શરૂઆત કરવી જોઈએ. સારી સિનેમા, સારો સંદેશ.” આ વાત કરતાં પંકજા મુંડેએ અક્ષય કુમારને અભિનંદન પાઠવ્યા છે.

અક્ષય કુમારનો જવાબ આવ્યો, કહ્યું- આભાર

અભિનેતા અક્ષય કુમારે પંકજા મુંડેનો જવાબ આપતા તેમનો આભાર માન્યો છે. અક્ષય કુમારે કહ્યું છે કે જો આ સિનેમાથી અમે સમાજમાં 5 ટકા પણ પરિવર્તન લાવી શકીશું તો તે અમારા માટે મોટી સફળતા હશે. દરમિયાન, એક મરાઠી ચેનલમાં પંકજા મુંડે દ્વારા કાર્યક્રમમાં કહેવામાં આવેલી વાતો ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. પ્રોમોમાં તે કહેતી જોવા મળી રહી છે કે ધારાસભ્ય સુબોધ બાબુ માટે તમે શું સમજો છો. આ જ ઈન્ટરવ્યુમાં તેણે પોતાની પાર્ટીમાં અવગણના કરવામાં આવી હોવાની વાત પણ વ્યક્ત કરી છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">