AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે તમામ સરકારી વાહનો હશે ઈલેક્ટ્રિક, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કરી જાહેરાત

1 જાન્યુઆરી, 2022થી રાજ્ય સરકાર તે વાહનો ખરીદશે જે ફક્ત ઈલેક્ટ્રિક પર ચાલે છે. સરકારી સંસ્થાઓ માટે ઈલેક્ટ્રિક વાહનો પણ ભાડે લેવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે તમામ સરકારી વાહનો હશે ઈલેક્ટ્રિક, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કરી જાહેરાત
Environment Minister Aaditya Thackeray (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 8:17 PM
Share

નવા વર્ષની શરૂઆતમાં મહારાષ્ટ્રની ઠાકરે સરકારે (Thackeray Government) રવિવારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. એક દિવસ અગાઉ મુંબઈ (Mumbai)માં 500 ચોરસ ફૂટ સુધીના મકાનો માટે મિલકત વેરો માફ કર્યા બાદ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 જાન્યુઆરી, 2022થી રાજ્ય સરકાર તે વાહનોનો ઉપયોગ કરશે જે ઈલેક્ટ્રીકથી ચાલે છે. સરકારી સંસ્થાઓ માટે ઈલેક્ટ્રિક વાહનો પણ ભાડે લેવામાં આવશે. પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે (Aaditya Thackeray)એ આ જાહેરાત કરી છે.

આ જાહેરાત કરતી વખતે આદિત્ય ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકારે આ નિર્ણય પહેલેથી જ લઈ લીધો છે. પરંતુ અત્યાર સુધી આ નિર્ણયને 1લી એપ્રિલ 2022થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ નિર્ણય 1 જાન્યુઆરીથી જ લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ રાજ્યમાં તમામ સરકારી વાહનો ઈલેક્ટ્રીકથી ચાલશે. પ્રદુષણ (pollution) રોકવા માટે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેની આ મોટી જાહેરાત છે.

પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે પ્રોત્સાહન

આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે આ નિર્ણયનું કારણ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે લોકોને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા માટે આપ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે ‘મહારાષ્ટ્ર સરકારે પર્યાવરણ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા બનાવવા અને નાગરિકોને આમ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે 1 એપ્રિલના બદલે 1 જાન્યુઆરી, 2022થી આ નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ હવે સરકારી વાહનો માટે માત્ર ઈલેક્ટ્રિક વાહનો જ ખરીદવામાં આવશે અથવા ભાડે લેવામાં આવશે.

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીના સમર્થન અને સહકારથી આ નિર્ણય લેવામાં આવ્યો

વધુમાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે, ‘પર્યાવરણ મંત્રાલય પ્રદૂષણને રોકવા અને સ્વચ્છ પર્યાવરણ માટે યોજનાઓ અમલમાં મૂકવાના પ્રયાસો કરી રહ્યું છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ( Chief Minister Uddhav Thackeray), નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ( Deputy Chief Minister Ajit Pawar) અને મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાટે ( Revenue Minister Balasaheb Thorat) પર્યાવરણ મંત્રાલયના આ હેતુ માટે તેમનો ટેકો અને સહકાર આપ્યો છે, જેના માટે હું તેમનો આભાર માનું છું.

EV વાહનો માટે સરકારના પ્રયાસો ચાલુ

પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોથી થતાં પ્રદુષણને રોકવા માટે રાજ્યમાં તમામ સરકારી વાહનોને ઈલેક્ટ્રીક બનાવવાના આ નિર્ણયને એક મોટો ક્રાંતિકારી નિર્ણય માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલ વાહનોના કારણે પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય સ્તરે પણ ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ઈલેક્ટ્રિક વાહનોનું માર્કેટ પણ તેજ ગતિએ વધી રહ્યું છે. ઘણી કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં રોકાયેલી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari) પણ ઈલેક્ટ્રિક વાહનોને લઈને સતત મોટી જાહેરાતો કરી રહ્યા છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનો વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Mumbai Local Alert: મુંબઈમાં આજે મધ્ય રેલવેનો જમ્બો મેગા બ્લોક, લોકલ ટ્રેનની 200 ફેરી રદ, અહીં વાંચો સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: સગી જનેતાએ જ પોતાના ચાર બાળકોને પહેલા કૂવામાં ધકેલી દીધા, બાદમાં પોતે કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">