AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સગી જનેતાએ જ પોતાના ચાર બાળકોને પહેલા કૂવામાં ધકેલી દીધા, બાદમાં પોતે કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો

એક પરિણીતાએ પોતાના ચાર બાળકોને કૂવામાં ફેંકી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.

સગી જનેતાએ જ પોતાના ચાર બાળકોને પહેલા કૂવામાં ધકેલી દીધા, બાદમાં પોતે કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો
symbolic picture
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 5:30 PM
Share

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આંબડ તાલુકાના ઘુંગરડે ગામે એક પરિણીતાએ પોતાના ચાર બાળકોને કૂવામાં ફેંકી આત્મહત્યા કરી લીધી હતી. આ રીતે બાળકોની હત્યા કરીને માતાએ આત્મહત્યા કરી હોવાની આ ઘટના શુક્રવારે બની છે. મૃતકોના નામ ગંગાસાગર જ્ઞાનેશ્વર અદાણી, ભક્તિ, ઈશ્વરી, અક્ષરા અને યુવરાજ છે. આ ચાર સંતાનોમાં ત્રણ પુત્રી અને એક પુત્ર હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, પતિને મહિલાના ચારિત્ર્ય પર શંકા હતી અને તેના કારણે તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. શનિવારે આ મામલામાં આત્મહત્યા કરનાર મહિલા ગંગાસાગર અદાણીની બહેને ગોંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાના પતિ જ્ઞાનેશ્વર અદાણી સામે પત્નીના ચારિત્ર્ય પર શંકા, માનસિક અને શારીરિક પીડા અને આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જ્ઞાનેશ્વર અદાણી તેની પત્ની ગંગાસાગર, ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે રહેતો હતો. જ્ઞાનેશ્વરને નશાની લત લાગી હતી. જેના કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જ્ઞાનેશ્વરને પત્નીના મોબાઈલ પર વાત કરવામાં વાંધો હતો. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને જ્ઞાનેશ્વર અવારનવાર ગંગાસાગરને માર મારતો અને ટોણો મારતો. ગંગાસાગરે તેના પતિ જ્ઞાનેશ્વરને ઘણી વાર સમજાવ્યું કે, તે તેના પરિવારના સભ્યો સાથે વાત કરે છે. પરંતુ જ્ઞાનેશ્વર શંકામાં ઓગળી જતા હતા. તેને લાગ્યું કે, ગંગાસાગર તેની સાથે જૂઠું બોલે છે. તેણી તેના એક મિત્ર સાથે ગુપ્ત રીતે વાત કરે છે.

ગુરુવારે બપોરના એક વાગ્યાના સુમારે બંને વચ્ચે ફરી એક વાર ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. આ પછી ગંગાસાગર ખૂબ જ ટેન્શનમાં હતી. આ ટેન્શનમાં તેણે મોટું પગલું ભરવાનું નક્કી કર્યું. તે તેની ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે ખેતરમાં ગઈ હતી. ત્યાં તેણે પોતાના ચાર બાળકોને કૂવામાં ધકેલી દીધા અને પછી પોતે પણ કૂદીને આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચો: Career in Floriculture: રંગબેરંગી ફૂલોની દુનિયામાં છે ઉજ્જવળ કારકિર્દી, જાણો સ્કોપ, કોર્સ, નોકરી અને કેટલો મળે પગાર

આ પણ વાંચો: Hotel Management College: હોટેલ મેનેજમેન્ટમાં યુવાનોની રુચિ સતત વધી છે, અહીં જુઓ ભારતની ટોચની 5 કોલેજ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">