AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OBC Reservation: ઓબીસી અનામત મુદ્દે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય, વટહુકમ દ્વારા આપવામાં આવશે અનામત

ઓબીસી અનામત માટે વટહુકમ લાવવામાં આવશે. આ માહિતી ઠાકરે સરકારના મંત્રી છગન ભુજબલે (Chhagan Bhujbal) આપી હતી. અનામત આપવા માટે આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું મોડેલ અપનાવવામાં આવશે.

OBC Reservation: ઓબીસી અનામત મુદ્દે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય, વટહુકમ દ્વારા આપવામાં આવશે અનામત
ઉદ્ધવ ઠાકરે (ફાઈલ ઈમેજ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 10:36 PM
Share

ઓબીસીના રાજકીય અનામતના (OBC Reservation) મુદ્દે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) આગેવાનીવાળી મહા વિકાસ આઘાડી સરકારે (Maha Vikas Aghadi) બુધવારે (15 સપ્ટેમ્બર) એક મહત્વનો નિર્ણય લીધો છે.

ઓબીસી અનામત માટે વટહુકમ લાવવામાં આવશે. આ માહિતી ઠાકરે સરકારના મંત્રી છગન ભુજબલે (Chhagan Bhujbal) આપી હતી. છગન ભુજબલે કહ્યું કે અનામત આપવા માટે આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનું મોડેલ અપનાવવામાં આવશે. જોકે 10થી 12 ટકા જગ્યા ઓછી હશે. પરંતુ સુપ્રીમ કોર્ટે રદ કરતા પહેલા જેટલુ અનામત મળી રહ્યું હતું, તેમાંથી 90 ટકા સુધી બચાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટના આદેશનું શું થશે?

તમને જણાવી દઈએ કે રાજ્યનું ઓબીસી અનામત રદ કરતી વખતે ઈન્દિરા સાહનીના નિર્ણય હેઠળ સુપ્રીમ કોર્ટે એક મહત્વની વાત કહી હતી કે કોઈ પણ સંજોગોમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધુ ન હોઈ શકે. પરંતુ મહારાષ્ટ્રમાં ઓબીસીનું રાજકીય અનામત આ મર્યાદા પાર કરી રહ્યું હતું. આ કારણે સુપ્રીમ કોર્ટે આ આરક્ષણ રદ કર્યું. આ અંગે બોલતા છગન ભુજબલે કહ્યું કે દેશમાં ઘણી જગ્યાએ અનામતની આ મર્યાદા પાર થઈ ગઈ છે. પરંતુ અમે આ મર્યાદાને પાર કરીશું નહીં. 50 ટકાની મર્યાદામાં રહીને જ અમે વટહુકમ લાવીશું.

5 જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિઓની ચૂંટણી પહેલા લેવાયેલો નિર્ણય

ઓબીસી અનામતને લઈને રાજ્યમાં જોરદાર રાજકારણ શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના નિર્દેશને ધ્યાનમાં રાખીને રાજ્યના ચૂંટણી પંચે (Election Commission) 5 જિલ્લા પરિષદો અને તેમની સંબંધિત પંચાયત સમિતિઓની પેટાચૂંટણી (By Election for 5 Zila Parishad and Panchayat Samiti) માટે ટાઈમટેબલ જાહેર કર્યું છે.

5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 6 ઓક્ટોબરે મત ગણતરી થશે. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઓબીસી અનામત માટે વટહુકમ લાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને મંત્રી છગન ભુજબલે તે અંગે પત્રકાર પરિષદ યોજી હતી.

કોંગ્રેસના નેતાએ બે દિવસ પહેલા વટહુકમ લાવવાનો સંકેત આપ્યો હતો

આના બે દિવસ પહેલા કોંગ્રેસના નેતા અને મંત્રી વિજય વડેટ્ટીવારે (Vijay Wadettiwar) વટહુકમ બહાર પાડવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓબીસી સમાજના લોકો સાથે સંબંધિત ઈમ્પિરિકલ ડેટા ઉપલબ્ધ થયો નથી અને ચૂંટણી નજીક આવી રહી છે. આવી પરીસ્થિતિમાં વટહુકમ લાવીને અનામતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.

આ પણ વાંચો :  Maharashtra : સાકીનાકા રેપ કેસ બાદ પોલીસનો મહત્વનો નિર્ણય , મુંબઈના દરેક પોલીસ સ્ટેશનમાં ‘નિર્ભયા સ્કવોડ’ તૈનાત કરવામાં આવશે

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">