AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Night Curfew: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે આજથી લાદવામાં આવ્યો નાઇટ કર્ફ્યુ, સરકારે જાહેર કરી આ કડક માર્ગદર્શિકા

તહેવારોની સિઝનમાં સંક્રમણના (Maharashtra Night Curfew) કેસ વધારે ઝડપથી વધી શકે છે. નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો રાત્રે ઘરની બહાર નિકળે છે.

Maharashtra Night Curfew: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે આજથી લાદવામાં આવ્યો નાઇટ કર્ફ્યુ, સરકારે જાહેર કરી આ કડક માર્ગદર્શિકા
Maharashtra Night Curfew (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 12:18 AM
Share

MUMBAI : ઓમિક્રોનના વધતા જતા કેસ બાદ મહારાષ્ટ્રમાં પણ નાઈટ કર્ફ્યુ (Maharashtra Night Curfew) લાદવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં આજ રાતથી જ પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. નાઇટ કર્ફ્યુ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્યના કોઈપણ ભાગમાં 5 થી વધુ લોકો એક જગ્યાએ એકઠા થઈ શકશે નહીં. સરકાર દ્વારા કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના નિયમોનું (Corona rules)  ઉલ્લંઘન કરવા પર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. તેમજ કાર્યક્રમમાં નિયમોનો ભંગ કરવા બદલ આયોજકોને 50 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ માહિતી સંસદીય કાર્ય મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબે આજે વિધાનસભામાં આપી હતી.

મહારાષ્ટ્ર સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર, રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી, જાહેર સ્થળોએ 5 થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. ઇન્ડોર લગ્નોમાં 100 થી વધુ લોકોને ભેગા થવા દેવામાં આવશે નહીં અને આઉટડોર લગ્નોમાં 250 થી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં.મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં 1410 નવા કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોના મોતથી સરકારની ચિંતા વધી ગઈ છે. રાજ્ય ફરી એકવાર ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે.

મહારાષ્ટ્ર સરકારની નવી માર્ગદર્શિકા

મહારાષ્ટ્રમાં આજથી નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

તહેવારોની સિઝનમાં સંક્રમણના કેસ વધારે ઝડપથી વધી શકે છે. નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો રાત્રે ઘરની બહાર નિકળે છે. આ દરમિયાન રેસ્ટોરાં અને હોટલોમાં ભારે ભીડ જોવા મળે છે. આજ રાતથી કર્ફયુ જાહેર થયા બાદ એક જગ્યા પર 5 થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. આનાથી સંક્રમણને રોકવામાં થોડા અંશે સફળતા જરૂર મળશે.

નિયમોના ભંગ બદલ 50 હજારનો દંડ

તમને જણાવી દઈએ કે ઓમિક્રોનના મામલા સામે આવી રહ્યા છે. આજે 22 નવા કેસ નોંધાયા છે. ગુરુવારે, 23 નવા કેસ નોંધાયા હતા. આજે 22 નવા કેસ નોંધાવાની સાથે, રાજ્યમાં નવા વેરીઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 110 પર પહોંચી ગઈ છે. ઝડપી વધારાને જોતા મહારાષ્ટ્ર સરકારની ચિંતા ઘણી વધી ગઈ છે. આ જ કારણ છે કે સરકારે કેસોને કાબૂમાં લેવા માટે નવી કોરોના માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નિયમોની અવગણના કરવા પર 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આ પણ વાંચો :  Maharashtra: પ્રિન્ટેડ પેપરમાં ખોરાક આપવા પર પ્રતિબંધ, FDAએ કહ્યું – ઝેરી હોય છે શાહી; કેન્સર પણ થઈ શકે છે

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">