AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના પૂણેમાં થયો ગંભીર અકસ્માત, શૌચાલયની ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણથી 4 મજૂરોના મોત

ફાયર બ્રિગેડના જવાનોએ ચેમ્બરમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા છે. મૃત્યુ પામેલા મજૂરોના નામ સિકંદર પોપટ કસબે, પદમાકર મારુતિ વાઘમારે, કૃષ્ણ દત્તા જાધવ, રૂપેશ કાંબલે છે.

મહારાષ્ટ્રના પૂણેમાં થયો ગંભીર અકસ્માત, શૌચાલયની ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણથી 4 મજૂરોના મોત
4 laborers die of suffocation while working in septing tank in Pune
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 11:52 PM
Share

મહારાષ્ટ્રના પૂણેથી (Pune) એક ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવ્યા છે. બુધવારે (2 માર્ચ), લોની કાલભોર વિસ્તારમાં શૌચાલયની ટાંકી સાફ કરતી વખતે 4 મજૂરોનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કદમવાક વસાહતમાં આવેલી જય મલ્હાર કૃપા સોસાયટીની ગટર સાફ કરવા માટે ચાર મજૂરો આવ્યા હતા. સોસાયટીની ડ્રેનેજ લાઈનનું કામ કરતી વખતે ત્રણ મજૂરો ચેમ્બરની અંદર નીચે ઉતરી રહ્યા હતા. અંદર ગૂંગળામણથી તેમનું મૃત્યુ થયું હતું. આ પછી તેના સાથીને બહાર કાઢવાના ચક્કરમાં ચોથા મજૂરનું પણ ટાંકીમાં ઉતરવાથી મૃત્યુ થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ સાથે લોની કાલભોર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ચેમ્બરમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા છે. મૃત્યુ પામેલા મજૂરોના નામ સિકંદર પોપટ કસબે, પદમાકર મારુતિ વાઘમારે, કૃષ્ણ દત્તા જાધવ, રૂપેશ કાંબલે છે.

આ કેવું કામ છે જેમાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પૂણેના લોની કાલભોર વિસ્તારમાં પ્યાસા હોટલની પાછળ જય મલ્હાર કૃપા સોસાયટી બિલ્ડિંગની ટોઈલેટ ટાંકીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ માટે સિકંદર પોપટ ટાઉન, પદમાકર મારુતિ વાઘમારે, કૃષ્ણ દત્તા જાધવ અને રૂપેશ કાંબલે નામના ચાર મજૂરો આવ્યા હતા. આ ચારમાંથી પહેલા એક વ્યક્તિ નીચે ઉતર્યો. આ પછી અન્ય બે પણ પાછળ પાછળ નીચે ઉતર્યા. જ્યારે ત્રણેયનો શ્વાસ રૂંધાયો ત્યારે ચોથો વ્યક્તિ પણ તેમને બચાવવા અંદર ગયો હતો. આ રીતે આ ચારેય મજૂરોના દર્દનાક મોત થયા હતા.

મજૂરોના મોતથી વિસ્તારમાં ભયનો માહોલ

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહોને બહાર કાઢી લીધા છે. પરંતુ દુઃખની વાત એ છે કે ચારમાંથી એક પણ મજૂરનો જીવ બચાવી શકાયો નથી. સેપ્ટિક ટાંકી સાફ કરવાનું આ કાર્ય માત્ર ગંદકી સાફ કરવાનું મુશ્કેલ કાર્ય નથી, પરંતુ તે કેટલું જોખમી છે તે પણ આ મજૂરોના દર્દનાક મૃત્યુ પરથી સમજાય છે.

આ પણ વાંચો : Maharashtra: 100 કરોડની વસૂલી કેસમાં અનિલ દેશમુખનું નિવેદન નોંધશે CBI, જાણો શું છે મામલો

આ પણ વાંચો :  Russia Ukraine War: ચાર દિવસ પહેલા યુક્રેનથી મુંબઈની વિદ્યાર્થીની પ્રચિતિનો વીડિયો આવ્યો હતો, પરંતુ તે હજુ સુધી નથી આવી

સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
g clip-path="url(#clip0_868_265)">