AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના સીએમ કરશે તેલંગણાના સીએમ સાથે મીટીંગ, ટાર્ગેટ પર રહેશે મોદી સરકાર, સંજય રાઉત અને કેસીઆરનું નિવેદન

આ સંદર્ભમાં મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે બુધવારે કહ્યું 'અમે છેલ્લા કેટલાક મહિનાઓથી ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે 2024ની લોકસભાની ચૂંટણી તમામ વિપક્ષી પાર્ટીઓને એકજૂથ કરીને અને સાથે કામ કરીને લડવા માંગીએ છીએ.

મહારાષ્ટ્રના સીએમ કરશે તેલંગણાના સીએમ સાથે મીટીંગ, ટાર્ગેટ પર રહેશે મોદી સરકાર, સંજય રાઉત અને કેસીઆરનું નિવેદન
CM K Chandrashekhar Rao and CM Uddhav Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 11:17 PM
Share

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (K Chandrashekhar Rao-KCR) એ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. એટલું જ નહીં, પરંતુ તેમણે કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ વિરુદ્ધ દેશવ્યાપી વિપક્ષી ગઠબંધન બનાવવા માટે ઝડપથી કામ કરવાની જાહેરાત પણ કરી છે. બીજી તરફ શિવસેના પણ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર સામે ખૂબ જ આક્રમક છે. આવા સમયે કેસીઆર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) સાથે મુલાકાત કરી રહ્યા છે.  કેસીઆરએ આ વિશે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવાના છે અને દેશના વિકાસ માટે જરૂરી માળખા પર ચર્ચા કરવા માટે હૈદરાબાદમાં નિવૃત્ત IAS અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે.

કેસીઆરએ કહ્યું કે કેન્દ્રની વર્તમાન ભાજપ સરકાર જૂના સમયની કોંગ્રેસ પાર્ટી જેવું વર્તન કરી રહી છે. તે રાજ્યોના અધિકારો અને સ્વતંત્રતાઓ છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. દેશને હાલમાં એક નવા રાજકીય બળ, નવા રાજકીય સંતુલન અને શાસનના નવા ખ્યાલની જરૂર છે.

2024ની ચૂંટણી માટે મહારાષ્ટ્ર અને તેલંગાણાના સીએમની બેઠક નક્કી

એટલે કે કેસીઆરે મોદી સરકાર સામેની લડાઈનો શંખ ફૂંક્યો છે. આ સંદર્ભમાં કેસીઆરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમને શિવસેના તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો. આ વિશે મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે બુધવારે કહ્યું, ‘અમે છેલ્લા કેટલાક મહિનાઓથી ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે 2024ની લોકસભાની ચૂંટણી તમામ વિપક્ષી પાર્ટીઓને એકજૂથ કરીને અને સાથે કામ કરીને લડવા માંગીએ છીએ. અમને સીએમ કેસીઆર અને સીએમ ઉદ્ધવ ઠાકરેની મુલાકાતથી ઘણી આશાઓ છે.

‘જેપીની જેમ આંદોલન કરીને ભાજપને હરાવવાનું છે’

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ જ કાર્યક્રમમાં તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘ભાજપને જડમૂળથી ઉખેડી નાખવું પડશે. ભાજપ દેશને ગરીબીના દલદલમાં ધકેલી રહી છે. દેશમાં ક્રાંતિકારી પરિવર્તનની જરૂર છે. આ ક્રાંતિ માટે શસ્ત્ર ઉપાડવાની જરૂર નથી. સંસદીય માધ્યમથી આ શક્ય થઈ શકે છે. કોઈ મુદ્દો હોય તો દેશભરમાંથી અવાજ ઉઠવો જોઈએ. યોગ્ય જવાબ આપવો જોઈએ. દેશના ભવિષ્ય માટે આજે અને અત્યારે ઉઠવાનો અને જાગવાનો સમય છે. જયપ્રકાશ નારાયણે જે આંદોલન શરૂ કર્યું હતું તેવું રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવું જરૂરી છે. આવા જ એક આંદોલનમાંથી ભાજપનો પણ ઉદય થયો છે.’

આ પણ વાંચો :  Maharashtra: સચિન વાજેને નોકરી પર ફરી લાવવા માટે સીએમ, ગૃહમંત્રી અને પર્યાવરણ મંત્રીનું હતું દબાણ, પરમબીર સિંહનો મોટો ખુલાસો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">