Maharashtra: CM એકનાથ શિંદેની પત્નીએ તમામ મંત્રીઓ માટે ડિનરનું કર્યુ આયોજન, ના પહોંચ્યા ડેપ્યુટી CM અજિત પવાર, ઉભા થયા અનેક સવાલ!

|

Aug 18, 2023 | 8:50 AM

પાર્ટીના નેતા બચ્ચુ કડુ પણ ભોજન સમારંભમાં જોવા મળ્યા ન હતા. જોકે, પ્રહારના ધારાસભ્ય બચ્ચુ કડુને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. TV9 મરાઠી સાથે વાત કરતા કડુએ કહ્યું કે તેમને આ ડિનર પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

Maharashtra: CM એકનાથ શિંદેની પત્નીએ તમામ મંત્રીઓ માટે ડિનરનું કર્યુ આયોજન, ના પહોંચ્યા ડેપ્યુટી CM અજિત પવાર, ઉભા થયા અનેક સવાલ!

Follow us on

Maharashtra: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની (CM Eknath Shinde) પત્નીએ ગુરુવારે રાજ્યના તમામ મંત્રીઓને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. બાંદ્રાની તાજ લેન્ડ્સ હોટેલમાં આયોજિત આ કાર્યક્રમમાં તેમની પત્નીઓ સહિત પાર્ટીના તમામ મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.

પરંતુ, રાજ્યના બીજા નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, જેમને આ ભોજન સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેઓ હાજર નહોતા. મુંબઈમાં રહીને પણ તેમની બિનભાગીદારીથી અનેક પ્રશ્નો ઉભા થવા લાગ્યા. જ્યારે આ વિષય પર પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે ઉદય સામતે જણાવ્યું કે અંગત વ્યસ્તતાને કારણે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ શક્યા નથી.

પાર્ટીના નેતા બચ્ચુ કડુ પણ ભોજન સમારંભમાં જોવા મળ્યા ન હતા. જોકે, પ્રહારના ધારાસભ્ય બચ્ચુ કડુને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. TV9 મરાઠી સાથે વાત કરતા કડુએ કહ્યું કે તેમને આ ડિનર પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. એવું લાગે છે કે આ કાર્યક્રમમાં માત્ર મંત્રીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સિવાય કડુએ કેબિનેટ વિસ્તરણ અને પાર્ટીમાં તેમની ભૂમિકા પર પણ ટિપ્પણી કરી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો: હિમાચલમાં પહાડી તૂટવા લાગી, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં 330 લોકોના મોત

કાડુએ જણાવ્યું કે શા માટે તેમને ભોજન માટે બોલાવવામાં ન આવ્યા?

કાડુએ કહ્યું કે તેમની પાસે મંત્રી પદ છે, પરંતુ મંત્રાલય નથી. તેથી જ મને ભોજનમાં બોલાવવામાં આવ્યો ન હતો. પોતાની નારાજગી વ્યક્ત કરતાં તેણે વધુમાં કહ્યું કે “મારી છાતી પર તલવાર મુકવામાં આવશે તો પણ હું કોઈ મંત્રાલય સ્વીકારીશ નહીં.” તેમણે કેબિનેટ વિસ્તરણ પર પણ કડક વલણ અપનાવ્યું છે.

શરદ પવારના સ્ટેન્ડ પર પ્રતિક્રિયા

બચ્ચુ કડુએ શરદ પવાર પર પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે સમુદ્રના તળની ઊંડાઈ માપી શકાય છે, પરંતુ પવારના મનમાં શું ચાલી રહ્યું છે તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. જો બીજેપી મુખ્યમંત્રી શિંદેને બદલીને અજિત પવારને મુખ્યમંત્રી બનાવે છે તો તેના કારણે પાર્ટીને ઘણું નુકસાન વેઠવું પડી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article