AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uddhav Thackeray: ઉદ્ધવ ઠાકરેએ શિંદે જૂથ અને ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું ‘ઘણા લોકો ખત્મ કરવા તત્પર હતા, કેટલાક પોતાને જ શિવસેના સમજી બેઠા’

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જે લોકોએ શિવસેનાને મોટી કરી, આ તે લોકોની ભીડ છે. કેટલાક લોકો મારી ટીકા કર્યા વિના પેટ ભરી શકતા નથી. તેઓ મારા નામે રોટલી મેળવે છે. ભાજપે એ ગદ્દારોને ઊભા કર્યા. આજે મારી પાસે કંઈ નથી. શિવસેનાનું નામ ગયું, ધનુષબાન ગયું.

Uddhav Thackeray: ઉદ્ધવ ઠાકરેએ શિંદે જૂથ અને ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું 'ઘણા લોકો ખત્મ કરવા તત્પર હતા, કેટલાક પોતાને જ શિવસેના સમજી બેઠા'
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 9:00 PM
Share

ઉદ્ધવ ઠાકરે (Uddhav Yhackeray) શનિવારે કોંકણ પ્રવાસે હતા. રત્નાગિરી જિલ્લામાં બારસુ રિફાઈનરી પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા સ્થાનિક લોકોના સમર્થનમાં તેઓ અહીં આવ્યા હતા. તેમની મહાડ રેલી સાંજે પોણા આઠ વાગ્યાથી શરૂ થઈ હતી. આ રેલીને સંબોધિત કરતી વખતે તેમણે સીએમ એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકોને લાગ્યું કે શિવસેના ખતમ થઈ ગઈ છે અને કેટલાક લોકોને લાગ્યું કે તેઓ જ અસલી શિવસેના છે. પરંતુ જેમને આ ગેરસમજ છે, તેમણે સામે એકઠા થયેલા લોકોને જોવું જોઈએ.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જે લોકોએ શિવસેનાને મોટી કરી, આ તે લોકોની ભીડ છે. કેટલાક લોકો મારી ટીકા કર્યા વિના પેટ ભરી શકતા નથી. તેઓ મારા નામે રોટલી મેળવે છે. ભાજપે એ ગદ્દારોને ઊભા કર્યા. આજે મારી પાસે કંઈ નથી. શિવસેનાનું નામ ગયું, ધનુષબાન ગયું.

આ પણ વાંચો: Kejriwal Home Renovation Row: ‘કેજરીવાલને ઘરના રિનોવેશન માટે મેં આપ્યા હતા પૈસા’, મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો દાવો, દિલ્હી LGને લખ્યો પત્ર

ભાજપે શિવસેનાને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું, ‘બદલો લઈશું, દાટી દઈશું’

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘આજે હું મહાવિકાસ આઘાડી સાથે ચાલી રહ્યો છું તો શું હું કોંગ્રેસ તોડી રહ્યો છું? ના, આપણા લોકો જમીન પર સખત મહેનત કરે છે. આગામી ચૂંટણીમાં દેશદ્રોહીઓના જામીન જપ્ત થવાના છે. અમારી સભાઓમાં મેદાન ઓછું પડી રહ્યું છે. રેલીમાં સતત ફટાકડા ફોડવામાં આવતા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરેએ સૌથી પહેલા તેને રોકવાનું કહ્યું હતું. તે પછી પણ થોડો સમય ફટાકડા ચાલતા રહ્યા, પછી કહેવામાં આવ્યું કે આ ફટાકડા પણ શિવસૈનિક જેવા છે. એકવાર તે ભડકે પછી તે ફરી ઓલવાઈ જતું નથી.

મહારાષ્ટ્રમાં રાખ અને ગુજરાતમાં રંગોળી શા માટે?

ઉદ્ધવ ઠાકરેએ બારસુ રિફાઈનરી પ્રોજેક્ટનો વિરોધ કરતાં કહ્યું કે, જો આટલો સારો પ્રોજેક્ટ હોય તો તેને ગુજરાતમાં લઈ જાઓ. લોકો કહે છે કે આ વિકાસનો પ્રોજેક્ટ છે. વિકાસના નામે મૂર્ખ બનાવવાનું કામ છે. જો તે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, ખેડૂતોના અધિકારો છીનવી લે છે, તો મારે શું કહેવું? સ્ટવ સળગાવવાને બદલે તમે શા માટે આગ લગાડો છો? મહારાષ્ટ્ર માટે ભસ્મ, ગુજરાત માટે રંગોળી શા માટે? જે પ્રોજેક્ટ મહારાષ્ટ્રના હતા અને ગુજરાતમાં લઈ જવામાં આવ્યા હતા તેમને પહેલા પાછા લાવો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">