Uddhav Thackrey Vs Eknath Shinde: શિવસેનાના પ્રોપર્ટી કેસમાં ઉદ્ધવ ઠાકરે જૂથને રાહત, સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેને સમર્થન કરતી અરજી ફગાવી

Uddhav Thackrey Vs Eknath Shinde: અરજદાર મહારાષ્ટ્રના મતદાર હોવાથી આ મામલે પીઆઈએલ દાખલ કરી હતી. તે જ સમયે, કોર્ટે તેમને પૂછ્યું કે તમે આ મામલે પીઆઈએલ કેવી રીતે દાખલ કરી શકો છો.

Uddhav Thackrey Vs Eknath Shinde: શિવસેનાના પ્રોપર્ટી કેસમાં ઉદ્ધવ ઠાકરે જૂથને રાહત, સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેને સમર્થન કરતી અરજી ફગાવી
Uddhav Thackrey and Eknath Shinde (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 4:22 PM

ઉદ્ધવ ઠાકરે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં શિવસેના પક્ષની ચલ અને અચલ મિલકતોને અલગ-અલગ કરવાની માગ અને આના માટે ઉદ્ધવ ઠાકરે જૂથને નિર્દેશ આપવાની માગ સાથે અરજી કરવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, આ મામલે મહારાષ્ટ્રના વકીલ આશિષ ગિરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે એવી પણ માંગ કરી હતી કે ચલ કે અચલ મિલકત એકનાથ શિંદેને ટ્રાન્સફર કરવામાં આવે. મળતી માહિતી મુજબ અરજદાર મહારાષ્ટ્રના મતદાર હોવાથી આ અરજી દાખલ કરી હતી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં તમિલનાડુ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે તમામ બાબતોને સમયસર ક્લિયર કરવામાં આવે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શિંદે જૂથના નેતાએ શું કહ્યું?

તમને જણાવી દઈએ કે, શિવસેના ગયા વર્ષે બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. તે સમયે શિંદેના શિવસેના જૂથે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. ફેબ્રુઆરીમાં, શિંદે જૂથના એક નેતાનું નિવેદન બહાર આવ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે એકનાથ શિંદેને શિવસેના ભવન અથવા ઉદ્ધવ ઠાકરે સાથે સંબંધિત કોઈપણ સંપત્તિમાં રસ નથી.

આ પણ વાંચો : Maharashtra Politics :’મુંગેરીલાલના હસીન સપના’,સંજય રાઉતના દાવા પર કૃષિ મંત્રીનો વળતો પ્રહાર, કહ્યુ- એકનાથ શિંદે તો…..

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ પહેલા જ શિંદે જૂથને પાર્ટીનું નામ શિવસેના અને પાર્ટીનું નિશાન ધનુષ અને તીરનું પ્રતીક આપી ચૂક્યું છે. શિંદે જૂથના નેતા દીપક કેસરકરે કહ્યું હતું કે પાર્ટીનું નામ અને પ્રતીક મળ્યા બાદ એકનાથ શિંદેને પાર્ટીની સંપત્તિમાં કોઈ રસ નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">