AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uddhav Thackrey Vs Eknath Shinde: શિવસેનાના પ્રોપર્ટી કેસમાં ઉદ્ધવ ઠાકરે જૂથને રાહત, સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેને સમર્થન કરતી અરજી ફગાવી

Uddhav Thackrey Vs Eknath Shinde: અરજદાર મહારાષ્ટ્રના મતદાર હોવાથી આ મામલે પીઆઈએલ દાખલ કરી હતી. તે જ સમયે, કોર્ટે તેમને પૂછ્યું કે તમે આ મામલે પીઆઈએલ કેવી રીતે દાખલ કરી શકો છો.

Uddhav Thackrey Vs Eknath Shinde: શિવસેનાના પ્રોપર્ટી કેસમાં ઉદ્ધવ ઠાકરે જૂથને રાહત, સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેને સમર્થન કરતી અરજી ફગાવી
Uddhav Thackrey and Eknath Shinde (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 4:22 PM
Share

ઉદ્ધવ ઠાકરે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં શિવસેના પક્ષની ચલ અને અચલ મિલકતોને અલગ-અલગ કરવાની માગ અને આના માટે ઉદ્ધવ ઠાકરે જૂથને નિર્દેશ આપવાની માગ સાથે અરજી કરવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, આ મામલે મહારાષ્ટ્રના વકીલ આશિષ ગિરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે એવી પણ માંગ કરી હતી કે ચલ કે અચલ મિલકત એકનાથ શિંદેને ટ્રાન્સફર કરવામાં આવે. મળતી માહિતી મુજબ અરજદાર મહારાષ્ટ્રના મતદાર હોવાથી આ અરજી દાખલ કરી હતી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં તમિલનાડુ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે તમામ બાબતોને સમયસર ક્લિયર કરવામાં આવે.

શિંદે જૂથના નેતાએ શું કહ્યું?

તમને જણાવી દઈએ કે, શિવસેના ગયા વર્ષે બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. તે સમયે શિંદેના શિવસેના જૂથે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. ફેબ્રુઆરીમાં, શિંદે જૂથના એક નેતાનું નિવેદન બહાર આવ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે એકનાથ શિંદેને શિવસેના ભવન અથવા ઉદ્ધવ ઠાકરે સાથે સંબંધિત કોઈપણ સંપત્તિમાં રસ નથી.

આ પણ વાંચો : Maharashtra Politics :’મુંગેરીલાલના હસીન સપના’,સંજય રાઉતના દાવા પર કૃષિ મંત્રીનો વળતો પ્રહાર, કહ્યુ- એકનાથ શિંદે તો…..

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ પહેલા જ શિંદે જૂથને પાર્ટીનું નામ શિવસેના અને પાર્ટીનું નિશાન ધનુષ અને તીરનું પ્રતીક આપી ચૂક્યું છે. શિંદે જૂથના નેતા દીપક કેસરકરે કહ્યું હતું કે પાર્ટીનું નામ અને પ્રતીક મળ્યા બાદ એકનાથ શિંદેને પાર્ટીની સંપત્તિમાં કોઈ રસ નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">