Maharashtra : ભક્તો માટે ખુશખબર ! કોરોના બાદ આજથી તમામ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાયા

|

Oct 07, 2021 | 3:29 PM

કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ મંદિર બંધ કરવામાં આવ્યા હતા. હવે કોરોનાનું સંક્રમણ હળવુ થતા નવરાત્રીના પ્રથમ દિવસે રાજ્યના તમામ મંદિરો ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

Maharashtra : ભક્તો માટે ખુશખબર ! કોરોના બાદ આજથી તમામ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાયા
Temple Reopen in Maharashtra

Follow us on

Maharashtra : કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ ગુરૂવારથી રાજ્યના તમામ મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે રાજ્યના આરોગ્ય મંત્રી(Health Minister)  રાજેશ ટોપેએ મુંબઈના મહાલક્ષ્મી મંદિરમાં શીશ ઝુકાવીને માતાજીના આશીર્વાદ લીધા હતા.ઉપરાંત કોરોનાની સ્થિતિમાંથી બહાર નિકળવા અને રાજ્યની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માતા મહાલક્ષ્મીને પ્રાર્થના કરી હતી. તેમજ સીએમ ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પણ પત્ની રશ્મિ ઠાકરે સાથે મુમ્બા દેવીના દર્શન કરવા પહોંચ્યા હતા.

કોરોના સંક્રમણ હળવુ થતા સરકાર દ્વારા પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોરોનાના કેસો ઘટ્યા બાદ સરકાર (Maharashtra Government) દ્વારા પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ રાજ્યમાં લાંબા સમયથી મંદિર ખોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં આ મુદ્દે રાજ્યમાં ઘણો વિવાદ પણ થયો હતો. મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ (BJP Party) પણ આને મુદ્દો બનાવી રહી હતી. ત્યારે સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે 7 ઓક્ટોબર ના રોજ રાજ્યના તમામ મંદિરો ખોલવાની મંજૂરી આપી હતી. આ સાથે લોકો હવે શિરડી મંદિર, મુમ્બા મંદિરમાં દેવી -દેવતાઓના દર્શન કરી શકશે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાને માતાજીના શરણોમાં શીશ ઝુકાવ્યુ

રાજેશ ટોપે અને સીએમ ઉદ્ધવ ઉપરાંત ડેપ્યુટી સીએમ અજીત પવાર પણ સિદ્ધિ વિનાયક મંદિર (Siddhi Vinayak Temple) પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર મુંબઈના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

નવરાત્રિના પહેલા દિવસે મંદિરો ભક્તો માટે ખુલ્લા મુકાયા

નવરાત્રીના પહેલા દિવસે રાજ્યના તમામ મંદિરો ખોલવામાં આવ્યા છે. મંદિર ખોલવાની પરવાનગી આપવામાં આવી છે,જોકે મંદિર સંચાલકો અને ભક્તોએ કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. સરકારે પરવાનગી આપતા સ્પષ્ટ કર્યું હતુ કે, કોઈ પણ સંજોગોમાં કોરોના નિયમોનું (Corona Guidelines) પાલન કરવું જરૂરી છે. માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું જરૂરી રહેશે.

શિરડીમાં દરરોજ 15 હજાર ભક્તોની પરવાનગી

રાજ્ય સરકારની પરવાનગી મળ્યા બાદ મહારાષ્ટ્રના અહમદનગર (Ahmednagar) જિલ્લામાં આવેલા શિરડીના સાંઈ બાબા મંદિરમાં દરરોજ 15,000 ભક્તો સાંઈ બાબાના દર્શન કરી શકશે. દર્શન માટે પાસ ઓનલાઈન માધ્યમથી આપવામાં આવશે. 65 વર્ષથી ઉપરની વ્યક્તિઓ એટલે કે વરિષ્ઠ નાગરિકો, દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ગર્ભવતી મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમજ દર્શન માટે કોરોના રસીકરણ પૂર્ણ કરવું જરૂરી છે અથવા અન્યથા RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે.

 

આ પણ વાંચો : Mumbai Rain: મુંબઈ, કલ્યાણ અને થાણેમાં ભારે વરસાદ, પુણેમાં પણ મુશળધાર વરસાદને કારણે 20 સ્થળોએ વૃક્ષો ધરાશાયી

આ પણ વાંચો : Aryan Khan Cruise Drug Case: NCBની કસ્ટડી આજે ખતમ, આર્યન ખાન માંગશે જામીન !

Next Article