ઉર્મિલા માતોંડકરે ખરીદી 3 કરોડની ઓફિસ, કંગનાએ કહ્યું ‘ભાજપને ખુશ કરીને મારા હાથમાં માત્ર 25-30 કેસ લાગ્યા’
અભિનેત્રી કંગના રનૌત કોઈની પર નિશાનો કરવાની એક પણ તક છોડતી નથી. અભિનેત્રી નેતાથી લઈ બોલીવુડ સેલેબ્સ સુધી તમામ લોકોને આડે હાથ લઈ લે છે. આ વખતે કંગનાએ શિવસેના નેતા ઉર્મિલા માતોંડકર પર હુમલો કર્યો છે.
અભિનેત્રી કંગના રનૌત કોઈની પર નિશાનો કરવાની એક પણ તક છોડતી નથી. અભિનેત્રી નેતાથી લઈ બોલીવુડ સેલેબ્સ સુધી તમામ લોકોને આડે હાથ લઈ લે છે. આ વખતે કંગનાએ શિવસેના નેતા ઉર્મિલા માતોંડકર પર હુમલો કર્યો છે. ઉર્મિલા માતોંડકર અને કંગના રનૌતની લડાઈ જુની છે. ઘણા સમયથી કંગના સતત ઉર્મિલા પર નિશાનો સાધી રહી છે, ત્યારે ઉર્મિલા પણ તેની પર તંજ કસવાની કોઈ તક છોડતી નથી.
Kangana Ranaut Latest Tweet
Dear @UrmilaMatondkar ji maine jo khud ki mehnat se ghar banaye woh bhi Congress tod rahi hai, sach mein BJP ko khush karke mere haath sirf 25-30 cases he lage hain, kash main bhi aapki tarah samajhdar hoti toh Congress ko khush karti, kitni bevakoof hoon main, nahin? pic.twitter.com/AScsUSLTAA
— Kangana Ranaut (@KanganaTeam) January 3, 2021
તાજેતરમાં જ કોંગ્રેસને છોડીને શિવસેનામાં જોડાનારી ઉર્મિલા માતોંડકરે એક નવી ઓફિસ ખરીદી છે, તેને 3 કરોડમાં નવી ઓફિસ લીધી છે. હવે આ નવી ઓફિસ પર કંગના રનૌતે નિશાન સાધતા કહ્યું કે તેને ભાજપનો સાથ આપવામાં કોઈ ફાયદો ના થયો પણ ઉર્મિલાને કોંગ્રેસના કારણે મોટો ફાયદો થઈ ગયો, કંગનાએ ટ્વીટમાં લખ્યું કે ‘ઉર્મિલાજી મેં પોતાની મહેનતથી ઘર બનાવ્યા હતા, કોંગ્રેસ તેને તોડી રહી છે, ભાજપને ખુશ કરીને મારા હાથમાં માત્ર 25-30 કેસ લાગ્યા છે, હું પણ તમારી જેમ સમજદાર હોત તો કોંગ્રેસને ખુશ કરતી’.