AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી કોરોનાનો ફૂંફાડો : ઓમિક્રોનના ખતરા વચ્ચે આ રાજ્યમાં કોરોના કેસમાં થયો ધરખમ વધારો

રાજધાની મુંબઈની વાત કરીએ તો બુધવારે શહેરમાં 490 નવા કોરોના કેસ નોંધાયા છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાને કારણે એક પણ દર્દીનું (Corona Patient) મોત થયું નથી.

ફરી કોરોનાનો ફૂંફાડો : ઓમિક્રોનના ખતરા વચ્ચે આ રાજ્યમાં કોરોના કેસમાં થયો ધરખમ વધારો
Increase corona case in maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 2:38 PM
Share

Maharashtra : કોરોનાની બીજી લહેર બાદ મહારાષ્ટ્રમાં ફરી કોરોના (Corona Case) માથુ ઉંચકી રહ્યો છે. બુધવારે કોવિડ-19 કેસની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 1,201 નવા કેસ સામે આવતા તંત્ર દોડતુ થયુ છે. કારણ કે 17 નવેમ્બર બાદ પ્રથમ વખત રાજ્યમાં કોરોનાના 1000થી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારના (Maharashtra Government) આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,23,261 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ પોઝિટીવીટી રેટ 0.98 ટકા પર પહોંચ્યો છે.

સાથે જ રાજધાની મુંબઈની વાત કરીએ તો બુધવારે શહેરમાં 490 નવા કોરોના કેસ નોંધાયા છે. મંગળવારની સરખામણી કરીએ તો શહેરમાં 160 વધુ કેસ સામે આવ્યા હતા, પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાને કારણે એક પણ દર્દીનું (Corona Patient) મોત થયું નથી.

ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોના કેસમાં ઉછાળો

બીજી બાજુ રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા  કેસે પણ ચિંતા વધારી છે. સમગ્ર દેશની સરખામણીમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ઓમિક્રોનના કેસ સૌથી વધુ છે. મળતા અહેવાલ મુજબ, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 65 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 11 કેસની મંગળવારે પુષ્ટિ થઈ હતી. ત્યારે હાલ રાજ્યમાં ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોનાને કેસે તંત્રની ચિંતા વધારી છે.

ઓમિક્રોન વેરિઅન્ટે વધારી ચિંતા

સમગ્ર દુનિયા આજે ઓમિક્રોનની દહેશત હેઠળ જીવી રહ્યુ છે. ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસે હાલ સરકારની ચિંતા વધારી છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ નવા વેરિઅન્ટને કારણે એક પણ દર્દીનુ મોત થયુ નથી. મહારાષ્ટ્રમાં વધતા સંક્રમણને રોકવા માટે કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ સાથે આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. રાજ્યની નવી ગાઈડલાઈન અનુસાર વિદેશથી આવતા મુસાફરોને ફરજિયાત 14 દિવસ સુધી સંસ્થાકીય કોરોન્ટાઈનમાં રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Mumbai : બોલિવુડ ક્વીન પહોંચી ખાર પોલીસ સ્ટેશન, શીખ સમુદાય પરના વિવાદિત નિવેદનને કારણે કંગનાની વધી મુશ્કેલી

આ પણ વાંચો : Aryan Khan Updates: મુંબઈ પોલીસને ન મળ્યા ખંડણી સંબંધિત પુરાવા, આગામી આદેશ સુધી તપાસ રોકવામાં આવી

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">