AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : “જો વિધાનસભાની ચૂંટણી ન હોત તો મોદી સરકારે કાયદો પાછો ખેંચ્યો ન હોત”, કૃષિ કાયદાને લઈને શરદ પવારના મોદી સરકાર પર પ્રહાર

NCP વડા શરદ પવારે કહ્યું કે, "જો કેન્દ્રએ રાજ્યોને વિશ્વાસમાં લીધા હોત અને સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરી હોત તો આજે પરિસ્થિતિ કંઈક અલગ હોત."

Maharashtra : જો વિધાનસભાની ચૂંટણી ન હોત તો મોદી સરકારે કાયદો પાછો ખેંચ્યો ન હોત, કૃષિ કાયદાને લઈને શરદ પવારના મોદી સરકાર પર પ્રહાર
Farm Laws Withdrawn
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 1:04 PM
Share

Maharashtra : NCPના વડા શરદ પવારે ત્રણ કૃષિ કાયદાઓ પાછી ખેંચવા પર PM મોદી પર આકરા પ્રહારો કર્યા છે. પવારે કહ્યું કે જો આગામી વિધાનસભાની ચૂંટણી(Assembly Election)  ઘણા રાજ્યોમાં ન યોજાઈ હોત તો મોદી સરકારે ક્યારેય કાયદાને રદ કરવાનો નિર્ણય લઈ ન લીધો હોત.PM  મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ (Farm Laws Withdrawn) પાછા ખેંચવાની જાહેરાત બાદ તમામ વિપક્ષી પાર્ટીએ તેને ચૂંટણી પ્રભાવિત નિર્ણય ગણાવ્યો છે. જે બાદ હવે NCP વડા શરદ પવારે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

પવારે બુધવારે સતારામાં કહ્યું હતું કે, જો કેન્દ્રએ રાજ્યોને વિશ્વાસમાં લીધા હોત અને સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરી હોત તો આજે સ્થિતિ અલગ હોત. પવારે વધુમાં કહ્યું હતું કે જો આગામી ચૂંટણીઓ ન યોજાઈ હોત તો કાયદાને રદ કરવાનો નિર્ણય ન લેવાયો હોત.

મહા વિકાસ અઘાડી ફરીથી સરકાર બનાવશે

બીજી તરફ પવારે મહા વિકાસ આઘાડી (MVA) સરકારના પતનના ભાજપના દાવાઓ પર વળતો પ્રહાર કર્યો હતો. પવારે કહ્યું કે, હું દ્રઢપણે માનું છું કે આ સરકાર તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. જો તેઓ આગામી ચૂંટણી સાથે મળીને લડશે તો ફરી સત્તામાં આવવાનો તેણે દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે, મહા વિકાસ અઘાડીમાં NCPની સાથી શિવસેના (Shiv Sena) પણ કૃષિ કાયદાઓને પાછી ખેંચવાના નિર્ણયને લઈને મોદી સરકાર પર સતત ટીકા કરી રહી છે. તાજેતરમાં સામનાના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે, ‘વડાપ્રધાન મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી છે. પરંતુ ખેડૂતો તેમનું આંદોલન પાછું ખેંચવા તૈયાર નથી.’

સામનામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, જ્યાં સુધી સંસદમાં ઠરાવ રજૂ કરીને આ કાયદાને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ જણાવ્યું હતું. મતલબ કે ખેડૂતો દેશના વડાપ્રધાનની વાત માનવા તૈયાર નથી. ખેડૂતોને વડાપ્રધાનમાં વિશ્વાસ નથી.

આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિકનો નવો ખુલાસો! સમીરની માતા પાસે બે મૃત્યુ પ્રમાણપત્ર, એક હિંદુ અને બીજું મુસ્લિમ

આ પણ વાંચો: Maharashtra: સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કોરોનાની ત્રીજી લહેરને લઈને આપી ચેતવણી, આ તરફ BMC કરી રહી છે બુસ્ટર ડોઝની તૈયારી

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">