Maharashtra: સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કોરોનાની ત્રીજી લહેરને લઈને આપી ચેતવણી, આ તરફ BMC કરી રહી છે બુસ્ટર ડોઝની તૈયારી

કોવિડ -19ની વર્તમાન પરિસ્થિતિ અંગે ટોપેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં 80 ટકા નાગરિકોને રસી આપવામાં આવી છે. હાલમાં સંક્રમણ સ્તર અને મૃત્યુ દર ઓછો છે.

Maharashtra: સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કોરોનાની ત્રીજી લહેરને લઈને આપી ચેતવણી, આ તરફ BMC કરી રહી છે બુસ્ટર ડોઝની તૈયારી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:39 PM

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ (Maharashtra Health Minister Rajesh Tope) કહ્યું છે કે ડિસેમ્બરમાં કોરોના વાયરસ (Corona Virus) મહામારીની ત્રીજી લહેર આવવાની આશંકા  છે, પરંતુ તેની અસર હળવી રહેશે. સ્વાસ્થ્ય મંત્રીએ એક ન્યૂઝ ચેનલને કહ્યું કે ત્રીજી લહેર દરમિયાન મેડિકલ ઓક્સિજન અને ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU) બેડની જરૂર રહેશે નહીં.

ટોપેએ કહ્યું “ત્રીજી લહેર (Corona Virus Third Wave) હળવી રહેવાની સંભાવના છે અને મેડિકલ ઓક્સિજન અને આઈસીયુ બેડની કોઈ જરૂર રહેશે નહીં.” કોવિડ -19ની વર્તમાન પરિસ્થિતિ અંગે ટોપેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં 80 ટકા નાગરિકોને રસી આપવામાં આવી છે. હાલમાં સંક્રમણ સ્તર અને મૃત્યુ દર ઓછો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આરોગ્ય વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના 766 કેસ નોંધાયા છે અને 19 લોકોના મોત થયા છે. રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા સતત ત્રીજા દિવસે 10,000ની નીચે રહી છે. મહારાષ્ટ્રમાં મંગળવાર સુધીમાં સંક્રમણના કુલ 66,31,297 કેસ નોંધાયા છે. ટોપેએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીની પ્રથમ લહેર સપ્ટેમ્બર 2020માં આવી હતી અને બીજી લહેર એપ્રિલ 2021માં આવી હતી.

બીએમસી કરી રહ્યુ છે બુસ્ટર ડોઝની તૈયારી

કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મુંબઈમાં દેશના અન્ય શહેરોની સરખામણીમાં સૌથી વધુ રસીકરણ થયું છે. હવે BMC મુંબઈમાં કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી રહી છે. BMCએ આ સંબંધમાં ટાસ્ક ફોર્સ અને રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને બૂસ્ટર ડોઝની ભલામણ કરવા કહ્યું છે, જેથી મુંબઈકરોને બૂસ્ટર ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.

BMCના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું કે અમે આ અંગે ટાસ્ક ફોર્સ સાથે વાત કરી છે. ટાસ્ક ફોર્સ અભ્યાસ કરશે અને રાજ્ય સરકારને રિપોર્ટ આપશે. ત્યાર પછી કેન્દ્રની પરવાનગી બાદ જ બુસ્ટર ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ કરી શકાશે.

કેન્દ્ર સરકાર દ્વારા બૂસ્ટર ડોઝની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે, તેના આધારે અમે આગળ વધીશું. કેટલાકે કોવિશિલ્ડનો ડોઝ લીધો છે, કેટલાકે કો-વેક્સીનનો ડોઝ લીધો છે અને કેટલાકે ખાનગી હોસ્પિટલમાંથી સ્પુટનિક વીનો ડોઝ પણ લીધો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે નક્કી કરવાનું છે કે જે કંપનીની રસીનો ડોઝ લેવામાં આવ્યો છે તેનો બૂસ્ટર ડોઝ લેવો કે બૂસ્ટરનો ડોઝ અન્ય કંપનીની રસીનો હશે.

સાથે એ પણ નક્કી કરવું જોઈએ કે બંને ડોઝ પછી કેટલા દિવસ પછી બૂસ્ટર ડોઝ આપી શકાય. આ તમામ મુદ્દાઓ પર માર્ગદર્શિકા માટે અમે ટાસ્ક ફોર્સ પાસે માંગ કરી છે. જેથી બુસ્ટર ડોઝ આપવાનો રસ્તો સાફ થઈ શકે. કાકાણીએ કહ્યું કે બૂસ્ટર ડોઝ આપવાની પ્રક્રિયા ઘણા દેશોમાં ચાલુ છે, તેથી અમે માનીએ છીએ કે મુંબઈના લોકોને પણ સલામતી માટે બૂસ્ટર ડોઝ મળવો જોઈએ.

તેમણે કહ્યું કે અમારી પાસે રસીકરણના સંદર્ભમાં સંપૂર્ણ સેટઅપ છે જે દેશમાં શ્રેષ્ઠ છે. તેથી BMCને બૂસ્ટર ડોઝ આપવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. રસીકરણને કારણે મુંબઈ હવે સલામત ક્ષેત્રમાં પહોંચી ગયું છે, તેથી અમે બૂસ્ટર ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ કરી શકીએ છીએ.

બૂસ્ટર ડોઝની જરૂર નથી: AIIMS ડિરેક્ટર

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીના ડિરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ મંગળવારે કહ્યું હતું કે દેશમાં કોવિડની પ્રથમ બે લહેરોની સરખામણીમાં તેટલી જ તીવ્ર ત્રીજી લહેરની આશંકા નથી. ગુલેરિયાએ કહ્યું કે આ સમયે સંક્રમણમાં કોઈ વધારો થયો નથી, જે દર્શાવે છે કે રસીઓ હજુ પણ વાયરસ સામે રક્ષણ પૂરું પાડી રહી છે અને હાલમાં ત્રીજા બૂસ્ટર ડોઝની જરૂર નથી.

તબીબી નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે બીજી લહેરની જેમ ત્રીજી લહેરની અપેક્ષા નથી અને ડિસેમ્બરના અંતથી ફેબ્રુઆરી વચ્ચે કેસ વધી શકે છે, પરંતુ તેની અસર હળવી રહેશે. તેમ છતાં કોના માટે રસીનો ડોઝ કેટલો મહત્વનો છે તે સમયાંતરે નક્કી કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં ત્રીજો ડોઝ જરૂરી છે કે નહીં તે અંગેનો નિર્ણય પણ આગામી દિવસોમાં ICMR દ્વારા લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો :  સોનિયા ગાંધી સાથે મુલાકાતના સવાલ પર ભડક્યા મમતા બેનર્જી, 30 નવેમ્બરે મુંબઈના પ્રવાસે, શરદ પવાર-ઉદ્ધવ ઠાકરે સાથે કરશે મુલાકાત

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">