AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UCC માટે વધી રહ્યુ છે સમર્થન, AAP બાદ હવે ઉદ્ધવ ઠાકરે એ સહકારની કરી જાહેરાત

યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તૈયારી કરી રહેલી કેન્દ્રની ભાજપ સરકારને વધુ એક પક્ષનું સમર્થન મળ્યું છે. AAP બાદ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે પણ સમાન નાગરિક સંહિતાને સમર્થન આપ્યું છે.

UCC માટે વધી રહ્યુ છે સમર્થન, AAP બાદ હવે ઉદ્ધવ ઠાકરે એ સહકારની કરી જાહેરાત
UCC
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 6:01 PM
Share

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાવવાની તૈયારી કરી રહેલી કેન્દ્રની ભાજપ સરકારને અન્ય પક્ષનું સમર્થન મળ્યું છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે પણ સમાન નાગરિક સંહિતાને સમર્થન આપ્યું છે. અગાઉ, આમ આદમી પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડ માટે સૈદ્ધાંતિક સમર્થનની વાત કરી હતી. AAP નેતા સંદીપ પાઠકે કહ્યું હતું કે અમે સૈદ્ધાંતિક રીતે સમર્થનમાં છીએ, પરંતુ આ મુદ્દે તમામ પક્ષો સાથે વાત કર્યા પછી જ નિર્ણય લેવો જોઈએ.

ઉદ્ધવ ઠાકરે જૂથે યુસીસીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે

સૂત્રોનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરે જૂથે યુસીસીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જો બિલ ચોમાસુ સત્રમાં આવશે તો પાર્ટી તેનું સમર્થન કરશે. વાસ્તવમાં, યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે ભલે તમામ પક્ષો ભાજપના ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા હોય, પરંતુ મોટા ભાગના પક્ષો સાવધાનીપૂર્વક વાત કરી રહ્યા છે. NCP નેતા શરદ પવારે તેમની પાર્ટીના નેતાઓને UCCના મુદ્દા પર ટિપ્પણી ન કરવા કડક સૂચના આપી છે. એનસીપીના વડાને લાગે છે કે તેઓ આ મામલે ભાજપ સરકાર સાથે નહીં જઈ શકે અને જો તેઓ તેની વિરુદ્ધ બોલશે તો તેનાથી ધ્રુવીકરણ થઈ શકે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે અચાનક દિલ્હી જવા રવાના, અમિત શાહને મળશે, કેબિનેટ વિસ્તરણની અટકળ ?

શિવસેના હંમેશા યુનિફોર્મ સિવિલ કોડની તરફેણમાં રહી છે

બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથ માટે આ મુદ્દો વૈચારિક છે. શિવસેના હંમેશા યુનિફોર્મ સિવિલ કોડની તરફેણમાં રહી છે. આ દિવસોમાં ભલે તે NCP અને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં હોય, પરંતુ જો તે UCCની વિરુદ્ધ જાય તો ભાજપ તેના પર હિન્દુત્વ સાથે સમાધાન કરવાનો આરોપ લગાવી શકે છે. આવી સ્થિતિમાં, ઉદ્ધવ ઠાકરે જૂથ તેમની વિરુદ્ધ કોઈ ધારણા પેદા થવા દેવા માંગતું નથી. આ જ કારણ છે કે તેણે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે વાયએસઆર કોંગ્રેસ, બીજેડી જેવી કેટલીક અન્ય પાર્ટીઓ છે જે આ મામલે સરકારને સમર્થન આપી શકે છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">